SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા ૦ ૩૩ ન કરો જેથી બીજાને દુઃખ થાય. આ છે સામાયિક અને તેનો સર્વપ્રથમ ઉપદેશ. ભ. મહાવીરે જ આપ્યો છે એમ સૂત્રકૃતાંગમાં સ્પષ્ટીકરણ છે. આવા સામાયિક માટે સર્વસ્વનો ત્યાગ કરો તો જ બીજાના દુઃખના તમે નિમિત્ત નહીં બનો. એટલે ઘરસંસારથી વિરક્ત થાવ અને ભિક્ષાર્થી જીવન પાવન કરો એમ કહ્યું છે. ઘરસંસાર માંડ્યો હોય તો અનેક પ્રકારનાં કર્મો કરવાં પડે છે, જે બીજાને દુઃખદાયક છે. આથી બીજાના દુઃખનું નિમિત્ત ન બનવું હોય તો સંસારથી વિરક્ત થવું એ જ સાચો માર્ગ છે. ભિક્ષા જીવી થવાની પણ મર્યાદા એ છે, કે જે કાંઈ પોતાના નિમિત્તે થયું હોય તેનો સ્વીકાર ન જ કરવો. કારણ, આથી પોતે હિંસા ભલે ન કરતો હોય પણ બીજા પાસે એ કરાવતો હોય છે. પરિણામે આહાર આદિ આવશ્યકતાઓમાં મર્યાદા મૂકવી પડે અને તપસ્વી બનવું પડે. આથી આપણે જોઈએ છીએ કે, જૈન ધર્મમાં તપસ્યાનું મહત્ત્વ સ્થાપિત થયું. વૈદિકોમાં ભિક્ષાજીવી માટે આવી કોઈ મર્યાદા નથી, બૌદ્ધોમાં પણ નથી, અને અન્ય શ્રમણ સંપ્રદાયમાં પણ નથી. આથી જૈન સાહિત્યમાં અનશન આદિ તપસ્યાને વિશેષ મહત્ત્વ અપાયું છે. તપસ્યા તો પૂર્વે પણ થતી. પરંતુ તે બીજા પ્રકારે એટલે કે તપસ્યામાં બીજા જીવોના દુઃખનો વિચાર ન હતો. જેમ કે પંચાગ્નિ તપસ્યા. આમાં પોતાના શરીરને કષ્ટ છે એની ના નહીં, પણ અન્ય કીટપતંગોને પણ કષ્ટ છે તેનું જરા પણ ધ્યાન તેમાં અપાયું નથી. અગ્નિ આદિમાં જીવો છે. એનો તો વિચાર સરખો પણ જૈન સાહિત્યપૂર્વેમાં થયો જ નથી. આથી જ આચારાંગમાં સર્વપ્રથમ પંજીવનિકાયનું સ્વરૂપ બતાવવું જેથી જેને અહિંસક બનવું હોય, પરદુ:ખદાયક ન બનવું હોય તેણે એ તો જાણવું જ જોઈએ કે જીવો ક્યાં કેવા છે. એ જાણ્યા વિના અન્ય જીવોના કદનો ખ્યાલ જ ન આવે. એ જાણ્યા હોય તે પછી જ મનુષ્ય અહિંસક બની શકે. આમ તપસ્યાનું રૂપ જ બદલાઈ ગયું, જેનો પ્રારંભ જૈન સાહિત્યમાંથી જ મળી શકશે. વળી આ તપસ્યાનો ઉદ્દેશ કોઈ શક્તિ પ્રાપ્ત કરી બીજાનું ભલું-બૂર કરવું એ નથી પણ એક માત્ર આત્મવિશુદ્ધિ જ તેનું ધ્યેય છે. સંગ્રહ કરેલ કર્મનો ક્ષય કરવામાં જ તેનો ઉપયોગ છે જેથી શીધ્ર કર્મવિહીન થઈ શકાય. ધાર્મિક સદાચારની એક વિશેષતા એ પણ છે કે ધાર્મિક અનુષ્ઠાન એ વ્યક્તિગત છે, સામૂહિક નથી. યજ્ઞો જે થતાં તે પુરોહિતના આશ્રય કે સહાય વિના થતા નહીં, પણ જૈન ધર્મમાં ધાર્મિક કોઈ પણ અનુષ્ઠાન હોય તે વ્યક્તિગત જ હોય, સામૂહિક ન હોય–ભલે જીવો સમૂહમાં રહેતા હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy