SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ માથુરી નક્કી કર્યું પણ વિચાર આવ્યો કે આપણા સ્વાર્થ માટે આપણે બીજા લોકોનો યુદ્ધમાં શા માટે વિનાશ કરવો એટલે બન્નેએ મલ્લ યુદ્ધ આદિ વ્યક્તિગત યુદ્ધ કરવાનું નક્કી કર્યું અને તેમાં પોતાના જ ભાઈની હત્યા થશે એવું વિચારી બાહુબલિ સંન્યાસી થઈ ગયા અને ભરત પ્રથમ ચક્રવર્તી બન્યો. તે ભારતના નામે જ આપણો દેશ ભારત નામે આપ્યો છે. ઋષભદેવની બન્ને પુત્રી–બ્રાહ્મી અને સુંદરી પણ જૈન દીક્ષાને અંગીકાર કરીને વિચરતી હતી, તેમણે બાહુબલિને ઘોર તપસ્યા કરતા જોયા અને તેમને લાગ્યું કે આ ભાઈના મનમાં હજુ અહંકારનો કાંટો છે. તેથી તેમને આત્મસાક્ષાત્કાર થતો નથી. તેથી તેમણે બાહુબલિ પાસે જઈને ઉપદેશ આપ્યો કે “વીરા મોરા ગજ થકી હેઠા ઊતરો” આ સાંભળી તેમનો અહંકાર ગર્વ ગયો અને સર્વજ્ઞ બની ગયા. ઋષભની માતા મરૂદેવીએ જ્યારે જાણ્યું કે ઋષભદેવ કેવળજ્ઞાની થઈ લોકોને ધર્મોપદેશ દેતા ફરે છે ત્યારે તેમના દર્શને જવા વિચાર્યું અને હાથીની સવારીમાં બેઠા બેઠા જ ઋષભદેવની આધ્યાત્મિક અને બાહ્ય સિદ્ધિ જોઈને તેમને હાથી ઉપર જ બેઠા બેઠા જ્ઞાન થયું. અને પછી આ યુગના પ્રથમ સિદ્ધ તે થયા. આ ઋષભદેવનું ચરિત્રવિસ્તારથી બ્રાહ્મણ પુરાણમાં પણ મળે છે. અને તેમાં પણ તેમને મહાન વ્યક્તિ તરીકે, મહાન તપસ્વી તરીકે ધર્મપ્રવર્તક તરીકે ઓળખાવવામાં આવ્યા છે. - આમ જૈનો જેને પોતાના આદિ તીર્થકર માને છે. તેમને હિન્દુ ધર્મમાં પણ ઉચ્ચ સ્થાન મળ્યું છે તે બતાવે છે કે ધર્મ વિશે તે કાળના માનવનું મન આજની જેમ સંકુચિત ન હતું. જ્યાં પણ ગુણ જુએ ત્યાં તેની પૂજા કરવામાં તે તત્પર થતો એ જઈ શકાય છે. ધર્મલોક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy