SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૫]... ૮. ના સુદુમ–(2) નાગસૂક્ષ્મ, ૯. પીપસિરી, ૧૦. વસિય, ૧૧. યુદ્ધવચન (એક પ્રત્યંતર તથા સંક્ષિપ્તવાચનાની પ્રતિઓમાં યુદ્ધન), ૧૨. વેલિય, ૧૩. #વિત્ર, ૧૪. ઢોસાયચ, ૧૫. ઉદિતંત (એક પ્રત્યંતરમાં સિદ્વિતંત), ૧૬. માટર (એક પ્રત્યંતરમાં માયર), ૧૭. પુરા, ૧૮. વાગરા, ૧૯. નાડાવી. નંદિસૂત્ર અને અનુયોગદ્વારસૂત્રમાં આવતાં, ઊપર જણાવેલા શાસ્ત્રગ્રંથોનાં નામ પૈકીનાં કેટલાંક નામોમાં સહજ ફરક હોવા છતાં બન્ને ગ્રંથોમાં એક સરખો જ નામોલ્લેખ જોવામાં આવે છે. હજાર વર્ષથી પણ પહેલાંના સમયથી જેનો પરિચય દુર્ગમ બન્યો હશે તે નામોના વિવિધ પાઠભેદ પ્રત્યંતરોમાંથી મળે છે તે ઉપર આપેલી બંને ગ્રંથની નામાવલી ઉપરથી સ્પષ્ટ થાય છે. પ્રસ્તુત ૧૯ નામો પૈકી ગ્વાલિય, વૃદ્ધવચન, સિત અથવા વેસિચ, ટોચત અથવા ઢોયા, પુરાણ, વાર અને નાટ—આ સાત નામ તે તે વિષયનાં શાસ્ત્રો-ગ્રંથોને સૂચવનારાં નામ છે. આમાંના પાસિચ-કાર્યાસિક નામ ઉપરથી અનુમાન થઈ શકે કે કપાસઆદિને લગતા ગ્રંથો પ્રાચીન સમયમાં હોવા જોઈએ, જેમાં કપાસના છોડને ઉછેરવાથી લઈને રૂ, સૂતર, વણાટ, વસ્ત્ર, રંગવિધાન વગેરેને લગતાં વિધાનો હોવાં જોઈએ. આગળ જણાવેલી સુતરાઉ અને રેશમી વસ્ત્રના તાર માટેની નોંધ ઉપરથી પણ એક વસ્તુ સ્પષ્ટ છે કે વસ્ત્રો બનાવવા માટેની સામગ્રીનાં વિષયમાં પ્રાચીન સમયમાં અનેક પદ્ધતિઓ હતી અને તે ગ્રંથસ્થ ન જ થઈ હોય તે માનવું વધારે પડતું કહેવાય. બુદ્ધવ નામ ગ્રંથકારના સમયમાં વિદ્યમાન બૌદ્ધગ્રંથોનું સૂચક સમજવું જોઈએ. તેવી જ રીતે વિ૮–સાંખ્ય દર્શનના ગ્રંથોનું અને ઢોrચત નામ લોકાયત-ચાર્વાક સંપ્રદાયના ગ્રંથોનું સૂચક જણાય છે. સિત-વૈશિકશાસ્ત્ર, જેમાં વેશ્યાઓની કળા અને વ્યવસાયને લગતા વિષય ચર્યો હોય તેવા ગ્રંથો; પુરાણ, વ્યાકરણ અને નાટક–આ ત્રણે નામ ગ્રંથકારના સમયમાં વિદ્યમાન તે તે ગ્રંથોનાં સૂચક છે. માર૬, રામાયણ, વોર્જિય, અને વસિય–કણાદનું વૈશેષિકદર્શન, આ ચાર ગ્રંથો આજે વિદ્યમાન છે. THી આ ગ્રંથ વિધ્યવાસિઆચાર્યત સુવર્ણસપ્તતિકા હશે કે કેમ ? તે વિચારણીય વસ્તુ છે. વિધ્યવાસિઆચાર્યત સુવર્ણસપ્તતિકાનો ઉલ્લેખ, પ્રાચીન ચીની ભાષાના ઉંડા અભ્યાસી ડૉ. ક્રાઉ વાલ્ડરને પ્રાચીન ચીની ગ્રંથીમાંથી મળ્યો છે, અને તેમણે વિધ્યવાસી આચાર્યનો સમય ઈવી. ૪૨૫ આસપાસ સિદ્ધ કર્યો છે. આથી પ્રસ્તુત છત્તર એ જ વિધ્યવાસિકૃત સુવર્ણસપ્તતિ જ હોય તો કાં તો આ નામ અનુયોગદ્વારસૂત્રમાં પાછળથી ઉમેરાયું છે અને કાં તો સુવર્ણસપ્તતિનો સમય ઈવી. ૪૨૫ પહેલાં હોય. કારણ કે ઈવી. ૩૦૧ પૂર્વે તો અનુયોગઠારસૂત્ર રચાઈ ચૂક્યું હતું. કદાચ એમ પણ બને કે જેમ વિધ્યવાસિકૃત સુવર્ણસપ્તતિ આજે મળતી નથી તેમ તેનાથી પણ પૂર્વનો કોઈ કનખંતિ ગ્રંથ હોય જે આજે મળતો નથી. મદિર નામ ઉપરથી ભાડરષિકૃત રચના સમજવી જોઈએ. અનેક પ્રાચીન ગ્રંથોમાં મળે છે તેમ પણિતંત્રનો ઉલ્લેખ અહીં પણ મળે છે. આ ખ્યાતનામ પ્રાચીન ગ્રંથ હતો જે આજે અનુપલભ્ય છે. 1 નંદિસત્રમાં આવતા લોકમુરુ અને નામકુદુમના સ્થાને અનુયોગદ્વારસૂત્રમાં વોર્ડમુદ અને નામુલુમ છે. બન્ને ગ્રંથનો સંદર્ભ વાંચતાં આ પાઠભેદ તે તે એક જ ગ્રંથના નામમાં થયા છે તે સમજી શકાય છે. આ બે નામોનો સાચો પરિચય સમજાય તેવો નિશ્ચિત અર્થ કરી શકાતો નથી તેથી જેમ નંદિસત્રમાં એક સિવાયની બધી પ્રતિઓએ આપેલા પાઠને મૂલવાચનામાં મૂક્યો, તે જ રીતે અનુયોગદ્વારસૂત્રમાં ઉપયુક્ત બધીય પ્રતિઓએ આપેલો પાઠ મૂળ વાચનામાં મૂક્યો છે. આમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy