SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષ ..[૧૧]... મનુષ્યનો અનન્તર પૂર્વભવ મનુષ્યમાં શેનો સંભવ છે રત્નપ્રભા ચાવત વાલુકાપ્રભા તીર્થંકરપદ પપ્રભા મોક્ષ ધુમપ્રભા વિરતિ તમાં વિરતાવિરતિ સાતમી નરક સમ્યકત્વ ભવનપતિ મોક્ષ પૃથ્વી, અપ તેજ વાયુ ધર્મશ્રવણ વનસ્પતિ મોક્ષ દિ-ત્રિ-ચતુરિન્દ્રિય મન:પર્યાય પંચેન્દ્રિયતિર્યંચ) મનુષ્ય વાણુવ્યંતર જ્યોતિષ્ક વૈમાનિક તીર્થકરપદ આ ઉપરથી જણાય છે કે માત્ર નારકી અને વૈમાનિકમાંથી મરી મનુષ્ય થનાર જ તીર્થંકરપદ પામી શકે છે. ચક્રવર્તી પદને યોગ્ય પ્રથમ નરક અને દેવોમાંથી અનન્તર મનુષ્યભવમાં જન્મ લેનાર છે, અન્ય નહિ (૧૪૫૯-૬૩). તે જ પ્રમાણે બલદેવપદ વિષે છે. પરંતુ એમાં વિશેષતા એ કે શર્કરાપ્રભામાંથી પણ જન્મ લેનાર આ પદની યોગ્યતા ધરાવે છે (૧૪૬૪). વાસુદેવપદ વિષે પણ બળદેવ જેમ જ છે, પરંતુ એમાં વિશેષતા એ કે વિમાનિકોમાંના અનુત્તરોપપાતિકમાંથી જન્મ લેનાર વાસુદેવપદ પામતા નથી (૧૪૬૫). માંડલિકપદ માત્ર સાતમી નરક, તેજ અને વાયુમાંથી જન્મ લેનાર પામતા નથી (૧૪૬૬). દશમા રત્નદ્વારમાંની હકીકતને સાર આ પ્રમાણે છે (૧૪૬૭-૬૯)– સેનાપતિ, ગાથાપતિ, વર્ધકિ, પુરોહિત અને સ્ત્રીરત્નપદ માટે સાતમી નરક, તેજ, વાયુ અને અનુત્તરમાંથી આવનાર અયોગ્ય છે. અશ્વ અને હસ્તિરત્નપદ માટે નરકથી માંડી સહસ્ત્રાર દેવલોક સુધીના યોગ્ય છે. અને ચક્ર, છત્ર, ચર્મ, દંડ, અસિ, મણિ, કાકિણ–આ બધાં રત્નો માટે અસુરકુમારથી માંડીને ઈશાન દેવલોકમાંથી આવનાર યોગ્ય છે. રત્નદ્વારને અને અન્ય બાબતો વિશે ચર્ચા છે, જેનો રત્ન સાથે શું સંબંધ છે તેનું સ્પષ્ટીકરણ ટીકાકાર કરતા નથી. આમાં નીચેની વ્યક્તિઓ દેવલોકમાં ક્યાં જાય તેની ચર્ચા છે (૧૪૭૦): ૧. અસંયત ભવ્યદ્રવ્યદેવ ભવનવાસીથી માંડી યક. ૨. સંયમનો અવિરાધક સૌધર્મથી માંડી સર્વાર્થસિદ્ધિ. ૩. સંયમનો વિરાધક ભવનવાસીથી માંડી સૌધર્મ સુધી. આ શબ્દનો શું અર્થ કરવો તેમાં વિવાદ છે. કોઈને મને એનો અર્થ સમ્યગ્દષ્ટિ થાય છે. પરંત આચાર્ય મલયગિરિ એ અર્થને માન્ય કરતા નથી અને તેનો અર્થ મિશ્યાદષ્ટિ છતાં શ્રમણ વેશમાં રહી શ્રમણોની ચર્યાનું પાલન કરનાર ભવ્ય કે અભવ્ય જીવો આવો આપે છે. પ્રજ્ઞા ટી., પત્ર ૪૦૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy