SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ...[]... ‘ાધવમ્ માનિયન – અવનુષ્યમાનઃ ’–‘ લઘુતાને જાણતો ’; વ્યવહાર ભાષ્યમાં (ગા૦ ૨૦૧થી) આગમ વ્યવહાર વર્ણવતાં આગમના બે ભેદ પ્રત્યક્ષ અને પરોક્ષ એવા કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષમાં કેવલ, મન:પર્યય, અવધિ અને ઇન્દ્રિયપ્રત્યક્ષનો અને પરોક્ષમાં ચતુર્દશ પૂર્વ અને તેથી ન્યૂન શ્રુતજ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરથી કહી શકાય કે સાક્ષાત્ જ્ઞાન એ આગમ છે. અને તે ઉપરાંત સાક્ષાત્ જ્ઞાનને આધારે થયેલ ઉપદેશ અને તેથી થતું નાન એ પણ આગમ છે. અહીં વિશેષ એ છે કે પ્રત્યક્ષ આગમમાંથી કેવલજ્ઞાનને આધારે અરિહંત દ્વારા થયેલ જે ઉપદેશ હોય તેનો જ મુખ્યરૂપે સમાવેશ પરોક્ષ આગમમાં કરવાનો છે. આ પરોક્ષ આગમ અલૌકિક આગમ અથવા શાસ્ત્ર યા શ્રુત કોટિમાં આવે, પણ લોકમાં લૌકિક આગમ પણ છે; તેમાં ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી થતા ઉપદેશને આધારે થતું જ્ઞાન પણ આગમ કહેવાય છે. તેને જૈન દૃષ્ટિએ લૌકિક આગમ કહેવાય. ઉપચારથી કૈવલજ્ઞાતીના અથવા અન્ય ઉપદેશાના વચનને અને તેવાં વચનો જે શાસ્ત્રમાં સંગ્રહાયાં હોય એ શાસ્ત્રને પણ આગમ સંજ્ઞા આપવામાં આવી છે. અનુયોગદ્વારમાં ‘ આગમ ’ શબ્દ સ્પષ્ટ રૂપે શાસ્ત્રના અર્થમાં વપરાયેલો જોવા મળે છે. તેમાં જીવના જ્ઞાનગુણુરૂપ પ્રમાણના ચાર ભેદ કરવામાં આવ્યા છે : પ્રત્યક્ષ, અનુમાન, ઔપમ્ય અને આગમ'. આ જોતાં તે જ્ઞાન અર્થમાં જ અભિપ્રેત છે એ સ્પષ્ટ છે. પણ જ્યારે આગમ એ શું છે એ પ્રશ્નનો ઉત્તર આપ્યો ત્યારે ભારત, રામાયણ, યાવત્ સાંગોપાંગ વેદોને લૌકિક આગમ કહ્યા. અને સર્વજ્ઞ સર્વદર્શી ત્રિકાલજ્ઞાની અરિહંત ભગવાન દ્વારા પ્રણીત દ્વાદશાંગ ગણિપિટક—આચારથી માંડીને દૃષ્ટિવાદ સુધી—તે લોકોત્તર આગમ કહ્યા. આ ઉપરથી સ્પષ્ટ છે કે અહીં આગમ શબ્દ તેના ઔપચારિક અર્થમાં છે. અર્થાત્ આગમજ્ઞાનનાં સાધનોને આગમ કહેવામાં આવ્યા છે. વળી, ‘ અથવા ' કહીને આગમનું એક બીજું પણ વિવરણુ આપવામાં આવ્યું છે કે આગમ ત્રણ પ્રકારનો છે : સુત્તમ, અસ્થાપન, તનુમવાામ. આ ઉપરથી પણ સૂત્રશાસ્ત્ર અને તેનો અર્થ = જ્ઞાન એ બન્ને અર્થમાં આગમ શબ્દ પ્રસિદ્ધ હતો એ સિદ્ધ થાય છે. વળી, આગમના એક અન્ય પ્રકારથી ભેદો બતાવવામાં આવ્યા છે; જેમ કે અજ્ઞાન = આત્માગમ, અનંતરામ == અનન્તરાગમ અને પરંપરામ`. આપણે જાણીએ છીએ કે આગમ એ પ્રકારના છે. અર્થરૂપ અને સૂત્રરૂપ. એથી તીર્થંકર, જેઓને અર્થનો સાક્ષાત્કાર છે અને જેઓ તે અર્થનો ઉપદેશ કરે છે, તે અર્થઆગમ છે. એટલે અર્થરૂપ આગમ તીર્થંકરોનો આત્માગમ કહેવાય, કારણ કે તે અથંગમ તેમનો પોતાનો જ છે, બીજા પાસેથી મેળવેલ નથી. પણ એ જ અર્થાંગમ ગણધરોએ તીર્થંકરો પાસેથી મેળવ્યો છે. અને તીર્થંકર અને ગણધરો વચ્ચે બીજું કાંઈ વ્યવધાન નથી, એટલે કે તીર્થંકર દ્વારા સીધો જ અર્થનો ઉપદેશ ગણધરો પ્રાપ્ત કરે છે, તેથી ગણધરોને માટે તે અર્થાગમ અનન્તરાગમ કહેવાય. પણ એ અથંગમને આધારે ગણધરો સ્વયં સૂત્રરૂપ આગમની રચના કરતા હોઈ ગણધરોને સૂત્રગમ એ આત્માગમ કહેવાય, પરંતુ ગણધરના સાક્ષાત્ શિષ્યોને ગણધરો પાસેથી ત્રાગમ સીધો જ મળે છે, વચ્ચે કાંઈ વ્યવધાન નથી, તેથી તે શિષ્યોને સૂત્રાગમ એ અનન્તરાગમ છે. પરંતુ અર્ધાંગમ તો તેમને પરંપરાગમ કહેવાય, કારણ કે તે તેમણે પોતાના , ૪. ભગવતી ૫-૩-૧૯૨ માં પ્રમાણના આ જ ચાર ભેદો ગણાવ્યા છે. અને સ્થાનાંગમાં ‘હેતુ ના પણ આ જ ચાર ભેદો ગણાવ્યા છે. સૂ. ૩૩૮-૨૨૮. ૫. અનુયોગદ્વાર સૂત્ર ૪૭૦. ६. सुत्तं गणहररश्यं तदेव पत्तेयबुद्धर इयं च । સુયોજિના રયું અમિન્નવલપુજ્વિળા રહ્યં ।। —શ્રીચન્દ્રીયા સંગ્રહણી, ગા૦ ૧૧૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy