SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૧]. સમય ભગવાન મહાવીર પછી એક હજાર વર્ષ માનવાને બદલે એમ માનવું ઉચિત છે કે એવા ઉલ્લેખો બાદમાં ઉમેરવામાં આવ્યા. ભાષાને આધારે પણુ ગ્રંથનો સમય નક્કી કરવા જતાં મોટો ભ્રમ ઊભો થવા સંભવ છે. કારણ અંગગ્રંથોની ભાષા પ્રાકૃત છે. અને પ્રાકૃતભાષાની પ્રકૃતિ જ પરિવર્તનશીલ છે. એ દૃષ્ટિએ આચાર્યોએ–ખાસ કરી ટીકાકારોએ—એ ભાષાને પોતાના સમયની રૂઢ પ્રાકૃતમાં મૂકી દેવા પ્રયત્ન કર્યો છે. પણ આથી કાંઈ સમગ્રભાવે ગ્રંથ નવો નથી બની જતો. એની ભાષાનાં પ્રાકૃત રૂપ બદલાઈ ગયાં એટલું જ. આ દૃષ્ટિએ જોતાં સમયનિર્ણયમાં ભાષાને ગૌણ રાખવી જોઈએ અને જે વસ્તુ છે તે કેટલી પ્રાચીન છે એ ઉપર વિશેષ લક્ષ આપવું જોઈએ. આ દૃષ્ટિએ જોઈએ તો અંગોનો સમય સમગ્રભાવે ઈ. પૂર્વ ત્રીજી શતાબ્દી પૂર્વનો છે એમ માનવું જોઈએ. આમાં એક અપવાદ પ્રમવ્યાકરણનો છે. પ્રશ્નવ્યાકરણનો સમવાયાંગ અને નંદીમાં જે પરિચય અપાયો છે તેથી જુદું જ પ્રશ્નવ્યાકરણ આજે ઉપલબ્ધ છે. આથી તે વલભીવાચના પછી ક્યારે નવું બન્યું અગર જુદી જ વસ્તુને પ્રશ્નવ્યાકરણ રૂપે ક્યારે ગોઠવી દેવામાં આવી એ જાણવાનું સાધન નથી. છતાં પણ એમ કહી શકાય કે તે અભયદેવ (વિ. ૧૨ મી શતી) પહેલાં તો બની ગયું હશે, કારણ, તેમણે તેની ટીકા લખી છે. ઉપાંગોમાંનાં અમુક શાસ્ત્રોનો સમય તો તેના કર્તાને આધારે નિશ્ચિત થઈ જ શકે છે; જેમકે પ્રજ્ઞાપનાના કર્તા શ્યામાચાર્ય છે. અને તે જ નિગોદ વ્યાખ્યાતા કાલકાચાર્ય છે. તેઓ વીરનિર્વાણું ૩૩૫ માં યુગપ્રધાન થયા અને ૩૭૬ સુધી યુગપ્રધાનપદે રહ્યા. આથી પ્રજ્ઞાપના એ વીરનિર્વાણ ૩૩૫-૩૭૬ ના વચલા ગાળાની રચના માનવી જોઈએ. એટલે કે તેને પણ વિક્રમપૂર્વ ૧૩૫-૯૪ના વચલા ગાળાની કૃતિ માની શકાય. ઉપાંગોમાં સમાવિષ્ટ થતાં ચંદ્રપ્રાપ્તિ અને સુર્યપ્રાપ્તિને દિગંબરો કરણાનુયોગમાં સ્વીકારે છે, અને વળી, દૃષ્ટિવાદના પરિકર્મમાં પણ તેનો સમાવેશ કરે છે. નંદીસૂત્રની આગમસૂચીમાં પણ એમનો ઉલ્લેખ છે. આ દષ્ટિએ એ બંને ગ્રંથો પ્રાચીન હોવા જોઈએ. અને તે પણ તાંબરદિગબર ભેદ પહેલાંના. આથી તેમનો સમય પણ ઈસવીસન પૂર્વનો માનીએ તો આપત્તિજનક લેખાવો ન જોઈએ. તેનું એક વિશેષ કારણ એ પણ છે કે એ ગ્રંથગત જ્યોતિષનો વિષય એ પ્રાચીન વૈદિક પરંપરાને અનુસરતો છે. આથી પણ તે ગ્રંથો પ્રાચીન છે એમ માનવું જોઈએ. ચંદ્રપ્રાપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિનો ઉપલબ્ધ પાઠ એક જ છે છતાં આ બે ગ્રંથો પૃથ કેમ થયા? તેનું સ્પષ્ટીકરણ ટીકાકાર પણ આપતા નથી. ઉપાંગોમાંના નિરયાવલી આદિ પાંચ વિષે એમ કહી શકાય કે મૂળે તે પાંચ જ ઉપાંગો ગણાતાં અને શેષનો ઉપાંગ તરીકે ઉલ્લેખ સ્વયે આગમ જેટલો જૂનો નથી. આ દૃષ્ટિએ એ પાંચેય આરાતીય-તીર્થંકરના નિકટવર્તી–આચાર્યોની રચના હોવાનો વધારે સંભવ છે. આ દષ્ટિએ તેમનો સમય ભગવાન મહાવીરના નિર્વાણ પછી બસો વર્ષની અંદર જ મુકાવો જોઈએ. એ સૂત્રોને કાલિક ગણવામાં આવ્યાં છે. તે પણ તેની પ્રાચીનતા સૂચવે છે. જંબુદ્દીપપ્રજ્ઞપ્તિને પણ નંદીની કાલિકસૂચિમાં સ્થાન મળ્યું છે. અને દિગંબરોએ તેને દૃષ્ટિવાદના પરિકર્મમાં પણ સમાવિષ્ટ કર્યું છે. આ દૃષ્ટિએ તેનો સમય પણ શ્વેતાંબર-દિગંબર મતભેદ પહેલાં જ હોવો જોઈએ. રાજપક્ષીય સૂત્રની વસ્તુ તો દીધનિકાયના પાયાસીસુત્ત જેવી જ છે. આ દષ્ટિએ વિચાર કરીએ તો, અને તેમાં આવતા કેશી શ્રમણ, અને ગૌતમ સાથે વિવાદ કરનાર કેશી શ્રમણ જે એક હોય તો, એમ કહી શકાય કે આ સૂત્રની રચના પણ આરાતીય આચાર્યોમાંથી જ કોઈએ કરી હશે. એ દૃષ્ટિએ તેને પણ દશવૈકાલિકના સમય જેટલું જૂનું માનવું જોઈએ. એટલે કે તે વિક્રમપૂર્વ ચોથી શતીથી અર્વાચીન તો ન જ હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy