SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ શિલાલેખા શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીથૅની ઐતિહાસિકતા અને પ્રાચીનતા ઉપર પ્રકાશ પાડતા અને એના સ"ખ"ધી કેટલીક માહિતી આપતા શિલાલેખા અત્યારે બહુ જ ઓછી સખ્યામાં (ફક્ત છ જેટલા જ) સચવાઈ રહ્યા છે; અને એમાંથી જે કઈ માહિતી મળી આવે છે, તે પણ પ્રમાણમાં ઓછી છે. અને એ સ`ખંધી કેટલીક ચર્ચા-વિચારણા આ પુસ્તકનાં ત્રીજાથી સાતમા સુધીનાં પાંચ પ્રકરણેામાં, થાસ્થાને, છૂટક છૂટક, કરવામાં આવી છે. એટલે આ પ્રકરણમાં એ અગેની વિશેષ વિગત આપવાની કે એ સ`ખ'ધી વિશેષ વિચારણા કરવાની ખાકી રહેતી નથી. આમ છતાં, આ તીથ અને ભદ્રેશ્વર ગામને લગતી થોડી-ઘણી પણ માહિતી ધરાવતા શિલાલેખાનું એકસાથે નિરૂપણ-અવલાકન કરી શકાય એ દૃષ્ટિએ, આ પ્રકરણમાં એની રજૂઆત કરવાનુ` ઇષ્ટ ગણ્યું છે. આ શિલાલેખાને નીચે મુજબ ત્રણ વિભાગામાં વહેંચવામાં આવ્યા છે— (૧) ભદ્રેશ્વર તીથમાંના શિલાલેખા. (૨) ભદ્રેશ્વરના ઉલ્લેખવાળા શિલાલેખા. (૩) ભદ્રેશ્વરની પ્રાચીનતાનુ` સૂચન કરતા શિલાલેખા. (૧) તીથમાંના શિલાલેખો આ શિલાલેખાની રજૂઆત આ પ્રમાણે એ વિભાગમાં કરવામાં આવી છે— (અ) અત્યારે વિદ્યમાન શિલાલેખા. (આ) આ તીમાં ભૂતકાળમાં અમુક અમુક શિલાલેખા વિદ્યમાન હાવા સાઁબધી મળતા ઉલ્લેખા. (અ) વિદ્યમાન શિલાલેખા જે શિલાલેખા અત્યાર સુધી સચવાઈ રહ્યા છે તે નીચે મુજબ માત્ર છ જ છે. (૧) દેરાસરના ર’ગમ‘ડપમાંના વિ૦ સ’૦ ૧૯૩૯ના, લાંબી લાંબી ૪૨ લી’ટીઓના, સ‘સ્કૃત ભાષાના, મોટા શિલાલેખ. ( જીઓ, ચિત્ર ન. ૧૯) (૨) આ શિલાલેખની નીચેના એ જ સાલના આઠ લીંટીના ટૂંકા ગુજરાતી ભાષાના શિલાલેખ. (જુઓ, ચિત્ર ન’. ૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy