SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ..[૨૬].. ૬. પ્રભવ : અનુજ્ઞાવડે આચાર્યરૂપે સ્થાપિત થાય એટલે તે પ્રભુ કહેવાય. અને એથી સર્વે જ્ઞાનાદિ ગુણોનો પ્રભાવ = પ્રસૂતિ = ઉત્પત્તિ થાય છે માટે તે પ્રભવ છે. ૭. પ્રભાવના અનુજ્ઞાવડે ગુણોની કે આચાર્યની પ્રભાવના થતી હોઈ પ્રાધ્ય કે દીપ્તિ વધતી હોઈ તે પ્રભાવના કહેવાય છે. ( ૮. વિવારઃ અનુજ્ઞાને લઈને ગણનો ઉદય થાય છે કે ગુણોનું વિતરણ થાય છે માટે તે વિતાર છે. ૯. તદુભયહિયકતદુભયહિત ઃ મહાભાળ્યાનુસારી અર્થ આ લોક અને પરલોકમાં જેના વડે હિત થાય છે તે અનુજ્ઞા તદુહિત કહેવાય છે. અહીં ચૂર્ણિમાં તદુભય એટલે સત્ર અને અર્થ વિષયક હોઈ તે અનુજ્ઞા તદુભય કહેવાય— તકુમયસત્રાર્થાનુસા ત્યર્થ છે અને હિતને જુદું નામ ગણાવી ચૂર્ણિકાર તેનો આ લોક અને પરલોકનું હિત એવો અર્થ કરે છે–હિનામુમિહિમા. ૧૦. મર્યાદા: ગણધર પોતે અનુજ્ઞા વિષેની મર્યાદામાં ધારણ કરતા હોઈ તે મર્યાદા કહેવાય. ૧૧. કહ૫ઃ કરણીય બાબતમાં ગણની નીતિ અનુત્તાધારા નક્કી થતી હોઈ તે કલ્પ કહેવાય છે. ૧૨. માર્ગ : અનુજ્ઞામાં જ્ઞાનાદિ મોક્ષમાર્ગ સ્થિત છે તેથી માર્ગ કહેવાય છે. ૧૩. ન્યાયઃ ન્યાય કરનાર અથવા ન્યાયરૂપ છે માટે તે ન્યાય છે. ૧૪. સંગ્રહ: અનુજ્ઞાવડે બાહ્ય વસ્ત્રાદિનો અને આંતર જ્ઞાનાદિનો સંગ્રહ થતો હોઈ તે સંગ્રહ છે. ૧૫. સંવરઃ ઈન્દ્રિય અને નોઈન્દ્રિયનો અનુત્તાવડે પોતાના આત્મામાં અને ગણમાં સંવર થતો હોઈ તે સંવર છે. ૧૬. નિર્જર: અનુજ્ઞાસંપન્ન વ્યક્તિ અગ્લાનભાવે ગણને ધરે છે તેથી પોતાના કર્મની નિર્જરા કરે છે અને ગણમાં રહેલ અન્ય શ્રમણને પણ કર્મની નિર્જરી કરાવે છે માટે અનુજ્ઞા નિર્જરા પણ છે. ૧૭. સ્થિરકરણઃ અસ્થિર મનવાળા તરુણ શ્રમણોને સ્થિર કરવામાં અનુજ્ઞા વડે સમર્થ થવાય છે તેથી તે સ્થિરકરણ છે. પ્રસ્તુતમાં ચૂર્ણિમાં “વળ કૃતિઃ એવો પાઠ છે તે ઉપરથી જણાય છે કે અનુજ્ઞા વડે વાડનું કામ થાય છે તેથી તે વરણ કહેવાય. ૧૮. અરછેદઃ જ્ઞાનાદિ ગુણોની એથી અશ્રુચ્છિત્તિ થતી હોઈ તે અચ્છેદ કહેવાય. ૧૯. છત : તીર્થંકરે ગણધરોને અનુજ્ઞા આપી અને ગણધરોએ પોતાના શિષ્યોને આ પ્રમાણે પરંપરાથી એ પ્રાપ્ત હોઈ–આચાર્યોદ્વારા અનુષિત હોઈ–તે છત કહેવાય. ર૦. વૃદ્ધિપદ : અનુજ્ઞા વડે ગણમાં જ્ઞાન અને આચારની વૃદ્ધિ થતી હોઈ તે વૃદ્ધિપદ કહેવાય. ૨૧. પદપ્રવરઃ અનુજ્ઞાસંપન્ન વ્યક્તિનું પદ શ્રેષ્ઠ હોઈ તે પદપ્રવર કહેવાય. પંચકલ્પમહાભાગ્ય અને પંચકલ્પચૂર્ણિના વ્યાખ્યાન મુજબ ઉપર જણાવ્યા પ્રમાણે અંકો આપતાં અનુજ્ઞાના કાર્યક નામો એકવીસ થાય છે. અનુજ્ઞાનંદિના પાઠ સાથે સરખાવતાં પંચકલ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy