SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪ સંપાદકીય પછી પ્રસિદ્ધ થયેલી છે, તેમાં વિસં. ૧૯૭૩માં પ્રસિદ્ધ થયેલી શ્રી આગોદય સમિતિની આવૃત્તિના જેવો જ પાઠ છે. એટલે કે આ પ્રસ્તુત ટિપ્પણી મુજબ જ પાક છે; જોકે ઈ. સ. ૧૯૪૨ (વિ. સં. ૧૯૯૮) માં સ્થાનકવાસી મુનિરાજ શ્રીહસ્તિમલજી મહારાજે નંદિસૂત્રની આવૃત્તિનું સંપાદન હસ્તલિખિત પ્રતિઓ સાથે મેળવવાનો પ્રયાસ કરીને કર્યું છે, અને તેમાં નિરપવાદ રૂપે મળતો આ સ્થળનો મૂળપાઠ તેમને હસ્તલિખિત પ્રતિમાં મળ્યો પણ છે, તે છતાં આ પાને ટિપ્પણમાં મૂકીને આગમોદય સમિતિના પ્રસ્તુત ટિપ્પણીવાળા પાઠની વશવતિતા હોય તેમ મૂલમાં તે પાઠનું જ અનુકરણ કર્યું છે. ટૂંકમાં જણાવવાનું એટલું જ કે રાય ધનપતિસિંહજીની તથા શ્રી અમોલકષિજીની નંદિસૂત્રની આવૃત્તિમાં આ સ્થાનમાં હસ્તલિખિત પ્રતિના પાઠની વાચના યથાવત્ સચવાઈ છે, જ્યારે અન્ય આવૃત્તિઓના સંબંધમાં પૂજ્યપાદ આગમોદ્ધારકની આવૃત્તિની વશવર્તિતા હોય તેમ જ બન્યું છે. ૨. પ્રાચીન સમયમાં અભ્યાસ-વ્યાખ્યાનાદિ માટે હસ્તલિખિત ગ્રંથોનો ઉપયોગ થતો, જેમાં કેટલાક વ્યાખ્યાતાઓ વિસ્તારથી વિવેચન કરવા માટે હસ્તલિખિત પોથીના હાંસિયામાં કેટલીક વાર તે તે વિષયની કે અર્થની નોંધ કરતા, તો કેટલીક વાર શિષ્યવર્ગને અભ્યાસ કરાવનાર વિદ્વાન ગુરુ મહારાજ વિસ્તારથી સમજાવતા હોય ત્યારે તેની નોંધ અમુક વિશિષ્ટ અભ્યાસાર્થ સાધુઓ પોતાની અભ્યાસ પોથીમાં કરી લેતા. આવી નોંધોમાં ગ્રંથાંતરનાં ગદ્ય કે પદ્ય અવતરણ પણ લખાતાં. આ નોંધો તે તે સ્થાનના અર્થને વિસ્તારથી સમજવા સમજાવવા માટે ઉપયોગી હોવાથી આ પ્રકારની નોંધોવાળી પોથી ઉપરથી નકલ કરનાર કેટલાક વિજ્ઞ લેખકો તે નોંધોને પે નકલમાં નોંધરૂપે જ લખી લેતા, જ્યારે કેટલાક લેખકોએ આવી નોંધોને પોતાની નકલમાં મૂલપાઠરૂપે જ ઉતારી લીધાનાં ઉદાહરણે કેટલીયે પ્રાચીન પોથીઓમાં મળી આવે છે. અતુ. પ્રસ્તુત નંદિસૂત્રની પ્રાયઃ બધી જ પ્રતિઓમાં સંઘસ્તુતિ તથા સ્થવિરાવલીમાં પ્રક્ષિપ્ત થયેલી ગાથાઓ મૂલપાકરૂપે જ લખાયેલી મળે છે, સિવાય કે એક પ્રતિમાં સ્થવિરાવલીની પ્રક્ષિપ્ત ગાથાઓ મળી નથી અને ચાર પ્રતિઓમાં સાતમાં પર્પસૂત્રની પ્રક્ષિપ્ત ગાથાઓ મળી નથી. પ્રાચીન પૂજનીય–વંદનીય સ્થવિરોને વંદનનો અધિકાર ચાલતો હોઈ તેવા સ્થાનમાં જે સ્થવિર મહાપુરુષોનો નિર્દેશ અહીં નથી થયો તેવા પ્રાચીન સ્થવિરોને વંદના દર્શાવતી કેટલીક ગાથાઓ પ્રાચીન ભાવુક વિદ્વાનોએ વિક્રમના બારમા શતક પછી કે કદાચ તે પહેલાં પણ ટિપ્પણીરૂપે લખેલી હશે, જે કાલક્રમે પ્રાયઃ બધી જ પ્રતિઓમાં મૂલપાઠરૂપે દાખલ થઈ ગઈ છે. નંદિસૂત્રની ચૂણિ અને હરિભકીયા ટીકામાં પ્રસ્તુત પ્રક્ષિપ્ત ગાથાઓની વ્યાખ્યા નથી, તે તો ઠીક, પણ વિક્રમના બારમા શતકમાં રચાયેલી આચાર્ય શ્રી મલયગિરિસૂરિત ટીકામાં પણ આ પ્રક્ષિપ્ત ગાથાઓની વ્યાખ્યા નથી. આ હકીકતને પ્રક્ષિપ્ત ગાથાઓની અમૌલિકતા માટે મહત્વનો આધાર કહી શકાય. તેથી ૫. ઈ.સ ૧૯૪૨ (વિ. સં. ૧૯૯૮) માં મુનિ શ્રી હસ્તિમલજી દ્વારા સંશોધિત અને રાયબહાદૂર શ્રી મોતી લાલજી મુથા દ્વારા પ્રકાશિત. ૬. આગમમંદિર (પાલીતાણા)માં ઉકીર્ણ સૂત્રપાઠની વિસં. ૧૯૯૯માં મુદ્રિત આવૃત્તિ. (આગમરત્ન મંજૂષાગત) ૭. વિ. સં. ૨૦૧૦માં પં. મુનિ શ્રી કનહૈયાલાલજી મહારાજ(કમલ)સંપાદિત મૂઝસૂત્તા માં પ્રસિદ્ધ થયેલ નંદિસુત્ત. ૮. વિ. સં. ૨૦૧૧માં મુનિ શ્રી પુષ્પભિમુખ દ્વારા સંપાદિત “કુત્તા’ ના બીજા ભાગમાં પ્રસિદ્ધ થયેલ નંદિસત્ત. ૯. વિ. સં. ૨૦૧૪માં પજ્ઞ ટીકા અને અનુવાદ સહિત મુનિ શ્રી ઘાસીલાલજી દ્વારા સંપાદિત. આમ ઉપર જણાવેલી રાયધનપતિસિંહજીની અને શ્રી અમોલકઋષિની આવૃત્તિ મળીને નંદિસત્રની કુલ ૧૧ આવૃત્તિઓમાં અમે પ્રસ્તુત સ્થાનો જોયાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy