SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય કરવામાં જે સહયોગ આપ્યો છે તે અમારા જ નહીં કિન્તુ આગમ પ્રકાશનમાં રસ ધરાવનાર સકોઈને ધન્યવાદને પાત્ર છે—સરાહનીય છે. શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા (મહામાત્ર, શ્રી મહાવીર જૈન વિદ્યાલય) એ પ્રસ્તુત ગ્રંથના મુદ્રણસંબંધિત પ્રત્યેક કાર્યમાં—એટલે કે પ્રેસને મેટર મોકલાવવું, પ્રેસમાંથી પ્રકો મંગાવીને અમદાવાદ મોકલવાં વ. વિ. માં–અપ્રમત્તપણે જાતદેખરેખથી નિરંતર વ્યવસ્થા કરીને અમારા કાર્યમાં સહાય કરી છે. તેઓનો આ સ્તુત્ય શ્રમ અમારા અને આ કાર્યમાં રસ ધરાવનાર સર્વના ધન્યવાદને પાત્ર છે. શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ) ના ઉપસંચાલક શ્રી ડૉ. નગીનદાસ જીવણલાલ શાહે પ્રસ્તુત સંપાદકીયનો તેમ જ ગ્રંથમાં આગળ આવતા “પ્રસ્તાવના શીર્ષક વિભાગને અંગ્રેજી ભાષામાં અનુવાદ કરી આપ્યો છે તે બદલ અમે અમારો કૃતજ્ઞભાવ વ્યક્ત કરીએ છીએ. શાસ્ત્રી શ્રી હરિશંકરભાઈ અંબારામ પંડ્યા તથા ૫. શ્રી નગીનદાસ કેવળશી શાહે પણ અમારા પ્રસ્તુત સંપાદન કાર્યમાં પ્રફવાચનના, નકલ કરવાના અને પાઠભેદ લેવાના કાર્યમાં સહયોગ આપ્યો છે. આ સ્થળે અમે તેમને ભૂલી શકતા નથી. અને અંતે મુંબઈના સુપ્રસિદ્ધ મોજ પ્રિન્ટિંગ બ્યુરોના સંચાલક શ્રી વિ. પુ. ભાગવત આદિ સજજનોએ અમારા પ્રસ્તુત મુદ્રણકાર્યમાં અનેકવિધ સુવિધાઓ આપી છે તે બદલ તેઓ અમારા માટે ચિરસ્મરણીય બની રહ્યા છે. આ જ રીતે અમને સદાય સવિશેષ અનુકૂળતા આપે તેવી હાદિક ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. મુનિ ૫ ણય વિ જ ય દલસુખ મા લવણિયા અમૃતલાલ મો. ભોજક અગત્યની સૂચના ગ્રંથના અંતમાં આપેલ શુદ્ધિપત્રકમાં જણાવેલ સુધારા પ્રમાણે તે તે સૂત્રપાઠને સુધારીને વાંચવા અને નકલ કરાવવા માટે ભલામણ છે. શુદ્ધિપત્રકમાં નહીં આવેલ મુદ્રણજન્ય અશુદ્ધિઓ આ પ્રમાણે છે–પત્ર ૧૬૧ની પાંચમી પિંક્તિમાં ઉwવાર છે તેના બદલે વીર, તેમ જ તેની નીચેની (છઠ્ઠી) પંક્તિમાં વસે છે તેને બદલે વી, તથા ૧૮૩મા પૃષ્ઠની ૧૫મી પંક્તિમાં વસે છે તેના બદલે સે સુધારીને વાંચવું અનુયોગદ્વારની સંકેતસૂચીમાં રહી ગયેલ સંવા સંકેતને અર્થ સંક્ષિપ્તવાચનાની હસ્તલિખિત પ્રતિઓ, એ છે. સંપાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy