SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ...[<]... એથી માંડી માત્ર ચાર સ્પર્શવાળાનું જ ગ્રહણ થાય છે. અને સમગ્રભાવે જોઈ એ તો નિયમતઃ ચાર સ્પર્શવાળાનું ગ્રહણ થાય છે (૮૭૭[૧૩]). પુદ્ગલો તો સમગ્ર લોકાકાશમાં ભર્યાં પડ્યા છે, પણ આત્મા તો શરીર પ્રમાણ જ છે, તેથી પ્રશ્ન થાય કે તે ગમે ત્યાંથી ભાષાપુદ્ગલોનું ગ્રહણ કરે છે કે નહિ? આનો ખુલાસો પ્રજ્ઞાપનામાં એ છે કે માત્ર સ્પષ્ટ એટલે કે આત્મા સાથે સ્પર્શમાં આવેલા જ પુદ્ગલોનું ગ્રહણ થાય છે, બીજાનું નહિ (૮૭૭ [૧૫]). વળી, આત્માના પ્રદેશોનું અવગાહન આકાશના જેટલા પ્રદેશોમાં હોય તેટલા જ પ્રદેશોમાં રહેલ ભાષાના પુદ્ગલોનું ગ્રહણ થાય છે, અન્યનું નહિં (૮૭૭ [૧૬]). આત્માના તે તે પ્રદેશો વડે ભાષાપુદ્ગલોનું ગ્રહણ થાય છે. આથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તે તે આત્મપ્રદેશથી જે ભાષાપુદ્ગલો નિરંતર હોય—એટલે કે આત્માના તે તે પ્રદેશમાં અવ્યવહિત ભાવે જે ભાષાપુદ્ગલો હોય, તે તે અણુ॰ કે બાદર રૂપે હોય—તેમનું જ ગ્રહણ થાય છે, વ્યહિતનું નહિ (૮૭૭[૧૭–૧૮]). આવાં ગ્રહણ કરાતાં દ્રવ્યો ઊર્ધ્વ, અધઃ કે તિર્યક્ દિશામાં સ્થિત હોય છે. અને આદિ, મધ્ય કે અંતમાં પણ ગ્રહણ કરે છે (૮૭૭ [૧૯–૨૦]). જીવ પોતાના વિષયમાં —પ્રદેશમાં આવેલને = પૃષ્ટાવગાઢ અનન્તરાવગાઢને ગ્રહણ કરે છે અને તે આનુપૂર્વી = ક્રમે = જે આસન્ન હોય તેને યે દિશામાંથી આવેલને ગ્રહણ કરે છે (૮૭૭ [૨૧–૨૩]). આ ભાષાપુદ્ગલોનું ગ્રહણ સાન્તર કે નિરંતર હોય છે, અર્થાત્ ખોલવાનું ચાલુ ન રાખે તો ગ્રહણમાં વ્યવધાન પડે છે તેથી તે સાંતર કહેવાય છે. અને ખોલવાનું અમુક સમય સુધી સતત ચાલુ રાખે તો નિરંતર ગ્રહણ કરવું પડે છે. આમાં સમજવાનું એ છે કે પ્રથમ સમયમાં તો ગ્રહણ જ છે, નિર્ગમ નથી, પણ ખીજા સમયમાં ગ્રહણ અને નિર્ગમ બન્ને સંભવે છે, કારણ કે પ્રથમ સમયમાં ગૃહીત પુદ્ગલોનું દ્વિતીય સમયમાં નિર્ગમન છે અને તૃતીય સમયમાં જેનું નિર્ગમન થવાનું છે તેનું દ્વિતીય સમયમાં ગ્રહણુ છે. આમ વચ્ચેના બધા જ સમયમાં ગ્રહણ અને નિર્ગમન બન્ને થાય છે અને અંતે માત્ર નિર્ગમન છે, ગ્રહણ નથી, તેમ પ્રથમ સમયમાં માત્ર ગ્રહણ છે, નિર્ગમ નથી (૮૭૮–૮૭૯), કારણ કે નિર્ગમ દ્વિતીય સમયથી શરૂ થાય છે. લોકાન્તગમન પ્રથમ એ કહેવાઈ ગયું છે કે ભાષા લોકાન્ત સુધી ગમન કરે છે, તેનો ખુલાસો કરતાં પ્રજ્ઞાપનામાં જણાવ્યું છે કે ગૃહીત પુદ્ગલોનું નિર્ગમન એ રીતે થાય છે : એક તો જે પ્રમાણમાં ગૃહીત કર્યાં હોય તે સર્વ પુદ્ગલોના પિંડનું એમ ને એમ નિ:સરણ થાય છે—અર્થાત્ વક્તા ભાષાવર્ગણાના પુદ્ગલોના પિંડને અખંડ રૂપમાં જ બહાર કાઢે છે. આ પિંડ અમુક યોજન ગયા પછી ધ્વંસ પામે છે, અર્થાત્ તેનું ભાષારૂપ પરિણમન સમાપ્ત થાય છે. પણ જો વક્તા ગૃહીત પુદ્ગલોને ૭. ૮૭૭ [૩] માં માત્ર અનન્તપ્રદેશીનું જ ગ્રહણ થાય છે એમ સ્પષ્ટ કર્યું છે અને અહીં અણુનું પણ ગ્રહણ થાય છે તેમ જણાવ્યું છે. આમાં વરોધ નથી સમજવાનો, કારણ કે પ્રસ્તુતમાં અણુશબ્દનો અર્થ પરમાણુ નથી, પણ અણુ એટલે ઓછા પ્રદેશમાં રહેનાર, અને બાદર એટલે વધારે પ્રદેશમાં રહેનાર એવો છે. ૬૦ ટી, ૨૬૩ ૧. ૮. ૬૦ ૧૦, ૨૫૨ અંતર્મુહૂતકાળ પર્યંત તે પુદ્ગલ ગ્રહણયોગ્ય છે. તેમાં આદિ, મધ્ય કે અંત સમયે તે ગ્રહણ કરે છે, એમ સમજવું, ૯.૬૦ ટી, પત્ર ૨૬૪ માં વિશેષાવશ્યકભાષ્ય (ગા૦ ૩૭૧) ને આધારે સ્પષ્ટ કર્યું છે કે એક જ સમયમાં એ ક્રિયાનો વિરોધ નથી; માત્ર એ ઉપયોગનો વિરોધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy