SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સદાચારઃ સામાજિક અને વૈયક્તિક - ૨૩૩ મૂર્તિપૂજા એ ભગવત્પ્રાપ્તિનું સાધન છે. આમ જયારે આચારનું વૈવિધ્ય આપણી સામે આવે છે ત્યારે, સામાન્ય મનુષ્યની તો વાત જ્યાં, પણ વિદ્વાનોની મતિ પણ એ બાબતમાં મૂંઝાઈ જાય તો તેમાં આશ્ચર્ય નથી. આવી સ્થિતિ છતાં, સદાચારની કસોટી તો શોધવી રહી. તે બાબતમાં અરાજકતા ભલે દેખાતી હોય, છતાં વસ્તુતઃ અરાજકતા છે જ એમ કહેતાં પહેલાં વિચાર કરવો જોઈએ. સામાન્ય રીતે સદાચાર કોને કહેવો અને કોને ન કહેવો એની વિચારણા બે દષ્ટિએ થઈ શકે સામાજિક અને વૈયક્તિક. સદાચાર સામાજિક દૃષ્ટિએ દેખીતી રીતે શાશ્વત સત્ય જેવું નથી દેખાતું, પણ જરા ઊંડો વિચાર કરીએ તો એક વાતમાં આપણે એકમત થઈ શકીએ કે, સમાજને અર્થાત્ અમુક મર્યાદાઓમાં સંગઠિત મનુષ્ય-સમાજને સર્વથા અહિતકર જ હોય છે, તેને કદી જ સામાજિક સદાચાર ગણવામાં આવ્યો નથી. એક સમય અથવા કાળની દૃષ્ટિએ એમ બને કે જે એક વસ્તુને હિતકર કે અહિતકર માનવામાં આવી હોય, તે જ પાછી બીજા દેશ અથવા કાળમાં અહિતકર કે હિતકર બની જાય. પણ એવો આચાર કદી જ કે કોઈ દેશમાં સદાચાર ન જ મનાય, કે જેથી તે કાળે તે દેશમાં બહુજનનું અહિત થતું હોય. લગ્નપ્રથામાં સમાજને જ્યારે જે હિતકર દેખાયું ત્યારે તેનું આચરણ સમાજમાં માન્ય થયું છે અને તેને તે તે કાળ કે દેશનો સદાચાર ગણવામાં આવ્યો છે. એથી તદ્દન વિરોધી દેખાતા લગ્નવિષયક રિવાજોમાંથી કોઈ એકને દુરાચાર કે સદાચાર જ ગણી કાઢતાં પહેલાં, તે સમય અને કાળની પરિસ્થિતિનો વિચાર લક્ષ્યમાં રાખવો જોઈએ અને તેથી તે કાળ કે દેશમાં તે તે રિવાજથી સમાજનું અહિત કે હિત થયું છે કે નહિ તે જોવું જોઈએ અને એવી પરીક્ષા પછી જ તે વિશે સદાચાર કે દુરાચારનો નિર્ણય કરવો જોઈએ. વૈયક્તિક સદાચારનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આપણી સામે સ્વતંત્ર વ્યક્તિ ઉપરાંત કોઈ પણ એક સમાજના ઘટક તરીકેની વ્યક્તિ હોઈ તે બન્ને દષ્ટિએ વૈયક્તિક આચરણનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. વ્યક્તિનું કેટલુંક આચરણ એવું હોય છે, જેનો સંબંધ સમાજ સાથે હોય છે. એને આપણે સામાજિક આચાર ગણીએ અને જે આચારનો સંબંધ માત્ર વ્યક્તિ પૂરતો જ છે તેને વૈયક્તિક આચાર કહીએ. ખરી રીતે માત્ર વૈયક્તિક આચાર - જેવું બહુ જ થોડું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy