SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪].... વ્યાખ્યાની મૂળભૂત વ્યાખ્યા છે. એ વ્યાખ્યામાં જે નિષ્ણાત થાય તે સર્વ શાસ્ત્રોની વ્યાખ્યામાં નિષ્ણાત થાય. શાસ્ત્રની વ્યાખ્યાના કે વાચનાના પ્રારંભમાં નંદી એટલે કે પાંચ જ્ઞાનનો ઉલ્લેખ અને તે તે શાસ્ત્રનો પાંચમાંના શ્રુતજ્ઞાન સાથે સંબંધ દર્શાવવાની પ્રથાનું અનુયોગદ્વાર સૂત્ર પણ સમર્થન કરે છે. આગમો ઉપર વ્યાખ્યા કરતો સૌથી પ્રાચીન ગ્રંથ કોઈ હોય તો તે અનુયોગદ્વાર સૂત્ર છે. અને તેમાં સર્વપ્રથમ આવશ્યકસૂત્રની વ્યાખ્યા કરવામાં આવી છે. છતાં તેને આગમ ગ્રંથોમાં સ્થાન આપવામાં આવ્યું છે, તે એની વિશેષતા છે. એ અનુયોગઠારનો પ્રારંભિક ભાગ આચાર્ય જિનભગણિના ઉક્ત વચનને પુષ્ટિ આપે જ છે, ઉપરાંત શાસ્ત્ર અને નંદીના સંબંધનું પ્રસ્તુત ચર્ચામાં ઉપયોગી એવું પ્રમાણ પણ તે ઉપસ્થિત કરે છે; એટલું જ નહિ પણ આ ગ્રંથમાં આપવામાં આવેલ યોગનંદીના રૂપનું પણ તે સમર્થન કરે છે. આમ એ વસ્તુ સિદ્ધ છે કે વાચનાના પ્રારંભમાં નંદીને સ્થાન છે અને તે મંગળ રૂપે હોવા ઉપરાંત જ્ઞાન સાથેના શાસ્ત્રના સંબંધને પણ દર્શાવી આપે છે. વાચનાનો પ્રારંભ નંદીથી કેમ થાય છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે નંદી એ ભાવમંગલ તો છે જ, ઉપરાંત ભાવમંગલમાં પાંચ જ્ઞાનનું સ્થાન છે. અને આગમ કે શ્રત એ પણ પાંચજ્ઞાનમાંનું જ એક જ્ઞાન છે. આથી જે તે આગમની વાચના પ્રસંગે સંબંધ બતાવવામાં આવે કે પ્રસ્તુત આગમનો સંબંધ પાંચજ્ઞાનોમાંના શ્રુતજ્ઞાન સાથે છે. આ પ્રકારે નંદીનો સંબંધ છે તે આગમ સાથે જોડાઈ જાય છે. આથી નંદીથી વાચનાની શરૂઆત થાય તે સ્વાભાવિક છે. આ વસ્તુ ધ્યાનમાં લઈને અમારી યોજનામાં અમે પણ નંદીને પ્રથમ ભાગમાં સ્થાન આપ્યું છે તે વ્યાજબી ઠરે છે. નંદીસૂત્ર અનુજ્ઞા અને યોગ નંદીસૂત્રો પ્રસ્તુત ભાગમાં શ્રીદેવવાચકવિરચિત નંદીસૂત્ર, લઘુનંદી, જે અનુસ્નાનંદી તરીકે પણ ઓળખાય છે, તે અને યોગનંદી–એ ત્રણ પ્રકારનાં નંદીસત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે એ ત્રણે વિષેની કેટલીક માહિતી આપવી જરૂરી છે. શ્રી દેવવાચકકૃત નંદી વિષે તો આગળ વિશેષ ચર્ચા થશે એટલે પ્રસ્તુતમાં શેષ બે વિષે થોડું કહેવું છે. અનુજ્ઞાનંદીમાંના અનુજ્ઞા શબ્દનો અર્થ આજ્ઞા, રજા પરવાનગી, અધિકારદાન, મંજૂરી ઇત્યાદિ છે. સામાન્ય રીતે ગુરુ પોતાના શિષ્યને કોઈ પણ બાબતમાં અનુજ્ઞા આપે તે અનુજ્ઞા કહેવાય છે. પ્રસ્તુતમાં અનુજ્ઞાનંદીને નામે જે પાઠ આપવામાં આવ્યો છે તે લઘુનંદી એવા નામે પણ ઓળખાય છે છતાં એમ સમજવાનું નથી કે તે નંદીસૂત્રનો સંક્ષેપ છે. આ વસ્તુને અનુજ્ઞાનંદીને પ્રસ્તુતમાં આપેલ પાઠ જ સિદ્ધ કરે છે. અહીં આપેલ અનુજ્ઞાનંદી કે લઘુનંદીના પાઠનો ઉપયોગ, આચાર્ય જ્યારે પોતાના શિષ્યને ગણધારણ કરવાની અથવા તો આચાર્ય બનવાની અનુજ્ઞા–રજા–પરવાનગી આપે છે, ત્યારે હોય છે. એ કાર્ય મંગળરૂપ હોઈ તેને અનુજ્ઞાનંદી એવું સાર્થક નામ આપવામાં આવ્યું છે. એટલે પાંચજ્ઞાનરૂપ નંદી સાથે તેનો સીધો સંબંધ છે જ, તેથી તેને નંદીસૂત્રથી જુદું કરવા લઘુનંદી કે અનુજ્ઞાનંદી નામે ઓળખાવવામાં આવે તો કાંઈ અયુક્ત નથી. ५. “ सव्वाणुयोगमूलं भासं सामाश्यरस सोतूणं । હોલિ રિવામિથમતી નોનો હેતyોનસ ” એજન, ગાથા ૩૬૦૩. ૬. એજન, ગાથા ૭૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy