SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ - માધુરી મનુષ્ય એક સામાજિક પ્રાણી મનાયું છે અને હવે તો તેના સમગ્ર જીવન ઉપર સમાજની એટલી બધી છાપ છે અને સમાજનું એટલું બધું. પ્રભુત્વ જામી ગયું છે કે માત્ર વૈયક્તિક જેવું કશું જ કદાચ ન મળે. આપણને એમ લાગે કે ખાવાપીવામાં તો વ્યક્તિ સ્વતંત્ર જ છે અને તેનો સંબંધ સમાજ સાથે નથી. પણ જ્યારે આપણે વિચારીશું ત્યારે જણાશે કે આપણો આહારનો વિધિ આપણે પોતે માત્ર આપણી એકલાની દૃષ્ટિએ જ વિચારીને આપણે ઘડ્યો નથી હોતો. પણ જે સમાજમાં આપણું પાલન-પોષણ થયું હોય છે એ સમાજે જુગજુગના અનુભવે આપણે માટે આહારવિધિ ઘડી કાઢ્યો છે તેની બહાર જઈ, તેથી વિરુદ્ધ વર્તવું આપણે માટે લગભગ અશક્ય છે. થોડું ખાવું કે વધારે ખાવું એ વૈયક્તિક શક્તિ-અશક્તિને લઈને થતું હોઈ એને વૈયક્તિક કહી શકાય, પણ શું અને ક્યારે, કેમ ખાવું તેનો આધાર તો મોટે ભાગે સમાજ ઉપર છે. આની પ્રતીતિ ત્યારે થાય છે જયારે આપણે વિદેશમાં જઈએ છીએ. * વિદેશ તો બહુ દૂરની વાત થઈ પણ ગુજરાત અને મારવાડનું અંતર નહિ જેવું છતાં, ગુજરાતને મારવાડની રસોઈ માફક નથી આવતી. જે વસ્તુને માત્ર વૈયક્તિક સંબંધ હોવો જોઈતો હતો તે પણ કેટલા મોટા પ્રમાણમાં - સામાજિક થઈ ગઈ છે તે આહારના આ દાખલા ઉપરથી સમજાશે. ત્યારે આવા પ્રસંગે સદાચાર અને દુરાચારની ભેદક રેખા કઈ ? ગુજરાતીને અમુક ખાવાપીવાનો રિવાજ પડી ગયો હોય તે તેના માટે સદાચાર છે. એ સમાજમાં રહી જો તે બીજું માગે તો તે આચાર વિરુદ્ધ એટલા માટે છે કે તેથી નિયત કરેલી સામાજિક વ્યવસ્થામાં ભંગાણ પડે છે અને તે રસોડામાં અવ્યવસ્થા ઊભી કરે છે તે કારણે ક્ષોભનું સામાજિક ક્ષોભનું કારણ બને છે. પણ આનો અર્થ એ પણ નથી કે એવા ક્ષોભનું કારણ એણે સર્વથા બનવું જ ન જોઈએ. જો તેમ માનવામાં આવે તો તો સમાજમાંની ગતિશીલતાનો ભંગ થાય અને સમાજ ત્યાંનો ત્યાં જ રહે. એવો ક્ષોભ સમાજમાં બે કારણે થઈ શકે છે. એક તો આપણને ચોખ્ખું દેખાતું હોય કે સમાજના આહારના અમુક આચારથી તેનું અકલ્યાણ જ છે. જેમ કે, આપણા ગુજરાતમાં એક વખત કારજ કરવાની પ્રથા હતી. તેમાં જેણે ગાબડું પાડવાનો વિચાર કર્યો તેણે ક્ષોભ તો ઊભો કર્યો જ, અને કેટલાકે તેની એ વાત સદાચારમાં ગણી નહિ, પણ સમય જતાં તે વસ્તુ સમાજહિતકર્તા સિદ્ધ થઈ અને સમાજે તેને સ્વીકારી. એટલે ક્ષોભ થાય એટલા માત્રથી કોઈ કર્તવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy