SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ...[32]... શકે તે ભાષક, તેટલી જ કહી શકે તે વિભાષક, પણ જે તેથી પણ અધિક પોતાની પ્રજ્ઞાબળે કરે તે વાર્તિકકાર કહેવાય.—વિશેષા૦ ૧૪૨૨. અનુયોગના પર્યાયોની ઉપર કરેલી વિચારણા એ સિદ્ધ કરે છે કે પ્રસ્તુતમાં પર્યાયો સર્વથા એકાર્થક નથી, પણ અનુયોગના જે વિવિધ પ્રકારો છે તેને પણ પર્યાયો ગણવામાં આવ્યા છે. તેથી એમ કહી શકાય કે સામાન્ય રૂપે એ પર્યાયો એક જ (અર્થાત્ શબ્દની વ્યાખ્યા કે સૂત્રની વ્યાખ્યા એવો) અર્થ ધરાવે છે, પણ તે બધામાં પોતાની આગવી વિશેષતા છે જ. તેથી તે પર્યાયો એટલે અનુયોગના વિવિધ પ્રકારો છે, વિશેષો છે. એટલે કે અનુયોગરૂપ દ્રવ્ય - અર્થના તે વિવિધ પર્યાયો, પરિણામો, વિશેષી છે, વ્યાખ્યા કરવાના વિવિધ પ્રકારો છે. અહીં આચાર્ય હેમચન્દ્રે સૂત્રાદિની વ્યાખ્યા જે આપી છે તે તુલનીય છે~~~ सूत्रं सूचनकृद् भाष्यं सूत्रोक्तार्थप्रपञ्चकम् । प्रस्तावस्तु प्रकरणं निरुक्तं पदभञ्जकम् || २५४ ॥ उक्तानुक्तदुरुक्तार्थचिन्ताकारि तु वार्तिकम् । टीका निरन्तरव्याख्या पञ्जिका पदभञ्जिका ॥ २५६ ॥ વાચસ્પત્યમાં ભાષ્યનું લક્ષણ ઉદ્ધૃત છે તે આ પ્રમાણે છે— * Jain Education International —અભિધાનચિન્તામણિ દેવકાંડ सूत्रार्थो वर्ण्यते यत्र पदैः सूत्रानुसारिभिः । स्वपदानि च वर्ण्यन्ते भाग्यं भाष्यविदो विदुः || ” સ્થવિર આર્ય ભદ્રòાહુ સ્વામીએ (આવ॰ નિ૰ ગા૦ ૧૩૦, વિશે. ૧૪૨૩) કાકર્મ આદિ અનેક ઉદાહરણો વડે ભાષા, વિભાષા અને વાર્તિકની સમજ આપી છે અને તેનો વિસ્તરાર્થ આચાર્ય શ્રી જિનભદ્રે વિશેષાવશ્યકભાષ્યમાં કર્યો છે તે રોચક છે (ગા૦ ૧૪૧૪થી). તેમાંથી એકાદ એ ઉદાહરણો વિષે અહીં પરિચય આપવામાં આવે છે. એક ચિત્ર એવું હોય, જે માત્ર આકૃતિ અતાવે; ખીજું એવું કે જેમાં વિવિધરંગો પણ હોય; જ્યારે તીજું એવું હોય, જે ચિત્રગત વિષયના ભાવોને આખે ઉપસ્થિત કરતું હોય. તેમ ભાષા, વિભાષા અને વાર્તિક વિષે છે. ભંડારમાં ભરેલાં રત્નો વિષે કોઈ ભંડારી માત્ર એટલું જ જાણે કે તેમાં રત્નો છે. ખીજો કોઈ એમ જાણે કે તે કઈ કઈ જાતિનાં છે અને તેમનું માપ શું શું છે, પણ તીજો તો એવો હોય જે તે રત્નોના ગુણ-દોષો આદિ બધી જ બાબતોથી માહિતગાર હોય. ભાષાદિ ત્રણ વિષે પણ આમ જ છે. એક કમળ જરાક વિકસિત હોય, ખીજું અર્ધવિકસિત હોય અને તીજું પૂર્ણપણે વિકસિત હોય—આવું જ ક્રમે કરી ભાષા આદિ વિષે છે, અનુયોગ અને અનનુયોગ નામાદિ સાત પ્રકારનો અનુયોગ વર્ણવતાં તેનું અનનુયોગથી પાર્થેય—એટલે કે અનુયોગ કેવો હોય અને કેવો ન હોય તેનું નિરૂપણુ દૃષ્ટાંત દ્વારા આર્ય ભદ્રબાહુ સ્વામીએ કર્યું છે, તે સમજવા જેવું છે.—આવ॰ નિ॰ ગા૦ ૧૨૮, ૧૨૯; વિશેષા॰ ગા॰ ૧૪૦૯, ૧૪૧૦; મૃ॰ ગા૦ ૧૭૧, ૧૭૨. એ દૃષ્ટાંતોનું તાત્પર્ય આચાર્ય શ્રી જિનભદ્રે પોતાના વિશેષાવશ્યક ભાષ્યમાં બતાવ્યું છે.વિશેષા૦ ૧૪૧૧ થી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy