SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ૭ માથુરી શતીમાં આચાર્ય હિરભદ્રે શાસ્ત્રવાર્તા સમુચ્ચય લખી પુનઃ સમગ્ર ભારતીય દાર્શનિક ચર્ચાઓનું જૈન દૃષ્ટિએ મૂલ્યાંકન કર્યું છે, એ વિશે પણ શ્રી મણિલાલ પછી ગુજરાતી વિદ્વાનોમાંથી કેટલાએ રસ લીધો ? આને પણ ટપી જાય એવું કાર્ય વાદી દેવસૂરિએ પ્રમાણનયતત્ત્વાલોક અને તેની ટીકા સ્યાદ્વાદરત્નાકર લખી કર્યું છે. અને એટલું જ મહત્ત્વ આચાર્ય અભયદેવકૃત સન્મતિની ટીકા વાદમહાર્ણવનું છે. આ પ્રકારના ગ્રંથો સમગ્ર ભારતીય દર્શનોમાં શોધ્યા જડશે નહિ એમ જ્યારે કહું છું ત્યારે મારી માત્ર જૈન ભક્તિ જ કારણ છે એમ ન માનવા વિનંતી કરું તો અસ્થાને નથી. આપ ભારતીય દર્શનોના અન્ય ગ્રંથો સાથે આ ગ્રંથોની તુલના કરો તો જ આપને મારી વાતનું સત્ય જણાશે. ભારતીય દર્શનોમાં વિવાદના જે અનેક પક્ષો છે તેનું સર્વાંગપૂર્ણ પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષરૂપે જે વિવેચન આ જૈન ગ્રંથોમાં મળે છે તેવું અન્યત્ર દુર્લભ છે. મારું તો ત્યાં સુધી કહેવાનું છે કે ભારતીય સમગ્ર દર્શનોના નિષ્ણાત થવું હોય તો ઉપર જણાવેલ ગ્રંથો વાંચો. તેથી બહારનું નહિ વાંચ્યું હોય તો પણ ભારતીય દર્શનોની જરૂરી માહિતી તેમાંથી મળી જશે. આવા ઉત્તમ ગ્રંથો ગુજરાતમાં લખાયા છતાં આપણે તેની ઉપેક્ષા કરી છે તે આપણું દુર્ભાગ્ય છે. સત્તરમી સદીના ઉપાધ્યાય યશોવિજયે અમદાવાદથી બનારસ જઈને નવ્યન્યાયની વિદ્યા પ્રાપ્ત કરી અને તે વિદ્યાનો ઉપયોગ સ્વતંત્ર ગ્રંથો લખવામાં કર્યો અને પ્રાચીન ગ્રંથો જેવા કે શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને અષ્ટસહસ્રીની નવ્યન્યાયનો આશ્રય લઈને ટીકા લખી તે ગ્રંથોને અદ્યતન દાર્શનિક ગ્રંથો બનાવી દીધા. આમ જૈન આચાર્યોએ સમગ્ર ભારતીય દાર્શનિક ચર્ચાનો સમાવેશ પોતાના ગ્રંથોમાં સમાવી લેવા જે પ્રયત્ન કર્યો છે તે ગુજરાતને ગૌરવ અપાવે એવો છે. પરંતુ એ ગૌરવના ગીત ગાયે કશું જ વળે નહિ. એનો લાભ આપણી નવી પેઢીને મળે એ ત૨ફ લક્ષ આપવાની જરૂર છે. આ અવસરે ભારતીય દર્શનો વિશે હમણાં હમણાં પ્રસિદ્ધ થયેલ ડૉ. નગીન શાહના “ન્યાય-વૈશેષિક દર્શન” પ્રત્યે આપ સૌનું ધ્યાન દોરવું જરૂરી માનું છું. આપણા વિદ્વાનોમાં દાર્શનિક ચર્ચાનો કેટલો રસ છે તે એ ઉપરથી જ જણાઈ આવશે કે આ શતીના ઉત્તમ ગુજરાતી દર્શન ગ્રંથ વિશે ‘ગ્રંથ'માં પ્રસિદ્ધ થયેલ સમાલોચન ઉપરાંત તેની સમાલોચના મેં અન્યત્ર જોઈ નથી. ન જોવામાં મારું અજ્ઞાન કદાચ કારણભૂત હશે પણ મને વિશ્વાસ છે કે ધ્યાનપાત્ર ચર્ચા થઈ નથી એ તો નક્કી. એ ગ્રંથ માત્ર ગુજરાતી ભાષાનો એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy