SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ હતું, જે કારીના નામે$ જાણીતું હતું. અને ભારતને વિદેશીઓની ગુલામીમાંથી સ્વતંત્ર બનાવવાના એકાદ સકા જેટલા લાંખા ધર્મયુદ્ધમાં તન-મન-ધનથી પેાતાના સાથ પુરાવવામાં પણ કચ્છ જરાય પાછળ નહાતુ' રહ્યું, એની પણ આપણી નજીકના સમયમાં રચાયેલ ઇતિહાસ સાક્ષી પૂરે છે. કચ્છમાં ઉપરાઉપરી આ વર્ષે (વિ॰ સ૦ ૨૦૩૦ની સાલમાં ) ત્રીજી વાર પડેલા દુષ્કાળના સામના કરીને માનવરાહત અને પશુરક્ષા માટે, કચ્છમાં અને કચ્છ બહાર રહેતી કચ્છની પ્રજાએ જે ખમીર, હિ'મત અને કર્તવ્યપરાયણતા દાખવ્યાં છે, તે તે કચ્છની પ્રજાની શ્રીમંતાઈ, ઉદારતા અને સેવાપરાયણતાની જીવંત કીર્તિ ગાથા બની રહે એવાં છે.૧૭ આવી ખમીરવ ́તી છે કચ્છની ભૂમિ. આવી ગૌરવશાળી કચ્છની પ્રજા એ ભૂમિને અને એ પ્રજાને નમન. ખસતાં ગયાં. છેવટે એને ‘ પૂરણુ ’ નામે એક ક્ાંટા જ કચ્છમાં રહ્યો, જે કચ્છના પશ્ચિમ ભાગમાં થઈ અરબી સમુદ્રને મળતા. સિ’ધુ નદીના મુખની એ પૂ` શાખાનું વહેણુ પણ ઈ. સ. ૧૭૬૪માં ઝારાના યુદ્ધ પછી સિંધના અમીર ગુલામ શાહે મારામાં બંધ બાંધીને કચ્છમાં આવતું અટકાવી દીધુ.. પરિણામે લખપતની ઉત્તરે આવેલા છઈ પ્રદેશનાં ડાંગરનાં ખેતરાની ફળદ્રુપતા ચાલી ગઈ. સિ ંધના અમીરાનું રહ્યું સહ્યું કામ ૧૮૧૯માં ધરતીકં પના કુદરતી ઉપદ્રવ વડે પૂ રું થયું. કારીનાળની પશ્ચિમે આવેલ મેાટા વિસ્તારની જમીન નીચે નમી જતાં ત્યાં એકાએક ખારું પાણી ફરી વળ્યું; તે સાથે સાથે મેટા રણમાં ૫૫ મીટર (૧૮ ફૂટ) ઊ ંચા, ૮૦ કિ. મી. (૫૦ માઈલ) લાંખા અને ૧૬ થી ૨૪ કિ. મી. (૧૦ થી ૧૫ માઈલ) પહેાળા જમીનના વિસ્તાર ઊંચા ઊપસી આવતાં, સિ ંધુના વહેણુ આડે, એવે। કુદરતી બંધ બધાઈ ગયા કે સિંધુનાં પાણી હંમેશને માટે કચ્છમાં આવતાં બંધ થઈ ગયાં.” (પૃ. ૪-૫) . “સિંધુની એક શાખાનેા કચ્છ બાજુના પ્રવાહ છેક ૧૮૧૯ના ધરતીકંપમાં ખસી ગયા ત્યાં સુધી એ કચ્છના તળ પ્રદેશના પેટાળમાં મીઠુ` પાણી ભરતા હતા, અને એ જ કારણે “ કચ્છડો બારે માસ ” લીલેા હેાવાની કહેતી થઈ પડેલી, એવા સદા લીલા પ્રદેશના આજે માત્ર દક્ષિણના પ્રદેશ ફળદ્રુપતા સાચવી રહ્યો છે એ પણ કાળની બલિહારી છે. '' (પૃ. ૨૭૨) ( આ હકીકત કચ્છનું સંસ્કૃતિન, ” પૃ. ૨૪૬ના આધારે નાંધવામાં આવી છે. ) * ૧૬. કચ્છમાં કાવીના ચાંદીના સિક્કાની શરૂઆત રાએ શ્રી ભારમલજી પહેલાના સમયમાં (વિ. સ. ૧૬૭૩ની સાલથી) થઈ હતી. એક વાર એમણે મોગલ બાદશાહ જહાંગીરની અમદાવાદમાં મુલાકાત લીધી ત્યારે એમને રાજી કરીને આ માટે પરવાનગી મેળવી હતી. ( કચ્છ કલાધર, ભાગ ૨, પૃ૦ ૩૪૪-૩૪૫ ) ‘કારી ' શબ્દ એ ‘કુંવરી ’ શબ્દનું દૂંકું રૂપ છે. જીએ, “ કચ્છમિત્રના રજત જયંતી વિશેષાંકમાં (પૃ૦ ૯૫) છપાયેલ “ કચ્છની કુંવરી (કારી ) ” નામે શ્રી કેશવલાલ ઝવેરીના લેખ. t * ,, ૧૭. કચ્છ સંબંધી વિશેષ, વિસ્તૃત અને વિવિધ વિષયેને લગતી માહિતી મેળવવા માટે ખીન્ન' પુસ્તકા ઉપરાંત આ ત્રણ પુસ્તકો ખાસ ઉપયાગી સામગ્રી પૂરી પાડે એવાં છે : (૧) કચ્છની સ ંસ્કૃતિના વિશેષજ્ઞ શ્રી રામસિંહજી રાઠેડકૃત “ કચ્છનું સંસ્કૃતિદર્શીન,” સને ૧૯૫૯; (૧) એલ. એફ. રશજીક વિલિયમ્સકૃત “ The Black Hills: Kutch in history and legends: A Study in Indian Local Loyalties. અને એને “ કારા ડુંગર કચ્છજા અથવા ઇતિહાસ અને લેાકકથામાં કચ્છ [ હિંદી રાજભક્તિનું એક અધ્યયન ] ’ નામે ગુજરાતી અનુવાદ; સને ૧૯૬૩; અને (૩) જાણીતા સાક્ષરા શ્રી રસિકલાલ છેટાલાલ પરીખ તથા ડૉ. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી સ`પાદિત “ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ” નામે પુસ્તકના ત્રણ પ્રથા, સને ૧૯૭૨, ૧૯૭૨ અને ૧૯૭૪. (આમાં પણ પ્રથમ ભાગ વિશેષ ઉલ્લેખનીય છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy