SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સુધારાના રાહ પર ૦ ૨૨૫ નજરમાં આવતું નથી. અને મારી અલ્પ મતિ અનુસાર આ પણ એક ઐક્યનું બાધક છે. આવી હિંસાજન્ય પ્રવૃત્તિને આપણામાંથી કેટલાક સખત નિષેધ કરે છે જયારે પ્રતિપક્ષી એકદમ જોરથી ખેંચી રાખે છે. આથી ઐક્યની સંભાવના રહેતી નથી. આપણે જૈન છીએ, સાચા જૈન હોઈએ, તો ચરબીવાળાં કપડાં તો ન જ પહેરવાં જોઈએ. ચરબી મિશ્રિત ચીજો ન વાપરી શકાય તેમાં આપણો અહિંસાધર્મ ન સચવાય અને ધર્મથી વિમુખ થઈએ. વળી ખોટા ખર્ચે જે ધર્મને નામે થાય છે અને મોક્ષનાં સાધનો મનાય છે, તેને તત્કાળ બંધ કરવાની જરૂર છે. આપણા હજારો નહીં ને લાખો ભાઈ ભૂખે મરે છે. પહેરવા પૂરાં કપડાં મળતાં નથી, ફક્ત તેમના ખાતર જ ખોટા ખર્ચ બંધ કરીને, બચેલ પૈસાનો તેમના માટે ઉપયોગ થાય તો આજે કહેવાય છે કે દર વર્ષે આઠ હજાર જૈન ઘટે છે. તે સંખ્યામાં કાંઈક સુધારો થાય. અને હજાર મનુષ્ય ધર્મભ્રષ્ટ થતાં અટકે. આપણે એવું વર્તન રાખવું જેથી પરસ્પર વિરોધ ન વધે અને ઐક્યની સાધના થાય. કોઈને ખોટો કહેવો નહિ પરંતુ આપણી દૃષ્ટિનો દોષ માનવો. અપેક્ષાવાદને ભૂલવો નહિ. હંમેશ નયવાદને આગળ ધરવો. જાતિભેદ તેમ જ વર્ણભેદને ધર્મમાં સ્થાન ન આપવું. અહિંસાવાદીઓએ હિંસાજન્ય પ્રવૃત્તિમાં ભાગ લેવો નહિ. ધર્મને નામે ખોટા ખર્ચા કરવા નહિ. ફક્ત આટલું જ થાય તો પરસ્પર વિરોધ મટે અને સંસારમાં શાંતિ વર્તે અને ભગવાન મહાવીરનો જમાનો આજના યુગમાં આવી જાય. એ આશા સાથે વિરમું છું. ૐ શાંતિ ! શાંતિ !! શાંતિ !!! જૈન પ્રકાશ ૪-૯-૧૯૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy