SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. કરોડો વર્ષ જૂના આદિ તીર્થકર ભગવાન ઋષભદેવ ભગવાન ઋષભદેવ જૈનોના આ યુગના પ્રથમ તીર્થકર મનાય છે. તેમનો કાળ આજથી કરોડો વર્ષ જૂનો માનવામાં આવે છે. ઋષભદેવ માત્ર જૈનોના પ્રથમ તીર્થકર જ નથી. ભારતની સંસ્કૃતિના આદિ પ્રવર્તક પણ મનાય છે. તેમના કાળસમાજનું જે ચિત્ર છે તે કાંઈક આવું છે, મનુષ્ય વૃક્ષોમાંથી જ પોતાનાં વસ્ત્ર, આહાર, આદિની બધી જ જરૂરિયાતો પૂરી પાડતો હતો, લગ્ન જેવી સંસ્થા કે વ્યવસાયોનો હજુ પ્રારંભ જ ન હતો. ત્યાં લખવા વાંચવાની તો વાત જ ક્યાંથી હોય ? જૈન પરંપરામાં માનવામાં આવ્યું છે કે તે કાળનો મનુષ્ય એક પુત્ર અને એક પુત્રીને યુગલરૂપે જ જન્મ આપતો અને તે બન્ને પતિ-પત્નીરૂપે વરતીને પોતાના જેવું જ યુગલ પેદા કરી મૃત્યુ-શરણ થતાં–આ પ્રકારે વંશવેલો આગળ ચાલતો. ભગવાન ઋષભદેવે લગ્નપ્રથા શરૂ કરી, લોકોને વૃક્ષ ઉપર જ નિર્ભર ન રહેતાં શીખવ્યું અને કૃષિનું જ્ઞાન આપ્યું. રાજ્યવ્યવસ્થા ગોઠવી અસિની વિદ્યા શીખવી. અને પોતાની પુત્રી બ્રાહ્મીને લિપિ શીખવી. તે જ બ્રાહ્મીલિપિ તરીકે ઓળખાઈ અને આજની ભારતની બધી લિપિઓનો વિકાસ તે બ્રાહ્મીલિપિમાંથી થયો. ઋષભદેવે તે કાળના લોકોના આગ્રહથી રાજપદ સ્વીકાર્યું પણ અંતે બધું જ છોડીને સંન્યાસી થઈ ગયા. ઘોર તપસ્યા કરી સર્વજ્ઞ બન્યા પછી લોકોને ધર્મ-ઉપદેશ આપવા લાગ્યા અને પ્રથમ તીર્થંકર બન્યા. સંન્યાસ લેતી વખતે તેમણે પોતાના પુત્રોને રાજ્ય વહેંચી દીધું હતું પણ તેમાંનો ભરત તેજસ્વી હતો. તેણે દિગ્વિજયનો પ્રારંભ કર્યો અને ચક્રવર્તી બનવાની ભાવના સેવી બધા ભાઈઓને ખંડિયા રાજા બનાવ્યા. પણ તેમનો બાહુબલિ નામે ભાઈ તેમને વશ થવા તૈયાર ન હતો, તેમણે યુદ્ધ કરવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy