SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ... [૪૬]... ખુલાસો સ્વયં સૂત્રકારે કર્યો છે. અને તે જ બાબતનું સમર્થન આચાર્ય શ્રી જિનભદ્રે પણ કર્યું (ગા૦ ૯૫૭-૯૬૫). ૩. અનુગમ : અનુયોગનું તીજું દ્વાર છે અનુગમ (સ્૦ ૬૦૧-૬૦૫), તેના બે ભેદી— સૂત્રાનુગમ અને નિયંત્યનુગમ એવા કરવામાં આવ્યા છે. તેમાંથી નિર્યુક્તિ-અનુગમના ત્રણ પ્રકાર છે— નિક્ષેપ, ઉપોદ્ઘાત અને સૂત્રપર્શિક (સ્૦ ૬૦૨). તેમાંનો નિક્ષેપ પ્રકાર તો આ પહેલાં ચર્ચાઇ ગયેલ છે એમ જણાવ્યું છે (સ્૦૬૦૩) આનું તાત્પર્ય એ છે કે નિક્ષેપ પ્રકારની વ્યાખ્યા તો આ પૂર્વે થઈ ગઈ છે—આવશ્યક આદિ પદોનો અનુગમ નામાદિ નિક્ષેપોદ્રારા આ પૂર્વેના ભાગમાં વ્યાપ્ત છે. (સ્૦ ૯, ૩૦, પર ઇત્યાદિ) તેથી તેનું નિરૂપણ આવશ્યક નથી. નિક્ષેપ પછી ઉપોદ્ઘાત છે. આ ઉપોદ્ઘાતમાં બધી મળી ગ્રંથવિષેની (પ્રસ્તુતમાં સામાયિક વિષેની) ૨૬ ખાખતોની ચર્ચા કરવાની હોય છે. તે બધી બાબતોને ગણાવી દેવામાં આવી છે (સ્૦ ૬૦૪); જેવી કે ૧ -- ઉદ્દેશ-સામાન્યાભિધાન, ૨ – નિર્દેશ–વિશેષાભિધાન, ૩ – નિર્ગમ– પ્રસ્તુત અધ્યયનની મૂળે ક્યાંથી કેવી રીતે કોનાથી ઉત્પત્તિ થઈ તે, ૪– ક્ષેત્ર-ક્યા પ્રદેશમાં સામાયિકનો ઉપદેશ થયો, ૫ – કાલ–ક્યા કાલમાં, ૬ – પુરુષ–યા પુરુષે સામાયિકનો ઉપદેશ આપ્યો, ૭– કારણ—શા માટે ગૌતમે તે ઉપદેશ ગ્રહણ કર્યો, ૮ – પ્રત્યય–ક્યા વિશ્વાસે આ ઉપદેશ છે, ૯ – લક્ષણ–પ્રતિપાદ્ય વસ્તુનું લક્ષણુ, ૧૦ – નયવિચારણા, ૧૧ – સભવતારણા-નયોમાં પ્રતિપાદ્ય વિષયની અવતારણા, ૧૨અનુમત−યા નયને કયું સામાયિક અનુમત, ૧૩ – કિમ્-સામાયિકનું લક્ષણ-સ્વરૂ૫, ૧૪– તેના પ્રકાર, ૧૫ – સામાયિકનો સ્વામી, ૧૬ – કયાં સામાયિક ?, ૧૭– કયા વિષયમાં સામાયિક, ૧૮ – તે પ્રાપ્ત કેમ થાય ?, ૧૯ – કેટલો ઢાળ સ્થિર રહે?, ૨૦–તેને ધારણ કરનારા કેટલા?, ૨૧ – વ્યવધાન કેટલું ?, ૨૨ – અવ્યવધાન કેટલું?, એટલે કે નિરંતર તે પ્રાપ્ત કરનારા કેટલા કાલમાં હોય?, ૨૩ – કેટલા ભવમાં તેની પ્રાપ્તિ, ૨૪–આકર્ષ–પુનઃ પુનઃ તેની પ્રાપ્તિ થાય તે કેવી રીતે?, ૨૫- ક્ષેત્રસ્પર્શના, ૨૬ – નિરુક્તિ-પર્યાયો. આ ઉપરથી જોઇ શકાય છે કે આધુનિક કાળમાં લેખક પ્રસ્તાવનામાં જે મુદ્દાઓની ચર્ચા કરે છે તેથી ક્યાં વધારે બાબતોની ચર્ચા પ્રસ્તુત ઉપોદ્ઘાતમાં કરવાની હોય છે. પ્રસ્તુતમાં માત્ર આ મુદ્દાઓ જ ગણાવ્યા છે, પણ તેની યોજના સામાયિકમાં કરવામાં આવી નથી, તેથી એ સૂચિત થાય છે કે અનુયોગદ્દારસૂત્રની રચના અનુયોગનાં કારોના વિવરણ માટે છે, નહિ કે કોઈ ગ્રંથની ટીકાપે. આથી એ પણ સિદ્ધ થાય છે કે તેમાં પ્રારંભમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યા કરીશ એવો જે ઉલ્લેખ છે તે પણ ઉદાહરણરૂપે છે. ઉપોદ્ઘાત પછી સૂત્રપર્શિકનું વિવરણ (સ. ૬૦૫) છે. તેમાં સૂત્રનો શુદ્ધ અને સ્પષ્ટરીતે ઉચ્ચાર કરવાની સૂચના આપવામાં આવી છે. તેમ કરવાથી સૂત્રમાં શો વિષય છે, તે સ્વસિદ્ધાન્ત છે કે પરસિદ્ધાન્ત, બંધ વિષે છે કે મોક્ષ વિષે, સામાયિક સંબંધી છે કે તેથી જુદું ત્યાદિ બાબતોની સ્પષ્ટતા કેટલાક શ્રોતાને થાય છે અને કેટલાકને નથી થતી. આથી તેમના હિતાર્થે સૂત્રપદોની વ્યાખ્યા જરૂરી છે. તે ક્યા ક્રમે કરવી તેનું નિરૂપણ પ્રસ્તુતમાં છે, મૂળમાં એ સ્પષ્ટ નથી કે આમાં ત્રાનુગમ શું છે? તેને વિષે એમ તો કહ્યું છે કે તે અનુગમના એક ભેદરૂપ છે (સ. ૬૦૧). પણ તેનું વિવરણુ મૂળમાં નથી. આનું કારણ એ છે કે સૂત્રસ્પર્શકનિયુક્ત્યનુગમ તો જ થાય જો સૂત્ર હોય; તેથી તો ત્રસ્પશિકના પ્રારંભમાં (સ. ૬૦૫) શુદ્ધસૂત્રના ઉચ્ચારની વાત કહેવામાં આવી છે. તેથી તે તેની અંતર્ગત જ સમજી લેવો જોઇ એ. આથી તેનું વિવરણ જુદું નથી કર્યું. આચાર્ય શ્રી જિનભદ્દે સ્પષ્ટીકરણ કર્યું છે કે સૂત્રાનુગમ (જે અનુગમના એક મૂળભેદરૂપ છે), સૂત્રાલાપક (જે અનુયોગના ખીજા દ્વાર નિક્ષેપનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy