SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. ભગવાન મહાવીરનો અનેકાંત અને ભ. બુદ્ધનો મધ્યમ માર્ગ ભગવાન મહાવીર અને બુદ્ધ એક જ સમયે થયા છતાં પણ સમયની માંગને તેઓએ જુદી જુદી રીતે પૂરી કરી. એકનો અનેકાંતવાદ અને બીજાનો મધ્યમ માર્ગ હતો. ઉપર ઉપરથી જોતાં આ બન્ને વાદની એકતા ધ્યાનમાં આવે છે પણ તેમાં રહેલો ભેદ પણ જાણવા જેવો છે. અનેકાંતવાદ અને મધ્યમ માર્ગમાં જે સામ્ય છે તે એટલું જ છે કે હઠાગ્રહનો ત્યાગ કરવો. કોઈ પણ એક જ દૃષ્ટિને વળગી ન રહેવું એ બાબતમાં બન્નેનું સામ્ય છે પણ બન્નેમાં જે ભેદ છે તે પણ સમજવા જેવો છે. ભગવાન બુદ્ધનું કહેવું હતું કે આચારની કઠોરતા એ જેમ હાનિકારક છે, તેમ આચારની શિથિલતા પણ હાનિકારક છે. માટે શરીરને અનુકૂળ પડે તેટલા પ્રમાણમાં આચારનું પાલન કરવું જોઈએ; આકરી અને ઉગ્ર તપસ્યા જેમાં શરીરને અનેક પ્રકારે કષ્ટો આપવા જરૂરી લેખાતાં હોય, અને શરીરને અત્યંત જરૂરી હોય એવા ભોગનો પણ ત્યાગ કરવાનો હોય એ જેમ સમાધિનું કારણ ન બને, તેમ બધા પ્રકારના ભોગ ભોગવવા અને શરીરને સુખશીલ બનાવી મૂકવું. તેમાં કશા જ પ્રકારનું નિયંત્રણ ન મૂકવું. એ પણ સમાધિનું કારણ નથી. આથી આચારના વિષયમાં મધ્યમ માર્ગે ચાલવું એવો ઉપદેશ બુદ્ધે કર્યો. એ કાળના આ ચાર્વાકો એમ માનતા કે જીવનમાં કશા જ ત્યાગની જરૂર નથી. ચાર્વાકના આ મતનો વિરોધ બુદ્ધે કર્યો અને ત્યાગની જરૂર ઉપર ભાર મૂક્યો. પરંતુ સામે પક્ષે એ ત્યાગ અમર્યાદ ન હોવો જોઈએ પણ શક્તિને અનુસરીને હોવો જોઈએ. શરીરની સામાન્ય શક્તિને અનુસરીને હોવો જોઈએ. એમ પણ બુદ્ધ માનતા. તે કાળે જૈન શ્રમણો અને બીજા તપસ્વીઓ ઉત્કટ તપસ્યાનો માર્ગ સ્વીકારતા હતા અને શરીરને જેટલું બની શકે તેટલું કષ્ટ આપતા હતા. શરીરને આવશ્યક એવો સાદો ખોરાક પણ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy