SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ માથુરી રાગદ્વેષને જીતનારા છીએ. અને વ્યવહારમાં તો કાંઈ પણ ઉતારવું નથી. જો આપણે આપણી નૈતિક, વ્યાવહારિક, અને ધાર્મિક ઉન્નતિ ઇચ્છતા હોઈએ તો આપણે નયવાદને વ્યવહારમાં લાવવો જ જોઈએ. આપણે મહાવીરના જમાના તરફ દૃષ્ટિપાત કરીશું તો માલૂમ પડશે કે તે વખતે યજ્ઞ તેમ જ જાતિવાદનું જોર બહુ જ હતું. તેને લીધે હિંસાનું સામ્રાજય બધી દિશાઓમાં જામી ગયું હતું. બિચારા શૂદ્રોને ધર્મનો અધિકાર ન હતો. આ બધું ભગવાન મહાવીર જોઈ ન શક્યા. તે એક વીર તેમ જ મહાન ક્રાંતિકારી મનુષ્ય હતા, તેથી તેમણે આ બધી વાતોનો નિષેધ કરી અહિંસાનું સામ્રાજ્ય જમાવ્યું અને જાતિવાદને તોડીને સર્વ મનુષ્ય તો શું, પણ પ્રાણીમાત્રને ધર્મના સમાન અધિકાર આપ્યા. આ લખવાનો મારો આશય એ જ છે કે આજે આપણને જૈન ધર્મના પુનરુદ્ધારની જરૂર શાથી પડી, એ ભૂલી ગયા છીએ. અન્યથા આપણે શૂદ્રો (અંત્યજ) તરફ આવો વર્તાવ કરીએ જ નહિ. અંત્યજોને આપણે ઉપાશ્રય તેમ જ મંદિરમાં આવવા દેતા નથી. તેમને ધર્મનો સમાન હક્ક આપતા નથી. આપણે જૈન ધર્મ અંગીકાર કરવાને લાયક જ નથી. તેનો વીર જ અંગીકાર કરી શકે. જેને નજીવી વાતોની પણ સહિષ્ણુતા નથી, જેનામાં ક્ષમાનો છાંટો પણ નથી, જે સમભાવ શું છે તે જાણતો પણ નથી તેને જૈન કહેવરાવવાનો દાવો કરવો તે દંભ માત્ર જ છે. ભગવાન મહાવીરની પરિષદમાં તિર્યંચો પણ આવતા ત્યારે આપણે તો મનુષ્યને પણ મના કરીએ છીએ? તેના પરિણામરૂપે જે જૈન ધર્મ વિશ્વધર્મ હતો તે એક વણિક સમાજરૂપી ખાબોચિયામાં જ સડે છે. એ બધું આપણી સંકુચિતાને જ આભારી છે. હજુ પણ કયાં બગડી ગયું છે. જાગ્યા ત્યાંથી સવાર ગણીને જેઓ ધર્મથી વિમુખ કે જેને બીજા લોકો ધિક્કારે છે અને ધિક્કારવામાં જ ઊલટો ધર્મ માને છે, તેને આપણે અપનાવીએ અને આપણી ઉદારતાનો પરિચય દઈએ. તેઓને ઉપાશ્રય તેમજ ચૈત્યાલયોનો લાભ લેવા દઈએ. અહા ! આવો સમય ક્યારે આવે કે સર્વે વર્ણ, સર્વે જાતિને આપણે આપણા ઉપાશ્રય, મંદિર આદિનો લાભ લેતા જોઈએ ! વળી આપણે શ્રી હરકેશી મુનિ તેમ જ શ્રી મેતારક મુનિની જ્ઞાતિ કેમ ભૂલી જઈએ છીએ ? એટલે આમ કરવામાં આપણને કોઈ પણ પ્રકારે બાધા નહિ આવે. એક વાત ઘણી જરૂરની છે. હું ઉપર બતાવી ગયો તેમ હિંસાનો સખત નિષેધ કરવા માટે ભગવાને જૈન ધર્મનો પુનરુદ્ધાર કર્યો. પરંતુ આપણે જોઈએ છીએ કે હાલમાં આપણાં કેટલાંક કાર્યોમાં હિંસા સિવાય બીજું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy