SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧૯૦]... પ્રથમ તો . આપણે નિશીથસૂત્રના એક જ સૂત્રપાઠની ઉપર જણાવેલી ત્રણ પ્રકારની વાચનાઓના સંબંધમાં વિચારીએ : (૧) પ્રાચીનતમ પ્રતિઓમાંથી મળેલી પ્રથમ વાયનામાં મત્તુર્ પછીનાં અદ્દાર્ આદિ સાત પદો સંખ્યા અને ક્રમની તુલનાએ પ્રજ્ઞાપનાસૂત્રનાં પદો સાથે તદ્દન મળી રહે છે. પ્રજ્ઞાપનાસૂત્રમાં નથી એવું આદિમાં આવેલું મત્તલ્ સૂત્રપદ નિશીથસૂત્રનું આગવું અને મૌલિક સૂત્રપદ છે, અને તેના ઉલ્લેખથી ઉપલક્ષણથી અન્ય પાત્રોનું સૂચન સમજવું જોઈ એ. અમને અમારા સંશોધન એવું પાડપરીક્ષણના અનુભવથી આ પ્રથમ વાચના શુદ્ધ પ્રામાણિક એવં મૌલિક જણાય છે. (૨) ખજી વાચનામાં આવેલાં વધારાનાં સૂત્રપદો, પ્રસ્તુત સૂત્રસંદર્ભની ચૂર્ણિ, નિશીથભાષ્યાન્તર્ગત સંગ્રહણીગાથા અને તે ગાથાની ણિના વ્યાખ્યાનના આધારે પ્રક્ષિપ્ત થયાં હોય તેમ જણાય છે, તે આ પ્રમાણે—પ્રથમ મત્તરૂ પદની વ્યાખ્યા કરીને ચૂર્ણિમાં દ્વં હિ વિભુ વિ। આવી ઉપલક્ષણથી સમજવા માટેની વ્યાખ્યા છે, તેના આધારે આ નિશીથત્રની બીજી વાચનાના સુત્રપાડમાં દ્યું ને હિટ્ટે આ પાઠ ઉમેરાયો હોય તેમ લાગે છે. પ્રસ્તુત સૂત્રસંદર્ભની અર્થદ્યોતક નિશીથભાષ્યાન્તર્ગત સંગ્રહણીગાથા આ પ્રમાણે છે—— पण मणि आभरणे सत्थ दए भायणऽण्णतरए वा । તેછ-મહુ-સર્યા-ભાણિત-મજ્ઞ-વસાસુજ્ઞમાવીસુ || આ ગાથામાં આવતાં બધાંય પદો સૂત્રપદો છે તેમ માનવાને કોઈ કારણ નથી. અલબત, સૂત્રપશિક નિયુક્તિગાથામાં સૂત્રપદોનો જ નિર્દેશ હોય છે, પણ આ સંગ્રહણીગાથા હોવાથી સુત્રપદો ઉપરાંત પ્રસ્તુતને ઉપયોગી પદોનો તેમાં ઉપલક્ષણથી નિર્દેશ કર્યો હોય તેમ લાગે છે. આ અનુમાન અસંગત નથી. અર્થાત્ પ્રસ્તુત ખીજી વાચનામાં આવેલો ઝે ઞામળત્તિને ચવુંમે ને મહુકુંમે॰ છે યયુંમે॰ આ સુત્રપાડ ઉપર જણાવેલી સંગ્રહણીગાથા અને તેની વૃણિની વ્યાખ્યાના આધારે ઉમેરાયેલો હોય તેમ જણાય છે. (૩) ત્રીજા નંબરની વાચનામાં ૩૫મા સૂત્રમાં આવેલું વુડ્ડાવાળે ત્રપદ તો ગુજ્જુવાળેનું ભ્રષ્ટ રૂપ જ છે, જે વિદ્વાન વાચકો અને શોધકો સહજ સમજી શકશે. ખીજી વાચનાના વક્તવ્યમાં જણાવેલી સંગ્રહણીગાથામાં આવતા ટ્ર્ શબ્દની સૂણિના વ્યાખ્યાનને આધારે આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજીની આવૃત્તિમાં વુડ્ડાવાળે પાઠ ઉપર અર્થદર્શક ટિપ્પણી રૂપે કુંવાનિ શબ્દ આપ્યો છે. શ્રી કમલમુનિજીએ તેમની આવૃત્તિમાં પ્રસ્તુત થુંકવાળિદ્ શબ્દને પ્રત્યંતરના પા‘ભેદરૂપે આપ્યો અને સુજ્ઞાનને ગત નિશીથસૂત્રની વાચનામાં તો એથી પણ આગળ વધીને કુંઢવાનાદ્ શબ્દને જ મૂળ વાચનાના મૌલિક પારૂપે પ્રકાશિત કર્યો. હકીકતમાં નિશીથસૂત્રની કોઈ પણ હસ્તલિખિત પ્રતિમાં કુંદવાળિ શબ્દ છે જ નહિ. ઉપર જણાવેલા ટૂ શબ્દની ચૂર્ણિ આ પ્રમાણે છે ‘i' વાનીયં, તત્ત્વ ગળતો વુઽાવિમાનને સ્થિતમ્। અસ્તુ. આ ત્રીજા નંબરની વાચનામાં જણાવેલાં પ્રથમ (૩૧ મું) સૂત્ર અને પ્રક્ષિપ્ત સૂત્ર સિવાયનાં સૂત્રોમાં આવેલાં મિલ્લૂ તથા અવાળ થી સાતિજ્ઞતિ સુધીનાં સૂત્રપદો નિશીથસૂત્રની સૂત્રપ્રતિઓમાં મળતાં નથી. સૌ પ્રથમ ઍ આવૃત્તિમાં વિશેષ સ્પષ્ટ કરવા માટે મત્તણ્ અર્ર્ આદિ પ્રત્યેક સૂત્રપદનું સંપૂર્ણ સૂત્ર કોઈ પણ પ્રતિના આધાર વિના સ્વયં આપેલું હોય એમ લાગે છે. ત્યાર પછી પ્રસિદ્ધ થયેલી આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજીની, શ્રી કમલમુનિજીની, સુત્તામેની અને મુનિ શ્રી નથમલજીની આવૃત્તિમાં પણ પ્રસ્તુત સૂત્રપદોના બદલે સંપૂર્ણ સૂત્રો જ આપેલાં છે. આમ છતાં મૈં અને મુનિશ્રી નથમલજીની આવૃત્તિમાં અમે પહેલાં જણાવેલી પ્રસ્તુત સૂત્રસંદર્ભની પહેલી વાચનામાં આપેલાં મૌલિક સૂત્રપદો જેટલાં જ સૂત્રો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy