SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ૦ માથુરી પુષ્ટિ અર્થે સમગ્ર જૈન ધાર્મિક સાહિત્ય પ્રયત્નશીલ રહ્યું છે. અને તેની છાપ ઉપનિષદ પછીના વૈદિક વાડ્મયમાં પણ જોવા મળે છે. કર્મવિચારણામાં જૈન સાહિત્યની આગવી વિશેષતા એ છે કે કર્મ કરનારને તેનું ફળ એ કર્મ જ આપે છે. વૈદિક મતે યજ્ઞકર્મમાં તેના ફળ માટે પ્રથમ દેવની અપેક્ષા હતી પણ પછી તો એ દેવતાને મંત્રમયી સ્વીકારવામાં આવ્યાં અને તેથી કર્મનું ફળ વાસ્તવિક દેવતાને આધીન ન રહ્યું પણ મંત્રને આધીન રહ્યું. આથી મંત્રના જ્ઞાતાનું મહત્ત્વ વધ્યું. અને તેઓ જ સર્વશક્તિસંપન્ન મનાવા લાગ્યા. આ પરિસ્થિતિનો સામનો જૈન સાહિત્યમાં બે રીતે થયો. એક તો એ કે એ મન્ત્રોની શક્તિનું નિરાકરણ સંસ્કૃત ભાષાનું જ નિરાકરણ કરી કરવામાં આવ્યું અને બીજું એ કે મંત્રમાં એવી કોઈ શક્તિનો અસ્વીકાર જ કરી દેવામાં આવ્યો અને તેને સ્થાને કર્મમાં જ ફળદાયિની શક્તિનો સ્વીકા૨ ક૨વામાં આવ્યો. આમ કર્મ કરનારનું જ કર્મના ફળ અંગે મહત્ત્વ થયું એટલે જે જેવું કરે તેનું તેવું ફળ તે પામે. આ વાત સિદ્ધાંતરૂપે થઈ. આ રીતે કર્મનું ફળ દેવાની શક્તિ દેવતા કે ઈશ્વર કે મંત્રમાં નહીં. પણ એ કર્મમાં જ છે, જેને લીધે ફળ મળે છે—આ સિદ્ધાંત સ્થિર થયો, એટલે સ્વયં મનુષ્ય જ શક્તિસંપન્ન થયો. માત્ર મનુષ્ય જ નહીં. પણ સંસારના સમગ્ર જીવો પોતાના કર્મને માટે સ્વતંત્ર થયા. આમ જીવને તેના સ્વાતંત્ર્યની ઓળખાણ સર્વપ્રથમ જૈન સાહિત્યમાં જોવા મળે છે. આ સિદ્ધાંતથી એ પણ ફલિત થયું કે સંસારમાં આ જીવ તેના પોતાના જ કર્મને કા૨ણે ભ્રમણ કરે છે અને દુઃખી થાય છે. તેના ૫૨માર્થપણે અન્ય કોઈ વ્યક્તિ કારણ નથી. અને જો આમ છે તો તેના શાશ્વત સુખ માટે તેણે પોતે જ પ્રયત્ન કરવાનો છે. તેને બીજો કોઈ સુખ આપી દેવાનો નથી. તે તો તેણે પોતાના અંતરમાંથી જ મેળવવાનું છે. અને તેનો ઉપાય છે—કર્મ વિહીન થવું તે. જૈનોનું પ્રાચીનતમ પુસ્તક આચારાંગ છે અને એમાં કર્મવિહીન કેમ થવું જેથી સંસા૨પરિભ્રમણ ટળે અને પરમસુખની નિર્વાણ અવસ્થા પ્રાપ્ત થાય. તે સમજાવવામાં આવ્યું છે. વૈદિકોમાં કર્મકાંડી યજ્ઞમાર્ગ અને ઉપનિષદોના જ્ઞાનમાર્ગથી આ માર્ગ—એટલે કે કર્મવિહીન થવાનો આ માર્ગ સાવ નિરાળો છે. સામાયિક આવા સમભાવનો સુધ્ધાં કર્મવિહીન થવાનો માર્ગ છે. તદનુસાર સર્વ જીવો સમાન છે—એટલે કે કોઈને દુઃખ ગમતું નથી. કોઈને મૃત્યુ ગમતું નથી. સૌને સુખ ગમે છે, જીવવું ગમે છે. માટે એવું કશું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy