SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરની જીવનકથાનો વિકાસ ૦ ૧૭ તો તે આ છે કે—માનવ તો શું પણ પ્રાણીમાત્રને ઈશ્વરની અધીનતામાંથી છોડાવીને સ્વાધીન કર્યો. જૈન ધર્મના ઉદય કાળમાં આ જ સિદ્ધાંત મુખ્ય હતો અને તેની પુષ્ટિ એ જ મુખ્ય ધ્યેય હતું. આથી એ સિદ્ધાંતની સંકલના ભ. મહાવીરના ચરિત સાથે જે કરવામાં આવી તે ઉચિત જ થયું છે. સાધકને એવી ખાતરી મળે છે કે કર્મનો નિયમ જો ભગવાન મહાવીર જેવાને પણ છોડતો નથી તો મારા જેવાને તો શાનો છોડે ? કર્મના ત્રાજવાનાં એક જ કાટલાં છે–ભગવાન અને સામાન્ય માનવી માટેનાં. આથી સામાન્ય માનવીમાં એ વિશ્વાસ પ્રગટે છે કે ભગવાન મારાથી જુદી માટીના ન હતા. તેઓ જે કરી શક્યા તે હું પણ કરી શકું છું. આવી સામાન્ય માન્યતા ઊભી કરવા છતાં સામાન્ય માનવી કરતાં ભગવાનમાં જે વિશેષતા હતી તે પણ ધ્યાનમાં લાવવી જરૂરી હતી. આથી ભ. મહાવીરના જીવનમાં કવિકલ્પનાને પણ સ્થાન મળ્યું તે કવિકલ્પનાએ અનેક પૂર્વભવોનું વર્ણન તો કર્યું જ; ઉપરાંત એ પણ બતાવી આપ્યું કે ભગવાનની તીર્થકર બનવાની સાધના એક જન્મની નથી, પણ અનેક જન્મની છે. એ સાધનામાં આત્મકલ્યાણની ભાવનાની સાથે સાથે લોકકલ્યાણની ભાવના ભળી હતી. એ મુદ્દાને ઉપસાવીને લેખકોએ વર્ણવ્યો છે, જેથી સાધકને તીર્થકર બનવાનો માર્ગ પણ મળી રહે–ઉત્સાહ પણ થાય. જે ભવ્ય જીવોને કેવળ આત્મકલ્યાણ નહીં. પણ પરકલ્યાણનો પણ ભાવ જાગે અને તદનુરૂપ જીવન ઘડાય ત્યારે જ તે સામાન્ય માનવી મટી અસામાન્ય માનવી બની જાય છે, તીર્થંકર બની જાય છે, અને એવા તીર્થંકરની પૂજામાં માનવો તો શું પણ સામાન્ય જનતામાં પૂજાતા એવા દેવો પણ શામિલ થઈ જાય છે. દેવોના પણ તે દેવ થાય છે–આવી ભાવનાની પુષ્ટિ અર્થે ચરિત-લેખકોએ ભગવાન મહાવીરના ચરિતમાં વારેઘડીએ દેવોની ઉપસ્થિતિ વર્ણવી છે. આમ કરવાનું એ પણ કારણ હતું કે ભૌતિક સંપત્તિની લાલસાની પુષ્ટિ અર્થે તે કાળના લોકો અન્ય દેવોની પૂજા કરતા; પણ આ દેવાધિદેવની પૂજા તો એ દેવી પણ કરે છે તો જે વસ્તુ દેવાધિદેવની પૂજાથી પ્રાપ્ત થાય તે જ મહત્ત્વની છે અને નહીં કે ભૌતિક સંપત્તિ. આમ પ્રાણીઓની અંતર્દષ્ટિ ખીલવવામાં પણ લેખકોની કલ્પનાએ આ પ્રકારનો ભાગ ભજવ્યો છે. આ અર્થમાં ભ. મહાવીરના જીવનમાં અલૌકિક જણાય તેવી ઘટનાઓને સ્થાન મળ્યું છે જેને આજનો સમાજ કદાચ સત્ય ઘટના ન માને તો પણ કોઈ વાંધો નથી. તેનું મૂલ્ય સમજે તે પણ પર્યાપ્ત થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy