SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૯]... કરી છે. પછી ભગવાન મહાવીરના અગિયાર ગણધરોની નામપૂર્વક સ્તુતિ કરીને, વીરશાસનને મહિમા ગાયો છે. અને પછી સુધર્માથી માંડીને દૂસગણિ સુધીના વિરોને યાદ કરીને સ્તવ્યા છે. અને જ્ઞાનપ્રરૂપણાની પ્રતિજ્ઞા કરી છે. નિંદીસૂત્રમાં દેવવાચકે તેના નિર્માણમાં આગમોની–મૂળ આગમોની તો સહાય લીધી જ છે એમાં શંકા નથી; પણ તેમણે આવશ્યકટીકાઓમાંના સર્વ પ્રાચીન ગ્રંથ અનુયોગદ્વારનો પણ ઉપયોગ કર્યો છે તે તો ઉપર્યુક્ત આચાર્ય શ્રી આત્મારામજીના નિર્દેશો ઉપરથી જણાઈ આવે છે. પણ જે તેમણે નથી નોંધ્યું તે વિષે અહીં નિર્દેશ કરવો પ્રાપ્ત છે. આવશ્યકસૂત્રની આચાર્ય ભદ્રબાહુકૃત નિર્યુક્તિનો પ્રભાવ નંદીસૂત્રમાં આવતા પદ્યભાગની રચનામાં વિશેષરૂપે જોવામાં આવે છે. વર્ધમાન અવધિ (સૂત્ર ૨૪)ની ચર્ચા પ્રસંગે “નાતિયા” ઈત્યાદિ અનેક ગાથાઓ (૪૫–૫૨) આપવામાં આવી છે. તે ન આપવામાં આવે તો પણ વર્ધમાન અવધિનું વર્ણન જે છે તે સંગત જ છે. આ ગાથાઓ આવશ્યક નિર્યુક્તિની (ગાથા ૩૦-૩૭) છે. આ ગાથાઓ નંદીમાં આવશ્યક નિર્યુક્તિમાંથી લેવામાં આવી છે તે સ્પષ્ટ છે. નંદીસૂત્રગત ગાથા ૫૪મી ચૂર્ણિકારે સ્વીકારી નથી અને તે આવશ્યક નિર્યુક્તિમાંથી ઉપયોગી હોઈ લેવામાં આવી છે એમ જણાય છે. આવશ્યક નિર્યુક્તિમાં તે ગાથા ૬૬ મી છે.૧૦ નદીસૂત્રગત ગાથા ૫૫ મી પણ આવશ્યક નિર્યુક્તિની (ગાથા ૬ મી) છે. અને તે ત્યાંથી લેવામાં આવી છે. તે વિશેષાવશ્યકમાં પણ છે—ગાથા ૮૧૦. નદીસૂત્રગત ગાથા ૫૬-૫૭ પણ આવશ્યકનિકિમાંથી લેવામાં આવી છે. જુઓ આવશ્યકનિયુક્તિ ગાથા ૭૭–૭૮; વિશેષાવશ્યકભાષ્ય ૮૨૩, ૮૨૯. આભિનિબોધિક જ્ઞાનના મૃતનિશ્રિત અને અમૃતનિશ્રિત એ બે ભેદો નદીકારે કર્યા છે, અને અમૃતનિશ્રિતના ચાર ભેદ છે એમ કહી તેના તે ચારે ભેદો અને તે વિષેનું વિવરણું બધું પદ્યમાં કર્યું છે. નદીના ક્રમ પ્રમાણે આ વસ્તુનો નિર્દેશ ગદ્યમાં હોવો જોઈતો હતો, પણ તેમ થયું નથી; પણ એ ભાગ ગાથાબદ્ધ છે. આવશ્યકનિયુક્તિમાં જ્યાં મતિજ્ઞાનની પ્રારંભમાં ચર્ચા છે ત્યાં કૃતનિશ્રિત કે અમૃતનિશ્રિતની કોઈ ચર્ચા નથી. એ ઉપરથી જણાય છે કે આભિનિબોધિના આ બે ભેદો જૈન પરંપરામાં આવશ્યક નિર્યુક્તિની રચના પછી થયા છે. જો કે તેમનો ઉલ્લેખ સ્થાનાંગ (સૂ) ૭૧)માં પણ છે, પરંતુ તેમાં અને નંદીના તેના વર્ણનમાં થોડો ભેદ છે. એટલે તે ભેદોનો સ્વીકાર અને આભિનિબોધિ જ્ઞાનમાં તેની યોજના વ્યવસ્થિત રીતે કરવાનો પ્રયત્ન સર્વપ્રથમ દેવવાચકનો છે એમ માનવું જોઈએ.11 ૮. આ બાબતમાં આવશ્યક ચાનું કથન છે કે “ધર્મો અનિવેસાણં ઇવના જ્ઞાવ અgણો માયજિયસિ” એટલે નંદીગત સ્થવિરાવલિમાં આચાર્ય પરંપરા છે. નંદીમાં તો સ્પષ્ટ કહ્યું છે કે–તો “સુધમ્માતો ઘેરાવી પવત્તા, નતો મળત” નંદી ચર્ણિ પૂ૦ ૭ (P. T. S.) અને એમ કહીને ક્રમશઃ ગુરુ શિષ્ય પરંપરા બતાવી છે. ૯. વિશેષાવશ્યકભાષ્યમાં જુઓ ગાથા ૫૮૮, ૨૯૮, ૬૦૮, ૬૦૯, ૬૧૦, ૬૧૫, ૬૧૭, ૬૨૧, આ બધી નિયુક્તિની ગાથાઓની વ્યાખ્યા ભાખ્યકારે કરી છે. ૧૦. એજન, ગાથા ૭૬ ૬. ૧૧. વિશેષ ચર્ચા માટે જુઓ ન્યાયાવતારવાર્તિકવૃત્તિની (શ્રી દલસુખ માલવણિયા સંપાદિત) પ્રસ્તાવના પૃ૦ ૫૯ થી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy