SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ . [૫૪]... છે, તેના ઉપરથી ગ્રંથકારને ‘બિંદુ’ અંત વાળો કોઈ ગ્રંથ અભિપ્રેત છે તેમ સમજવું જોઈ એ; અથવા અનુયોગસૂત્રકારના સમયમાં ‘બિંદુ' અંતવાળા એકથી વધારે ગ્રંથના કોઈ રચિતા ‘ બિંદુકાર ’ના ટૂંકા નામથી સંબોધાતા હોય તેવો પણ સંભવ છે. અહીં ‘બિંદુ ’ શબ્દાન્તનામથી અંકિત ગ્રંથોની રચના ગ્રંથકારના પહેલાં પણ થયેલી છે તે વસ્તુ સહજ સિદ્ધ થઈ જાય છે. સાથે સાથે આવા ઉપનામથી પ્રસિદ્ધ એવા ગ્રંથકારનું નામ પણ આપણી પરંપરામાંથી લુપ્ત બન્યું છે. જૈનસમ્મત ષડ્દ્રવ્યવિચાર (અનુયોગ॰ સૂ૦ ૨૧૮) પ્રસ્તુતમાં અનેક રીતે કરવામાં આવ્યો છે. અને તેમાં જીવ અને અજીવ વિષેની અનેક બાબતોના સંગ્રહ વડે ગ્રંથનો મોટો ભાગ રોકાયેલ છે. જીવના ગુણો (અનુ॰ ૦ ૪૩૫), જીવનાં શરીરો (અનુ॰ સ૦ ૪૦૫), શરીરની આકૃતિઓ (અનુ॰ ૦ ૨૦૫), ચાર ગતિના જીવોનાં આયુ (અનુ॰ સૂ॰ ૩૮૩), જીવોની અવગાહના (અનુ॰ સૂ॰ ૩૪૭), જીવોની સંખ્યા (અનુ॰ સૂ॰ ૪૦૪), જીવની કર્મકૃત નાના અવસ્થાઓ (અનુ॰ સૂ॰ ૨૦૭ તથા સૂ॰ ૨૩૩), જીવનાં વિવિધ ચારિત્રો (અનુ૦ ૦ ૪૭૨ ), વિશેષ પ્રકારના જીવ–તીર્થંકરોનો ક્રમ (અનુ॰ સૂ૦ ૨૦૩), ત્રણે લોકમાં જીવને રહેવાનાં સ્થાનો નારક, વિમાનો આદિ (અનુ॰ સ૦ ૧૬૨, ૧૬૫, ૧૬૯, ૨૧૬, ૨૭૭, ૨૮૫, ૧૭૩ ઇત્યાદિ)ની માહિતી આપવામાં આવી છે. પુદ્ગલ વિષે પણ તેના ગુણો અને પર્યાયો તથા વિવિધ પ્રકારના સ્કંધોની ચર્ચાએ ઢીક ભાગ રોક્યો છે (અનુ॰ સ્॰ ૬૨, ૨૧૬ [૧૯], ૨૧૭, ૪૨૯). નયનિરૂપણુ તો આમાં પગ પગ પર છે અને અંતે તો નયોનાં લક્ષણો પણ આપી દીધાં છે (અનુ સૂ॰ ૬૦૬). અજૈન શાસ્ત્રગ્રંથો નિર્દેસૂત્રના ૭૨ [૧] સૂત્રમાં તથા અનુયોગદ્દારના ૪૯મા સૂત્રમાં કુલ ૧૯ અજૈન શાસ્ત્રગ્રંથોનો નામોલ્લેખ મળે છે. પ્રસ્તુત ૧૯ નામો નંદિસૂત્રમાં આ પ્રમાણે છે— ૧. મારā—ભારત (મહાભારત), ૨. રામાયળ –રામાયણ, ૩. હંમીમાસુરવલ (ત્રણ પ્રત્યંતરોમાં હંમીમાસુલ, એક પ્રત્યંતરમાં ટ્મીનામુવલ, એક પ્રત્યંતરમાં મીમાસુલ), ૪. કોડિલ્જીય–કૌટિલ્ય–અર્થશાસ્ત્ર, ૫. સાદિયા (એ પ્રત્યંતરોમાં સચમદ્યિા, એક પ્રત્યંતરમાં સમયિા), ૬. લોકમુદ્ (માત્ર એક પ્રત્યંતરમાં લોકમુદ્દ), ૭. દાશિય -- કાસિક, ૮. નામદુમ (માત્ર એક પ્રત્યંતરમાં નાસુદુમ), ૯. સત્તરી-કનકસાતિ, ૧૦. વત્તેસિય વૈશેષિક [દર્શન], ૧૧. વુધ્રુવય — બુદ્ધવચન, ૧૨. વેતિ – વૈશિક (ચાર પ્રત્યંતરોમાં તેસિય), ૧૩. વિજ-કપિલ [દર્શન] (ત્રણ પ્રત્યંતરોમાં હ્રાવિiિ), ૧૪. હોળાયત – લોકાયત (એક પ્રત્યંતરમાં ગાયત), ૧૫. મઢિતંત — ષષ્ટિતંત્ર, ૧૬. માર – મારપ્રણીત શાસ્ત્ર, ૧૭. પુરાળ – પુરાણ, ૧૮. વારળ – વ્યાકરણ, ૧૯. નાગાવી – નાટકાદિ. આ જ નામો અનુયોગદ્દાર સૂત્રમાં આ પ્રમાણે છે—૧ માહ (એક જ પ્રત્યંતરમાં માથ), ૨. રામાયળ, ૩. ૢમીનાસુર (એક પ્રત્યંતરમાં ૢમી | માનુદ્દલ આમ એ શબ્દ અલગ પાડ્યા છે, એક પ્રત્યંતર માં હૈં મીમાસુ વલ, એક પ્રત્યંતરમાં મામાસુત્ત, સંક્ષિપ્ત વાચનાની પ્રતિઓમાં મીમાનુજનલ), ૪. ોહિહ્દય (એક સિવાયની બધી પ્રતિઓમાં જોઇય), ૫. ઘોલમુહ ધોટમુખ (એક પ્રતિમાં બોલપુર, એક પ્રત્યંતરમાં કોઇ નુરૂ, સંક્ષિપ્ત વાચનાની પ્રતિઓમાં લોકમુય, એ પ્રત્યંતરોમાં ઘોયલ૪), ૬. સામા (એક પ્રત્યંતરમાં સંમદ્યિા, એક પ્રત્યંતરમાં તમદ્દિયા, એક પ્રત્યંતર તથા સંક્ષિપ્તવાચનાની પ્રતિઓમાં સાઇમરિયા), ૭. પ્વાસિય (એક પ્રત્યંતરમાં ઘ્વાયિ), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy