________________
સંપાદકીય કે ઉપર જણાવેલા ટબાર્થો પકીમાં કોઈકમાં તૈરાશિરા અર્થ મળે છે તેવી જ કોઈ પાળના સમયની પ્રતિના આધારે પૂજ્યપાદ આગમોદ્ધારકની આવૃત્તિમાં આ સ્થાને તે રિચ પાઠ સ્વીકારાયેલો હોય. પૂજ્યપાદ આગમોદ્ધારકની આવૃત્તિ પછી પ્રસિદ્ધ થયેલી અમારી જોયેલી આવૃત્તિઓમાં (જેનો ઉલ્લેખ પહેલાં ૨૩મા પૃષ્ઠની બીજી ટિપ્પણીમાં ક્ય છે) તેરાસિયે શબ્દ જ મૂલવાચનામાં સ્વીકારાયો. આ તો ઠીક પણ મુનિ શ્રી હસ્તિમલ્લજી દ્વારા સંપાદિત આવૃત્તિના મૂલપાડમાં સ્વીકારેલા તેરરિયે શબ્દની છાયા અને અનુવાદમાં સૈારિક અર્થ આપીને આ વૈરારા શબ્દ ઉપર તે જ ગ્રંથના પહેલા પરિશિષ્ટમાં (પરિશિષ્ટ પૃ. ૧૫) આ પ્રમાણે નોંધ લીધી છે :
[ X] ટારને માનવ સાચો હી તેરાશિ –ારિ મના હૈ, રોગ પ્રતિ “રાફિજ જવાય ને કોલ ની વિજયા હૈ” આ નોંધમાં ટીકાકારની માન્યતા જણાવી છે, પણ નંદીસૂત્રની ચૂણિ કે બે ટીકાઓમાં આ સ્થાનમાં આ અને આવી મતલબની કશી જ માન્યતા લખાઈ નથી. અમે પહેલાં જણાવી ગયા છીએ કે નંદિસૂત્ર તથા અનુયોગદ્વારસૂત્રના કોઈ પણ વ્યાખ્યાગ્રંથમાં આ સંદર્ભના શબ્દોની વ્યાખ્યા નથી કરી. અમારા પ્રસ્તુત પ્રકાશનના ૧૦૭ મા સૂત્રમાં (પૃ. ૪૩) આવતા તેરાસિયાÉ શબ્દની ટીકામાં આચાર્ય શ્રી મલયગિરિજીએ ગીશાલપ્રવર્તિત આજીવક સંપ્રદાય રાશિ જણાવેલો છે. સંભવ છે કે મુનિ શ્રી હસ્તિમલ્લજીએ સૂચિત ૧૦૭ મા સૂત્રની ટીકાનો આધાર સૂ. ૭૨[૧] માં જોડી દઈને ઉપર જણાવેલી નોંધ લખી હોય. મુનિ શ્રી ઘાસીલાલજી દ્વારા સંપાદિત આવૃત્તિમાં તેરાસિર્ચ શબ્દ મૂલવાચનામાં છે અને તેનો તારિકસવાયરૂપી પ્રસ્થવિરોષઃ એમ અર્થ કર્યો છે.
આટલું લાંબુ લખવાનો આશય એટલો જ છે કે અને ના લિપિદોષથી શુદ્ધ પાઠ વેવિર્ય નું અશુદ્ધ સ્વરૂપ તેસિથે થયું, તેસિચેનું તેલિયે, તેરાસિયે ના અર્થમાં રારિ લખાયું, અને વૈશિવ શબ્દ ઉપર ૧૦૭મા સૂત્રની ટીકાના આધારે ટીકાકારની માન્યતા લખાઈ આ માટે જ આપણે આપણાં પ્રધાન ગ્રંથોની મૂલવાચના તૈયાર કરવાના કાર્યમાં પ્રતિઓના પાઠ, વ્યાખ્યાકારોના અર્થ વગેરે વગેરે તપાસવામાં ખૂબ જ ધીરજ અને ખંત રાખવી પડશે એ વાતનું અહીં પુનરુચ્ચારણ કરીએ છીએ.
૫. ર૯ મા પૂછની ૧૯મી ટિપ્પણનો પાઠ અમે જોયેલી નંદિસૂત્રની અગિયાર આવૃત્તિઓમાં મૂલપાકરૂપે સ્વીકારાયો છે. પ્રસ્તુત પ્રકાશનમાં ઉપયુક્ત પ્રાચીન પ્રતિઓમાં આ ટિપ્પણીનો પાઠ એટલે કે માર્ચ આદિ પાઠ મળ્યો નથી. આ માટે એ પણ વિચારણીય છે કે ભાગવતની રચના નંદિસૂત્રકારના પહેલાં થઈ હોવાનો સંભવ ઓછો છે, તેમ જ અનુયોગદ્વારસૂત્રના આ સંદર્ભમાં કોઈ પણ પ્રાચીન–અર્વાચીન પ્રતિએ પ્રસ્તુત ટિપ્પણીનો પાઠ આપ્યો નથી, વગેરે વગેરે કારણોથી નિર્ણત કર્યું છે કે અદ્યાવધિ પ્રસિદ્ધ થયેલી આવૃત્તિઓમાં મૂલવાચનામાં સ્વીકારાયેલો પ્રસ્તુત ટિપ્પણીનો પાઠ પ્રક્ષિપ્ત હોઈ મૂલપાઠની વાચનામાં હોવો ન જોઈએ.
પ્રસ્તુત પ્રકાશનમાં નંદિસત્રની ટિપ્પણીઓમાં આપેલા પાઠભેદો સાથે જ્યાં શ્રી આગમોદય સમિતિ દ્વારા પ્રકાશિત આવૃત્તિની મુક સંજ્ઞા અમોએ નોંધી છે, તેને લક્ષીને ઉપરની ચર્ચા કરી છે. આ સિવાય જ્યાં મુ૦ સંજ્ઞાનો ઉલ્લેખ નથી કર્યો તેવા ટિપ્પણીના પાઠો પ્રમાણે શ્રી આ. સ. ની આવૃત્તિના પાઠ છે તે પૈકીનાં બે સ્થાન આ પ્રમાણે છે :
૧. નંદિસૂત્રની ૧૮મી ગાથાના પ્રારંભમાં આવેલો વૈ શબ્દ નિરપવાદરૂપે હસ્તલિખિત પ્રતિઓમાં મળે છે. શ્રી આ. સ. ની આવૃત્તિમાં આ વૈદ્દે શબ્દ નથી લીધો, જ્યારે આગમરત્ન૧. જુઓ, શ્રી આગોદય સમિતિ દ્વારા પ્રકાશિત આચાર્ય શ્રી મલયગિરિસૂરિકૃત વૃત્તિસહિત નંદસૂત્ર, પત્ર ૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org