SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ પ્રસ્તુત સંપાદન સંબંધિત કિંચિદ વક્તવ્ય અમે આવી પ્રક્ષિપ્ત ગાથાઓને પ્રસ્તુત નંદિસૂત્રના મૂલપાઠમાં સ્વીકારી નથી, પણ તે તે સ્થાને નીચે ટિપ્પણુમાં આપી છે (જુઓ પૃ. ૫ ટિ. ૧, પૃ. ૬ ટિ. ૧૧, પૃ. ૭ ટિ. ૧૦, પૃ. ૮ ટિ. ૯ તથા ૫૦ ૯ ટિ૦ ૩). નંદિસૂત્રમાં એક સ્થાન (પ્રસ્તુત નંદિસૂત્ર સૂત્રાંક ૭) એવું છે કે જે ચૂર્ણિકારના પહેલાથી મૂલપાકરૂપે જ લખાતું આવ્યું છે. સ્થવિરાવલી સુધીના મંગલપાઠના અંતમાં (સૂ૦ ૬ ગા૦ ૪૩) “ના વોટ્યું–હું જ્ઞાનની પ્રરૂપણા કહું છું” પાઠ છે, ત્યાર પછી જ્ઞાનને લગતા વક્તવ્યનો પ્રારંભ આઠમા સૂત્રથી થાય છે. એટલે છઠ્ઠા સૂત્રના અન્ય પાઠનું અનુસંધાન આઠમા સૂત્રના આદિપાઠની સાથે જ થાય છે. આ છઠ્ઠા અને આઠમા સૂત્રની વચમાં અધિકારી-અધિકારીનું નિરૂપણ કરતું સાતમું સૂત્ર મૂલપાઠમાં કેમ આવ્યું ? આ સંબંધમાં અમારો નમ્ર મત આ પ્રમાણે છે – શાસ્ત્રની ગંભીર વાતોનું વ્યાખ્યાન કરનારે સામેની વ્યક્તિને જોઈ-જાણીને જ વ્યાખ્યાન કરવું જોઈએ. આ માટે જેમ દરેક આગમશાસ્ત્રના વ્યાખ્યાનના પ્રારંભમાં કરવામાં આવે છે તેમ મંદિસૂત્રકારે પણ અધિકારી-અનધિકારીનો વિચાર કરીને યોગ્ય શિષ્ય સમક્ષ જ નંદિસૂત્રનું વ્યાખ્યાન કરવું, એ વિધિ બતાવવા માટે જ સાતમું સૂત્ર મૂકેલું છે. એટલે આ સૂત્ર અહીં ઔચિત્યભર્યું જ છે, જેની વ્યાખ્યા ચૂર્ણિકાર અને બે ટીકાકારોએ કરી પણ છે. અહીં એક વસ્તુ જાણવા જેવી છે કે પ્રસ્તુત નંદીસૂત્રના સાતમા સૂત્રરૂપે આવેલા ટૂંકા પાઠનો વિસ્તાર કરવા માટે અન્ય પ્રક્ષિપ્ત ગાથાઓ હં સં૨૦ અને શ૦ સંજ્ઞક પ્રતિઓ સિવાયની શેષ ચાર સૂત્રપ્રતિઓમાં મળે છે, જેની કોઈ પણ વ્યાખ્યાકારે પોતાના વ્યાખ્યાગ્રંથમાં વ્યાખ્યા કરી નથી. જુઓ પૃ. ૯ ટિ. ૩. તેમ જ અહીં ઉપયુક્ત પ્રતિઓ પૈકીની ઉક્ત ચાર પ્રતિઓમાં આ પાઠ નથી. એટલે અન્ય પ્રતિઓમાં મૂલપાકરૂપે લખાયેલ હોવા છતાંય પ્રસ્તુત ટિપ્પણના પાઠને અહીં મૂલવાચનામાં સ્વીકાર્યો નથી. આજ દિન સુધી પ્રસિદ્ધ થયેલી નંદિસૂત્રની આવૃત્તિઓ પૈકીની જુદી જુદી અગિયાર આવૃત્તિઓ અમે જોઈ છે (આનો ઉલ્લેખ પહેલાં કર્યો છે), તેમાં મુનિ શ્રી ઘાસલાલજી દ્વારા સંપાદિત આવૃત્તિ સિવાયની બધી જ આવૃત્તિઓમાં પ્રસ્તુત ટિપ્પણીનો પાઠ મૂલરૂપે જ મુદ્રિત થયો છે. મુનિ શ્રી ઘાસીલાલજીની આવૃત્તિમાં પ્રસ્તુત ટિપ્પણીનો પાઠ મૂલપાઠરૂપે નથી સ્વીકાર્યો, એટલું જ નહિ, તેમાં તો પ્રસ્તુત નંદિસુત્રના સાતમા સૂત્રના પાકને પણ (જેની ચર્ચા ઉપર કરી છે) મૂલમાં છાપ્યો જ નથી. અર્થાત મૂલવાચનાની પ્રામાણિક વાચના આપવા માટે તેમણે પ્રયત્ન કર્યો છે તેવું નથી. શ્રી ઘાસીલાલજી મહારાજે રચેલા વ્યાખ્યાગ્રંથો ઉપરથી પણ અભ્યાસી વર્ગ સમજી શકે તેમ છે કે તેમણે પ્રસિદ્ધ કરેલા આગમોની મૂલવાચનામાં મૌલિક પાઠોની ચકાસણીની દૃષ્ટિ રાખી જ નથી. ઉ૫લક દૃષ્ટિએ કોઈ કોઈ વાર તેમની રચનાઓ જેવાનો સમય મળતો ત્યારે તે જોઈને અમે તથા પ્રકારની વ્યથા જ અનુભવી છે. આથી જ અહીં પ્રસ્તુતથી સહજ દૂર જઈને પણ તેમની રચનાઓ માટે જરા ઇશારો કરવો ઇષ્ટ માન્યો છે. - શ્રી ઘાસીલાલજી મહારાજની ટીકાઓમાં પ્રાચીન વ્યાખ્યાકારો, કે જેમના આધારે તેઓ પોતાની ટીકાઓ રચી શક્યા છે, તેમના માટે જ નહિ, પણ સૂત્રકારો વિષે પણ જે આદર હોવો જોઈએ તે તેમનામાં લેશ પણ દેખાતો નથી. પ્રાચીન વ્યાખ્યાઓને જેટલા ગાંભીર્યથી જેવીતપાસવી જોઈએ તેટલા ઊંડાણથી તેમણે આ વ્યાખ્યાઓને જોઈ જ નથી. તેને લીધે એમની વ્યાખ્યાઓમાં અનેક સ્થાનોમાં ખલનાઓ થવા પામી છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ, શ્રી શીલાંકાચાર્ય, શ્રી મલયગિરિસૂરિ વગેરે આચાર્યો પૂર્વવત ટીકાકારોના અણના સ્વીકાર તરીકે પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy