SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૩]... નંદીસૂત્ર પ્રથમ સ્થાન કેમ? પ્રસ્તુત પુસ્તકમાં જ નહિ પણ આગમ-પ્રકાશનની સમગ્ર યોજનામાં પાંચ જ્ઞાનને વર્ણવતા નદીને પ્રથમ ભાગમાં લેવાનું નકકી કરવામાં આવ્યું છે, તેનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. નંદી એ અંગબાહ્ય ગ્રંથ છે અને તેનું સ્થાન અંગ પછી જ હોય તે સ્વાભાવિક છે. પણ અહીં તેને જે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે તે તેના સમગ્ર આગમોમાં વિશિષ્ટ સ્થાનને લીધે છે. આગમવાચનાના પ્રારંભમાં મંગલાચરણનું સ્થાન નંદી ધરાવે છે. તેથી અમે પણ પ્રસ્તુત સમગ્ર આગમ-પ્રકાશન યોજનામાં મંગલાચરણરૂપ નન્દીને પ્રથમ સ્થાન આપ્યું છે. આચાર્ય જિનભદ્રગણિસમક્ષ એક સમસ્યા હતી કે પાંચનમસ્કાર રૂપ મંગલ અને પાંચજ્ઞાનાત્મક મંદીરૂપ મંગલ એ બે મંગલોમાંથી પ્રથમ કોની વ્યાખ્યા કરવી. આચાર્ય જિનભદ્ર પ્રથમ પાંચજ્ઞાનરૂપ નંદીની વ્યાખ્યા કરી અને તેમ કરવામાં સ્પષ્ટીકરણ કર્યું કે નમસ્કારરૂપ મંગલ તો સ્વયં આવશ્યકશ્રુતસ્કંધનો એક ભાગ છે. કારણ કે તે સર્વશ્રુતાત્યંતર છે. અને તે સર્વશ્રેતાત્યંતર છે એમ શાથી માનવું? તો તેનો ઉત્તર આપ્યો કે નંદીમાં જ્યાં સર્વે મુતની ગણતરી કરવામાં આવી છે ત્યાં સૂત્રરૂપ છતાં તેને પૃથ શ્રુતસ્કંધ ગણવામાં આવ્યું નથી, અને તે સર્વમંગલોમાં પ્રથમ મંગલ હોઈ બધાં જે વિશેષ સત્રોની આદિમાં તેનું સ્થાન છે જ. એટલે તે તે વિશેષ સૂત્રની વ્યાખ્યા પ્રસંગે તેની વ્યાખ્યાનો અવસર આવવાનું જ છે. પ્રસ્તુતમાં સામાયિકસૂત્રની વ્યાખ્યા પ્રસંગે તેની વ્યાખ્યા થશે જ. આથી પ્રથમ પાંચ નમસ્કાર રૂ૫ મંગલની વ્યાખ્યા ન કરતાં આચાર્ય જિનભદ્ર પાંચજ્ઞાનરૂપ નંદીની વ્યાખ્યા પ્રથમ કરે છે; પણ સાથે જ તેઓ ખુલાસો કરે છે કે નંદીરૂપ પાંચજ્ઞાનનો નિર્દેશ મંગલ માટે આવશ્યક છતાં બધી જ વ્યાખ્યા પ્રસંગે, પ્રસ્તુતની જેમ, નિંદીની વ્યાખ્યા કરવી અનિવાર્ય નથી; તે વૈકલ્પિક છે. વળી, તે પૃથ શ્રુતસ્કંધ પણ છે તેથી પ્રસ્તુતમાં પણ તેની વ્યાખ્યા અનિવાર્ય નથી, પણ શિધ્યહિતાર્થે કરવામાં આવે તો કોઈ વાંધો પણ નથી. આચાર્ય જિનભદ્રને મતે સામાયિકઆવશ્યકની વ્યાખ્યા એ સર્વાનુયોગ = સર્વશાસ્ત્રોની १. “आईय नमोकारो जइ पच्छाऽऽवासयं ततो पुव्वं । तस्स भणितेऽणुयोगे जुत्तो आवासयरस ततो॥" विशेषावश्यकभाष्य, गा०-८. २. “सो सव्वसुतक्खंधभंतरभूतो जो ततो तस्स । માવાયાનુયોગારિજાહિતોgયો વિ ” એજન, ગાથા . ૩. “તરણ પુળો સવાર મંતરતા પદમભંગાણા / 1 = ળ ઉષો પૂઢિsના નંઢી તો સુતક ” એજન, ગાથા ૧૦. ૪. “org iઢીવાળે મતિમાં ઘઉં તો સંw | भण्णति अकते संका तस्साणियमं च दाएति ॥ . णाणाभिधाणमेत्तं मंगलमिटुं ण तीय वक्खाणं । इधमत्थाणे जुज्जति जं सा वीसु सुतक्खंघो॥ इध साणुग्गहमुदितं ण तु णियमोऽयमधवाऽववातोऽयं । તાતિ વયાપ વતાર પુરિસાવવવાદ એજન, ગાથા ૮૪૪-૪૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy