SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ [૮૪]... રસ્થાન વિષે ચરમાદિ પરિમંડલ આદિ પાંચ સંસ્થાન (૭૮૧), તેના પ્રભેદો (૭૯૨), તેના પ્રદેશો (૭૮૩), તેની અવગાહના (૭૯૪) અને તેના ચરમાદિ (૩૯૭)નો ક્રમે વિચાર કરવામાં આવ્યો છે અને છેવટે અત્પબહુત પણ નક્કી કરવામાં આવ્યું છે (૮૦૨-૮૦૬), તેનો સાર નીચે પ્રમાણે છે – સંસ્થાનો પાંચ છે : પરિમંડલ, વૃત્ત, ચર્સ, ચતુરસ્ત્ર અને આયત (૭૯૧). એ બધાં સંસ્થાનોમાંનાં પ્રત્યેક અનંત છે (૭૯૨); અને સંખ્યાત અસંખ્યાત અથવા અનંતપ્રદેશ છે (૭૯૩) અને સંખ્યાતપ્રદેશી સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ છે, અસંખ્યાતપ્રદેશી સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ છે અને અનંતપ્રદેશી પણ સંખ્યાત અથવા અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ છે. (૭૯૪-૭૯૬). સંસ્થાનોમાં ચરમાદિ વિચારમાં પૂર્વોક્ત (૭૫) જેમ છ વિકલ્પો કરીને તેનો નિષેધ તે જ પ્રમાણે કરવામાં આવ્યો છે અને વિધિ પણ પૂર્વવત (૭૭૫) છે (૭૯–૮૦૧). આનો ખુલાસો કરવામાં આવ્યો જ છે એટલે અહીં તેનું પુનરાવર્તન જરૂરી નથી. અલ્પબહુત્વનો વિચાર પણ રત્નપ્રભાને (૭૭૭) અનુસરતો જ છે (૮૦૨-૮૦૬), તેથી તે વિષે પણ વિશેષ લખવું જરૂરી નથી; પણ એક વિશેષતા છે, તે છે–જવરં સં મતગુIP (૮૦૫, ૮૦૬); આનું સ્પષ્ટીકરણ ટીકાકાર કરે છે કે જ્યારે ક્ષેત્રવિચારમાંથી દ્રવ્યવિચારમાં સંક્રમણ થાય ત્યારે “અનન્તગુણ”નું વિધાન કરવું, તે આ પ્રમાણે– ૧. અચરમ સર્વસ્તીક છે; ૨. તેથી ક્ષેત્રની અપેક્ષાએ ચરમો અસંખ્યાતગુણ છે; ૩. પણ દ્રવ્યની અપેક્ષાએ ચરમો અનંતગુણ છે. અને ૪. અચરમ- ચરમો તેથી વિશેષાધિક છે. પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૨૪૪ વ. જીવો વિષે ચરમાદિ નારકાદિ ચોવીશ દંડકના જીવોનો, સંગ્રહણગાથામાં જણાવ્યા પ્રમાણે (૮૨૯), ગત્યાદિ અગિયાર અપેક્ષાએ ચરમાદિનો વિચાર કરવામાં આવ્યો છે (૮૦૭-૮૨૯), જેમ કે ગતિની અપેક્ષાએ ચરમ એ કહેવાય જે હવે અન્ય કોઈ ગતિમાં જવાનો નથી, મનુષ્યગતિમાંથી સીધો મોક્ષમાં જવાનો છે. પણ મનુષ્યમાંથી કાંઈ બધા મોક્ષમાં જવાના નથી તેથી જેના ભવ હજી બાકી હોય તે બધા જીવો ગતિની અપેક્ષાએ અચરમ કહેવાય. આ પ્રમાણે સ્થિતિ આદિની અપેક્ષાએ પણ જીવોને ચરાચરમવિચાર પ્રસ્તુતમાં કરવામાં આવ્યો છે. અગિયારમું “ભાષાપદ: ભાષાવિચારણા અગિયામું ભાષાપદ ભાષાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, એ ક્યાં રહે છે, તેની આકૃતિ કેવી છે, એ તથા તેનું સ્વરૂપ તથા ભેદો અને તેને બોલનાર ઇત્યાદિ અનેક મહત્વના પ્રશ્નો ચર્ચ છે. અનેક ઠેકાણે થયેલ ભાષાવિચારના એકત્ર સંગ્રહરૂપે હોય એમ જણાય છે. આ ભાષાવિચારને સરળતાથી સમજાવવા માટે સૂત્રો તેના ક્રમને બદલે વ્યુત્કમમાં લેવાં પડ્યાં છે, તેની વાચક નોંધ લે. ૫. સંસ્થાનો પાંચ છે તે પૂર્વગત સૂત્ર ૬ થી પણ ફલિત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy