SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૨૦]... નાગાર્જુનની અધ્યક્ષતામાં, એ ઉપરથી જણાય છે કે શ્રુતમાં અવ્યવસ્થા થઈ ગઈ હતી, તેમાં વ્યવસ્થા લાવવા માટે આ વાચનાઓ કરવામાં આવી છે. પણ વિદ્વાનોનું ધ્યાન એક વસ્તુ તરફ દોરવું આવશ્યક છે. અને તે એ કે આ વાચનાઓમાંની પ્રથમ વાચન કેવળ બાર અંગને વ્યવસ્થિત કરવા–ખાસ કરી બારમા અંગને વ્યવસ્થિત કરવા–ોજવામાં આવી હતી. અંગબાહ્ય ગ્રંથોમાં અવ્યવસ્થા ઊભી થઈ હતી એવું આ વાચના પ્રસંગમાં નિર્દિષ્ટ નથી. એથી માનવું રહ્યું કે એ સમય સુધીમાં જે અંગબાહ્ય ગ્રંથોની રચના થઈ હશે—જેવાં કે દશવૈકાલિક આદિ–તેમાં અવ્યવસ્થા થઈ હતી એમ માનવાને કશું જ કારણ નથી. અને બીજી વાચનામાં પણ જે મૃત વ્યવસ્થિત કરવામાં આવ્યું છે તેને કાલિક એવી સંજ્ઞા આપવામાં આવી છે. કાલિકમાં મૂળે તો દ્વાદશાંગી જ ગણાતી એટલે એ પણ અંગની જ વાચના હતી. આચાર્ય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના પુસ્તકલેખનમાં તો અંતિમ વાચનાને પરિણામે જે વ્યવસ્થા થઈ તે સ્વીકારીને જ લેખન થયું છે. વસ્તુસ્થિતિ આવી છતાં આગમના સમયની ચર્ચામાં વિદ્વાનો આ મુદ્દાને ભૂલીને બધા જ આગમો આચાર્ય દેવદ્ધિગણિના સમયમાં વ્યવસ્થિત થયા તેથી તેમનો અંતિમ અવધિ એ છે એમ સામાન્ય રીતે નિર્દેશે છે તે ઉચિત નથી. સારાંશ એ છે કે સમયની ચર્ચામાં અંગબાહ્યને બાદ રાખીને જ ચર્ચા કરવી જોઈએ. અંગબાહ્યમાંથી જેના વિષે તેના કર્તાનો સમય મળી શકતો હોય અગર જ્યારથી તેનો ઉલ્લેખ મળતો હોય ત્યારે પહેલાંના તે છે એમ સ્પષ્ટપણે સ્વીકારવું જ જોઈએ અને તેમાં ઉમેરો થયા હોય તો તે ઉમેરાનો સમય બીજે હોય, પણ મૂળ ગ્રંથનો તો તે જ સમયે માનવો જોઈએ જ્યારે તે તે ગ્રંથ બન્યો હોય. . અંગગ્રંથો ગણધરકત મનાય છે, પણ તેમાં સમયે સમયે ઉમેરા થયા છે. તે ઉમેરીને બાદ રાખીએ તો તેનો સમય મહાવીરસમકાલીન છે એટલે કે મહાવીરનો ઉપદેશ વિક્રમપૂર્વ ૫૦૦ માં શરૂ થઈ ગયો હતો. તેમણે એ ઉપદેશ ૩૦ વર્ષ સુધી આપ્યો. ત્યારપછી ૧૨ વર્ષ ગૌતમનાં અને ૧૨ વર્ષ સુધર્મનાં છે. એ બધાંને ગણીએ તો પણ ૫૦-૬૦ વર્ષ બીજ જાય. આમ અંગરચનાની સંપૂર્તિ વિક્રમપૂર્વ ૪૫૦ આસપાસ થઈ ગઈ હશે એમ માનવું જોઈએ. અને તેને અંતિમરૂપ પાટલિપુત્રની વાચનામાં મળ્યું હોય તો તેમાં પણ કાંઈ અસંભવ નથી. એ દષ્ટિએ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનો સમય જે આપણે વિક્રમપૂર્વ ૩૦૦ મૂકીએ તો અસંગત નહિ ગણાય. આચારાંગનાં ભાષા અને ભાવ એ બન્ને તો એ વાતની સાક્ષી આપે જ છે કે તે ભગવાન મહાવીરના ઉપદેશની અત્યંત નિકટ છે. આ દૃષ્ટિએ પણ આ સૂચવેલ સમય અમાન્ય કરવાને કશું જ કારણ જણાતું નથી. આચારાંગનો દ્વિતીય શ્રુતસ્કંધ તેમાં પાછળથી જોડાયો છે એ હકીકત નિર્યુક્તિમાં રવીકૃત છે. અને તે કોઈ સ્થવિરની રચના છે. આ દૃષ્ટિએ તેનો પણ અંતિમ અવધિ આપણે ભદ્રબાહુ સુધીનો રાખીએ તોપણ વીર નિર્વાણ પછી ૧૬૦ સુધીમાં તે પણ ઉમેરાઈ ગયું હશે; વિક્રમપૂર્વ ૨૦૦ થી આ તરફ તો કોઈ પણ હાલતમાં મૂકી શકાય નહિ. શેષ અંગોમાં પણ યત્રતત્ર સુધારાવધારા થયા હશે પણ તેથી તેમનો સમય વલભીવાચના જેટલો મૂકવો તે કોઈ પણ રીતે ઉચિત નથી અર્થાત વલભીવાના પૂર્વેનો છે. સ્થાનાંગ જેવા અંગમાં, તેની વિશિષ્ટ રચનાને કારણે, ભગવાન મહાવીર પછીનાં ૬૦૦ વર્ષે ઘટેલી ઘટનાનો ઉલ્લેખ આવે તે ઉપરથી તે અંગ સમગ્રભાવે ત્યારપછી જ બન્યું એમ માનવાને બદલે એ ઘટનાનો ઉલ્લેખ માત્ર પછી તેમાં જોડી દેવામાં આવ્યો એમ જ માનવું જોઈએ. વળી, ભગવતીમાં ભગવાન મહાવીર પછી હજાર વર્ષ પૂર્વોનો ઉચ્છેદ થશે–એવો નિર્દેશ આવે એ ઉપરથી ભગવતીનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy