SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૫૪]... આ સંગ્રહણીની અવણિ કુલમંતન ગણિએ સ. ૧૪૪૧ માં રચી છે " श्रीदेवसुन्दरगुरोः प्रसादतोऽवगत जिनवचोऽर्थलवः । कुलमण्डन गणिर लिखदवचूर्णिमेकाब्धिभुवनान्दे ॥ " આ પ્રજ્ઞાપનાતૃતીયપદસંગ્રહણી તેની અવણિસહિત વિ॰ સં૰ ૧૯૭૪માં શ્રી આત્માનંદ જૈન સભા (ભાવનગર) દ્વારા પ્રસિદ્ધ થયેલી છે. અહીં જણાવેલી કુલમંડનગણિકૃત અવણિના બદલે આ મુદ્રિત અવર્ણિ થોડા વિસ્તારથી લખાયેલી છે અને તેના કર્તાનું નામ નથી મળતું, એમ તેની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. પણ સંભવ છે કે શ્રી કુલમંડનગણિકૃત અવર્ણિને જ વધુ સ્પષ્ટ કરવા ખાતર તેમાં કોઈ વિદ્વાને થોડોક વધારો કર્યો હોય, એમ અમને લાગે છે. * (૩) આચાર્ય મલયગિકૃિત વિવૃત્તિ આચાર્ય હરિભદ્રની પ્રદેશવ્યાખ્યા કરતાં લગભગ ચારગણી વિસ્તૃત વ્યાખ્યા આચાર્ય મલયગરએ (લગભગ સં. ૧૧૮૮-૧૨૬૦) પ્રજ્ઞાપનાની કરી છે અને તે સંપૂર્ણ પ્રજ્ઞાપનાને સમજવા માટે ઉત્કૃષ્ટ સાધનભૂત છે. સ્વયં આચાર્ય મલયગિરિ કહે છે કે આ વ્યાખ્યાનો આધાર આચાર્ય હરિભદ્રની પ્રદેશ વ્યાખ્યા છે, પરંતુ એ વ્યાખ્યા ઉપરાંત આચાર્ય મલયગિરિએ અન્ય અનેક ગ્રંથોનો સ્વતંત્ર ભાવે ઉપયોગ કરીને આ વ્યાખ્યાને સમૃદ્ધ બનાવી છે; ઉ. ત. સ્ત્રી તીર્થંકર થાય છે કે નહિ એ ચર્ચા આચાર્ય હરિભદ્રે માત્ર સિપ્રાભૂતનો હવાલો આપી (પૃ૦ ૧૧) સમાપ્ત કરી હતી, જ્યારે આચાર્ય મલયગિરિએ સ્ત્રીમોક્ષની ચર્ચા પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ રચીને આચાર્ય શાકટાયનનો આધાર લઈ ને વિસ્તારથી કરી છે, પત્ર ૨૦. એ જ પ્રમાણે સિદ્ધના સ્વરૂપની ચર્ચા વખતે પણ અન્ય દાર્શનિકોના મતોની તુલના કરીને જૈનમતની સ્થાપના કરી છે, પત્ર ૧૧૨. પ્રજ્ઞાપનાના પાઠાન્તરોની ચર્ચા પણ અનેક ઠેકાણે મળે છે—પત્ર ૮૦, ૮૮, ૯૬, ૧૬૫, ૨૯૬, ૩૭૨, ૪૧૨, ૪૩૦, ૬૦૦. આચાર્ય મલયગિરિએ પોતાની ટીકાઓનાં અને બીજા અનેક લેખકો અને ગ્રંથોનાં ઉદ્દરણો આપ્યાં છે તે બતાવે છે કે આચાર્ય મલયગિરિનું પાંડિત્ય બહુમુખી હતું-~~ શનિઃવસ્ત્રાવૃતવ્યાપે ’– પત્ર ૫; ૩૬૫; ‘ઉત્તરાધ્યયનનિર્યુત્તિયા ’– પત્ર ૧૨; ‘ સવિસ્તર નન્યષ્યયનટીાયાં ન્યાતાનિ' પત્ર ૨૪, ૨૯૮, ૩૧૧, ૩૭૬; ‘પ્રજ્ઞાવનામૂટીાત્' કે મૂટીજાળા: 'પત્ર ૨૫, ૧૧૪, ૧૯૪, ૨૦૨, ૨૬૩, ૨૮૦, ૨૮૩, ૨૯૪, ૩૦૫, ૩૨૫, ૩૬૨, ૩૭૨, ૩૮૩, ૩૮૪, ૩૯૧, ૪૭૦, ૪૯૦, ૫૪૬, ૫૪૭, ૫૬૪, ૫૬૮; ‘સદ્ધ મૂટીવારો મિત્રસૂત્તિ: ’ પત્ર ૪૧૮, ૫૫૨; ‘મૂટીાચામૂ’ પુત્ર ૫૪૪, ૫૪૭; ‘નીવામિનટીયા' પત્ર ૪૪, ૪૫, ૪૭, ૪૮, ૫૧; ‘નીવામિમે’ પત્ર ૧૯૫; ‘નીવામિયમપૂર્નો’ પત્ર ૩૦૮; (અત્રાક્ષેપરિહારૌ શ્વન્દ્રાસિટીકાયાં સૂયંત્રાસિટીકાયાં નામિહિતી કૃતિ તતોડવષાયો' પત્ર ૯૯; ક્ષેત્રસમસટીબ’ પત્ર ૧૦૭; અનુયોગદ્ય રેવુ' પત્ર ૧૧૪; ‘વૃદ્ધાવાચ્:’ પત્ર ૧૩૫; ‘વપ્તૌ’ પત્ર ૧૪૧, ૧૪૯; 3. जयति हरिभद्रसूरिष्टीका कृद् विवृतविषमभावार्थ: । ચંદ્રનનવારવિ નાતો છેોન વિવૃત્તિઃ ॥ પ્ર૦ ટી, પત્ર ૬૧૧. ૪. આચાર્ય મલયગિરિ વિષેની વિસ્તૃત માહિતી માટે આચાર્ય મલયગરકૃત શબ્દાનુશાસનની પ્રસ્તાવના જોવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy