SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬૦ માથુરી કે સંયમીને આપવાથી એનો ઉપયોગ સારો થશે. પણ સંયમીને જ આપવાથી પુણ્ય થાય એવી માન્યતાને કારણે એમ પણ બને કે સંયમીને આવશ્યકતાથી પણ અધિક મળે અને તેનું પરિણામ એ પણ આવે કે તેના સંયમનો ઘાત થાય. તો અહીં દાતાને પુણ્ય માનવું કે પાપ એ પ્રશ્ન ઉપસ્થિત થાય. અહીં પણ સંયમીને દેવાથી તો પુણ્ય જ થાય એમ માનીએ તો એ સ્વીકારવું પડે કે એ દાન સંયમીને આપ્યું એટલે ઉચિત કર્યું, પણ સંયમીને એનું ફળ ગમે તે મળે એ આપણે જોવાનું નહિ. આપણા પોતાના અધ્યવસાયો એવા હતા, કે મારા આ દાનથી તેના સંયમની વૃદ્ધિ થાય. પછી ભલે તેણે તે દાન મેળવી પોતાના સંયમનો ઘાત કર્યો. તેની જવાબદારી દાતાની નથી. તે જ પ્રમાણે અસંયમી વિશે પણ શા માટે ન વિચારી શકાય કે ભૂખ્યો માણસ શું શું પાપ ન કરે ? માટે તેને તો પેટ ભરવું એ એના સંયમનું પહેલું પગથિયું છે. પેટ ભરાયું હશે તો અનેક પાપોમાંથી નિવૃત્ત થઈ સન્માર્ગે ચડશે. આમ વિચારી કોઈ દાન દે તો તેને શા માટે પુણ્ય ન થાય ? અહીં પણ એના દાનનું ફળ લેનારને સંયમમાં પરિણમે કે અસંયમમાં પરિણમે એવો સંભવ છે. પણ દાતા તેનો નિર્ણય પ્રથમથી કરી શકતો નથી. તેની ભાવના એવી જરૂર છે કે મારા આ દાનનો સદુપયોગ થાય. તો પ્રથમ દૃષ્ટાંતમાં સંયમનો ઘાત છતાં જો તે પુણ્યજનક હોય તો અહીં અસંયમની વૃદ્ધિ છતાં શા માટે પુણ્ય ન થાય ? બન્ને ઠેકાણે અંતિમ નિયામક ભાવના દાતાની ભાવના જ છે. ભાવનાના મૂળમાં વિવેક જરૂરી છે જ. પણ એ વિવેકનું ક્ષેત્ર પ્રથમથી નક્કી કરી લેવું કે સંયમીને વિશે દાન દેવામાં વિવેકનો ઉપયોગ કરવો અને અસંયમી તો પાત્રની કોટિમાં જ નથી તો એવી વિવેકની ક્ષેત્રની મર્યાદા સંકુચિત જ છે. મુનિશ્રી નથમલજીએ જૈન ભારતીમાં દાન વિશેનું સુંદર શાસ્ત્રીય નિરૂપણ કર્યું છે. (વર્ષ ૩ અંક ૮) પણ એ આખા વિવેચનમાં દૃષ્ટિ આચાર્ય ભીગ઼જીની છે એટલે એકાંગી વિવેચન થઈ ગયું છે. અને અંતમાં જે તેમણે લખ્યું કે થોડું પાપ અને અધિક પુણ્યની ક્રિયાને ઠીક માનવામાં આવે તો પછી યાજ્ઞિક હિંસાને વિરોધ કરવાનો કોઈ આધા૨ રહેતો નથી. આ તેમનું વકતવ્ય માનવ જીવનમાં અહિંસા અને હિંસા કેટલી વણાયેલી છે અને વ્યક્તિ દાવો ભલે કરે પણ મોક્ષ વિના સર્વથા બાહ્યવધથી બચી શકતો જ નથી, અને એથી જ હિંસાથી બચવાના જે ક્રમિક પગથિયાં છે તેનું અજ્ઞાન જ સૂચવે છે. તેમના કથનનું તાત્પર્ય એ જણાય છે કે માણસ યા તો હિંસક છે કે અહિંસક, તેમના મતે વચ્ચેનો કોઈ માર્ગ હોઈ શકે જ નહિ. આ તેમનું તાત્વિક મન્તવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy