SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ભગવાન મહાવીરની જીવનકથાનો વિકાસ ભગવાન મહાવીરના જીવનનો વિચાર બે રીતે કરવાનો છે. તેમના જીવનમાં વસ્તુતઃ બનેલી ઘટનાઓ અને લેખકે આરોપેલી ઘટનાઓ, પ્રાચીન જૈન આગમો, જેવાં કે આચારાંગ, સૂત્રકૃતાંગ, ભગવતી આદિ–વાંચતાં ભગવાન મહાવીરનું જે ચિત્ર આપણી સમક્ષ ખડું થાય છે તે એક પ્રકારનું છે. તેમાં કેટલીક વાર ભગવાન પોતે જ પોતાના જીવનને વર્ણવતા હોય એમ આગમના સંકલનકર્તાએ વર્ણવ્યું છે. તેમાંની ઘણી ખરી ઘટનાઓ બલ્લે તેનો મોટો ભાગ પ્રતીતિકર જણાય છે, અને તેમાં સ્વાભાવિક રીતે તે ઊર્ધ્વગામી આત્માનો વિકાસક્રમ કઈ રીતે થયો છે તે સ્પષ્ટ તરી આવે છે. સારાંશ કે એક માનવનો માનવ તરીકે ચરમ વિકાસ કઈ રીતે થયો તે સ્પષ્ટ થાય છે. પણ આગમ પછીના કાળની જે જીવનકથાઓ છે તેમાં ભગવાનના જીવનચરિતમાં કવિકલ્પનાને અને સુબદ્ધ સંપ્રદાયની માન્યતાઓની પુષ્ટિને અવકાશ આપવામાં આવ્યો છે. જૈનોના કર્મસિદ્ધાન્તની પુષ્ટિ ભ. મહાવીરના જીવનને આધાર બનાવીને કરવાનો જે પ્રયત્ન થયો તેથી ભગવાન મહાવીરના જીવન ચરિતમાં રોચકતા તો આવી જ, ઉપરાંત કર્મસિદ્ધાન્તને પુષ્ટિ મળી. મૂળ સૂત્રરૂપ આગમમાં ભ. મહાવીરના પૂર્વભવોની ખાસ ચિંતા કરવામાં આવી નથી, જ્યારે પછીના ચારિત્ર લેખકોએ ભ. ઋષભદેવના ચરિત્ર સાથે ભ. મહાવીરના પૂર્વભવને સાંકળવાથી તીર્થંકરપદ પ્રાપ્તિ પૂર્વેની ભ. મહાવીરની જે સાધના અને ખામી હતી અને તેને પરિણામે તેમને જે સારા માઠાં ફળ ભોગવવાં પડ્યાં, તેનો નિર્દેશ મળી રહે છે. આથી એક વસ્તુ ઉપર તો ભાર અપાયો જ કે તીર્થકરને પણ પોતાનાં કર્મફળ ભોગવ્યા વિના છૂટકો નથી, તો સામાન્ય જીવ એ કર્મના અચળ નિયમમાંથી છટકી શકે નહીં. જૈન ધર્મે ભારતીય તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં કાંઈ નવું પ્રદાન કર્યું હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy