SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨]... શોધ હતી કે પરંપરાથી પ્રાપ્ત સામગ્રીને આધારે જ તેમણે ઉપદેશ આપ્યો. ભગવાન મહાવીરનો બુદ્ધની જેમ એવો દાવો નથી કે આ જે કાંઈ હું કહું છું તે મારી જ શોધ છે અને કોઈ અપૂર્વ વાત છે. સંસારચક્રને માનનાર અને અનાદિ સૃષ્ટિક્રમને માનનાર મહાવીર પોતાના ઉપદેશને વિષે સ્પષ્ટ કહે છે કે મેં આ જે અહિંસાનો ઉપદેશ આપ્યો છે તે કેવળ મેં જ આપ્યો છે એવું નથી, પણ મારા પૂર્વે અનેક અહંતોએ આપ્યો છે. વર્તમાનમાં અનેક અહેતો આપે છે અને ભવિષ્યમાં પણ અનેક અહંતો આપશે. આમ એ વિદ્યાને તેઓ અનાદિઅનંત સૂચવે છે. આમ વેદની અપૌરુષેયતા અને અંગ આગમની અનાદિતા એક જ થઈ જાય છે. અંગોમાં એવા સ્પષ્ટ ઉલ્લેખો મળે છે, જેમાં પોતાની વાતના સમર્થનમાં ભગવાન મહાવીર ભગવાન પાર્વે પણ આમ જ કહ્યું છે, એમ સ્પષ્ટ જણાવે છે. વળી, એવાં કેટલાંક અધ્યયનો છે, જેને વિષે કહેવામાં આવ્યું છે કે આ ઋષભે કહ્યું છે, આ કપિલ ઋષિએ કહ્યું છે. આથી એટલું તે ફલિત થઈ જ શકે છે કે ભગવાન મહાવીરે ચાલી આવતી પ્રાચીન પરંપરાને, સમયાનુકુલ પરિવર્તન અને પરિવર્ધન કરીને લોકો સમક્ષ રજૂ કરી. - હવે એ વિચારીએ કે જે પારંપર્ય ભગવાન મહાવીરને મળ્યું તે વૈદિક એટલે કે બ્રાહ્મણપરંપરાનું હતું કે શ્રમણ પરંપરાનું હતું? ભારતીય વાડ્મયમાં અહિંસા આદિ સાર્વભૌમ તત્ત્વોની જે મીમાંસા અંગગ્રંથોમાં થયેલી છે તે જોતાં અને તેવી મીમાંસાનો વેદ-બ્રાહ્મણ ગ્રન્થોમાં અભાવ જોતાં એમ જરૂર કહી શકાય કે આચારની બાબતમાં તેમનો વારસો એ વૈદિક પરંપરાનો નથી. જેકોબી વગેરેએ એક સમયે એમ માનેલું કે આચારાંગ આદિમાં આવતા આચારના નિયમોનો આધાર વૈદિક ધર્મશાસ્ત્રો-સૂત્રગ્રંથો છે. પણ, આ વસ્તુનો સમગ્રભાવે વિચાર કરતાં હવે અદ્યતન વિદ્વાનો એ મતથી વિરુદ્ધ મત ધરાવે છે. અને ડૉ. દાંડેકર જેવા સ્પષ્ટપણે સ્વીકારતા થઈ ગયા છે કે સ્વયં ધર્મગ્રન્યો–સૂત્રગ્રન્થોમાં નિરૂપિત થયેલ સમગ્ર જીવનવ્યાપી તવ મૂળે વૈદિક પરંપરાનું નથી, પણ શ્રમણની અસરથી વૈદિક પરંપરામાં લેવામાં આવ્યું છે. આ રીતે કહી શકાય કે, અંગ પ્રન્થોમાં જે આચારની વિચારણું છે, તે શ્રમણ પરંપરાની છે, નહિ કે વૈદિક પરંપરાની. હવે ભગવાન મહાવીરની દાર્શનિક વિચારધારાનું પારંપર્ય તેમને કઈ પરંપરામાંથી મળ્યું એ વિષે વિચારીએ. આ બાબતમાં પણ મહાવીર પૂર્વેની વૈદિક વિચારધારા સ્પષ્ટપણે સૃષ્ટિપ્રક્રિયામાં માને છે; એટલે કે ક્યારેક પણ આ સૃષ્ટિ કોઈ એક તત્ત્વમાંથી ઉત્પન્ન થઈ એમ રવીકારે છે; જ્યારે, આથી ઊલટું, જૈન આગમ સ્પષ્ટપણે માને છે કે આ સૃષ્ટિ કદી ઉત્પન્ન થઈ છે એમ નથી, એ તો અનાદિ-અનંત છે. વળી, મહાવીર પૂર્વેની વૈદિક પરંપરા જગતના મૂળમાં એક જ તત્વ માને છે, જ્યારે ભગવાન મહાવીરને મત જગત જીવ અને જડ એ બે તત્વોનો વિસ્તાર છે. એ તો પણ અનાદિ-અનંત છે. આમ દાર્શનિક દષ્ટિનો પણ બન્નેમાં મૌલિક ભેદ છે. એટલે અંગ ગ્રંથોનું દર્શન વેદને આધારે નિપન્ન થયું છે, એમ કહી શકાય નહિ. આથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે મહાવીરની દાર્શનિક વિચારધારાનું પારંપર્ય બ્રાહ્મણ પરંપરા સાથે નહિ પણ શ્રમણ પરંપરા સાથે સંબદ્ધ છે. રચના-પ્રદેશ ભગવાન મહાવીરના ઉપદેશને આધાર બનાવીને સમગ્ર આગમોની રચના થઈ છે. ભગવાન મહાવીરે પ્રથમ સફળ ઉપદેશ શ્વેતાંબરોને મતે અપાપા-પાવાપુરીમાં અને દિગંબરોને મતે * જુઓ ઉત લેખ, પૃ૦ ૫૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy