SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગદ્વાર અનુચોગનું મહત્ત્વ પ્રસ્તુત ભાગમાં નંદીસૂત્ર પછી અનુયોગદ્વાર લેવામાં આવ્યું છે. વાચનાના પ્રારંભમાં પાંચજ્ઞાનરૂપ નંદી મંગળરૂપે છે તો અનુયોગદ્દારસૂત્ર સમગ્ર આગમોને અને તેની વ્યાખ્યાને સમજવાની ચાવી રૂપ છે. આથી સહજ રૂપે આ બન્ને આગમોનું જોડકું બની ગયું છે. આગમોના વર્ગીકરણમાં તે બન્નેનું સ્થાન ચૂલિકા વર્ગમાં છે. તેથી જેમ મંદિર તેના શિખરથી વિશેષ શોભા પ્રાપ્ત કરે છે, તેમ પ્રસ્તુત નંદી-અનુયોગદ્વારરૂપ શિખરવડે આગમમંદિર શોભાને પામે છે. અનુયોગદ્દારના પ્રારંભમાં કહેવામાં આવ્યું છે કે આવશ્યકશ્રુતનો અનુયોગ અહીં પ્રસ્તુત છે. આ વાંચી એમ લાગે કે આમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યા હશે. પરંતુ સમગ્ર ગ્રંથ વાંચ્યા પછી એક બાબત સ્પષ્ટ થાય છે કે આમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યા કરવામાં આવી નથી, પણ અનુયોગનાં દ્વારો એટલે કે વ્યાખ્યાનાં દ્વારો, ઉપક્રમ આદિનું જ વિવેચન કરવામાં આવ્યું છે. વિવેચનની કે વ્યાખ્યાની પદ્ધતિ કેવી હોય તે દર્શાવવા આવશ્યકને દૃષ્ટાંત તરીકે લીધું છે એમ સમજવું જોઈએ. સમગ્રમાં માત્ર આવશ્યકશ્રુતસ્કંધાધ્યયન—એ ગ્રંથનામની વ્યાખ્યા, આવશ્યકનાં છ અધ્યયનોના પિંડાર્થનો—અધિકારોનો નિર્દેશ, આવશ્યકનાં અધ્યયનોનાં નામોનો નિર્દેશ અને સામાયિક શબ્દની વ્યાખ્યા—આટલું જ માત્ર સમજાવવામાં આવ્યું છે. આવશ્યકસૂત્રનાં પદોની વ્યાખ્યા વિષે કશું જ કહેવામાં આવ્યું નથી. એ ઉપરથી નિશ્ચિત થાય છે કે અનુયોગદ્દાર એ મુખ્યરૂપે અનુયોગનાં—વ્યાખ્યાનાં દ્દારોનું નિરૂપણ કરતો ગ્રંથ છે, નહિ કે આવશ્યકસૂત્રની વ્યાખ્યા કરતો. તેમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યાની જે પ્રતિજ્ઞા કરી છે તે, વ્યાખ્યા માટે નિદર્શન—દૃષ્ટાંત માત્ર છે. આથી કહી શકાય કે અનુયોગદ્વાર એ આગમવ્યાખ્યાની પદ્ધતિનું નિરૂપણ કરતો ગ્રંથ છે. આથી તેનું નામ જે અનુયોગદ્દાર પ્રસિદ્ધ છે તે પણ સાર્થક છે. કારણ કે તે વ્યાખ્યાનાં દ્વ્રારોનું જ નિરૂપણ કરે છે, નહિ કે આવશ્યકસૂત્રના પદોનું. આથી આ ગ્રંથે સૂત્રનું સ્થાન લીધું. કોઈપણ એક ગ્રંથની ટીકા તરીકે આ ગ્રંથ ન ઓળખાયો તેની પાછળનું રહસ્ય પણ એ જ છે કે એ આવશ્યકની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરે છે છતાં તે તેની વ્યાખ્યા કરતું નથી. આગમોમાં અંગો પછી સર્વાધિક મહત્ત્વ આવશ્યકસૂત્રને આપવામાં આવ્યું છે, કારણ કે તે સૂત્રમાં નિરૂપિત સામાયિકથી જ શ્રમણુજીનનનો પ્રારંભ થાય છે. અને પ્રતિદિન બંને સંધ્યા ટાણે શ્રમણુજીવનની જે આવશ્યક ક્રિયા છે તેની શુદ્ધિનું અને આરાધનાનું નિરૂપણ એમાં કરવામાં આવ્યું છે. તેથી અંગોના અધ્યયન પહેલાં પણ તેનું અધ્યયન જરૂરી બન્યું છે. અને એ જ કારણે આવશ્યકત્રની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા પુસ્તકમાં કરવામાં આવી છે. વ્યાખ્યા તરીકે એમાં ૧. इमं पुण पवणं पडुच्च आवस्सगस्स अणुओोगो— सू० ५ । ૨. જે સામાયાર્ષનિવસંશાળિ મળવતીયૂ. ૧૩; સામા.......ચોદ્દલ પુવાનું—માવતીપૂત્ર ૬૨૭/ “सामाइयमातीयं सुतणाणं जाव बिंदुसाराओ" - आवश्यकनिर्युक्तिगाथा ९३ विशेषा० स्वो० गा० ११२३ । विशेषा० हे० टी० गा० ११२६ | જુઓ—જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ, પ્રસ્તાવના, પૃ૦ ૫૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy