SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં સંશોધન પ્રવૃત્તિઓ • ૪૭ સંસ્કાર-વારસામાં ગુજરાતમાં તે તે કાળે પ્રચલિત ધર્મોએ કેટલો ભાગ ભજવ્યો એનું તારણ થવું જોઈએ. ઉપરાંત વ્યાપારી પ્રજા હોવાને કારણે તેમાં કયા પ્રકારનો સંસ્કારવારસો વિકસ્યો તેની પણ ઊંડી તપાસ થવી જોઈએ. ભારતીય ધર્મો અને દર્શન તથા ઇતિહાસ વિશે વિદેશી વિદ્વાનોએ જે લખ્યું છે તેનો આસ્વાદ નવી પેઢીને મળવાનો નથી. કારણ વડોદરાને બાદ કરીએ તો આપણી બધી જ યુનિવર્સિટીઓએ પરદેશી ભાષાના અધ્યયનનો લગભગ બહિષ્કાર જ કર્યો છે. આપણી યુનિવર્સિટીઓમાં સંસ્કૃતનું અધ્યયન પણ હવે ઉત્તરોતર ઘટતું જ જાય છે. એટલે ભારતીય ધર્મો અને દર્શનોનું મૌલિક અધ્યયન કરનારા અને કરાવનારાની સંખ્યા ઉત્તરોતર ઘટતી જશે. આ પરિસ્થિતિમાં જે કાંઈ શકાય છે તે પ્રથમ તો એ કે ધર્મ અને દર્શનોના ઉત્તમ ગ્રંથોના અનુવાદો ગુજરાતીમાં ઉપલબ્ધ થાય. પૂર્વકાળમાં આ વિશે આચાર્ય આનંદશંકર આદિએ જે કાંઈ કર્યું છે તેનું મૂલ્ય છે જ પણ આજની પરિસ્થિતિમાં તેટલા માત્રથી સંતોષ લઈ શકાય તેમ નથી. ગુજરાતમાં જ જે દાર્શનિક સાહિત્ય લખાયું છે તેમાં બૌદ્ધ અને જૈન દાર્શનિકોનો ફાળો બહુમૂલ્ય છે તે આપણને જે વિદેશી વિદ્વાન કહે તો સ્વીકારીએ પણ સ્વયં અભ્યાસ કરી તેનું મૂલ્યાંકન આપણે કરતા નથી. બહુ જ નમ્રતાપૂર્વક મારે એટલું કહેવાનું છે કે ભારતીય બીજાં બધાં દર્શનોનું નવનીત જો કોઈએ તારવ્યું હોય તો તે ગુજરાતના જૈન દાર્શનિકોએ તારવ્યું છે. અને ખેદની વાત તો એ છે કે આવી સંપત્તિ ગુજરાત પાસે પડી છે છતાં તે પ્રત્યે ગુજરાતના વિદ્વાનો ઉપેક્ષાભાવ સેવે છે. ભારતીય દર્શનોના ચર્ચાક્ષેત્રમાં અન્ય બધાં દર્શનોનો વિકાસ થયા પછી જ જૈન દાર્શનિકો પ્રવેશ્યા છે એટલે સારાસારનો વિવેક કરવાનો લાભ જૈનોને મળ્યો છે. અને આથી જ જૈનોએ દાર્શનિક ચર્ચાઓને મૂલવવા માટે નવાં કાટલાં ઊભાં કર્યા અને તેમ કરી નયવાદ અને સ્યાદ્વાદ–અનેકાંતવાદની શોધ કરી છે. પાંચમી શતીમાં ગુજરાતમાં થનાર મલવાદીએ ગુજરાતમાં જ જે ગ્રંથ લખ્યો તે નયચક્ર છે. આ ગ્રંથમાં - તત્કાલીન ભારતીય દાર્શનિકોની વિવિધ ચર્ચાના જે ગુણ-દોષોનું વિવરણ જોવા મળે છે તે તત્કાળના અન્ય કોઈ પણ દાર્શનિક ગ્રંથમાં ઉપલબ્ધ નથી થતું તેમ જો કહું તો આમાં કશી જ અતિશયોક્તિ નથી કરતો. અને છતાં પણ એ પ્રત્યે ગુજરાતી વિદ્વાનોમાંથી કેટલાનું ધ્યાન ગયું છે તે પૂછવાનું મન થઈ જાય છે. આપણે આપણી પોતાની સંપત્તિની આ રીતે ઉપેક્ષા કરી છે, કારણ કશું જ નહીં પણ કૂપમંડુકતા જ છે, એ મને કહેવા દો. આ પછી આઠમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy