SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨૦ માથુરી આ જ શતાબ્દીએ હિટલર જેવા અતિ ક્રૂર માનવને જોયો અને વિશ્વમૈત્રીના સતત પાઠ પઢાવનાર ગાંધીજી જેવા અતિમાનવને પણ જોયો. હિટલરનો વિનાશ પણ જોયો. અને વિશ્વવંદ્ય ગાંધીજીનું વીરમૃત્યુ પણ જોયું. છતાં જ્યારે અહિંસાના અખંડ ઉપાસકનું મૃત્યુ એક હિંસકના હાથે થતું જોયું ત્યારે તે નૃત્યને વિશ્વે ઊલટથી વધાવ્યું નથી એ બતાવે છે કે એમાં અહિંસા ઉપર હિંસા વિજયવંતી નથી થઈ પણ અહિંસાનો જ વિજયવાવટો ફરક્યો છે. આ એક જ વસ્તુ ગાંધીજીના જીવનને કૃતાર્થ કરી શકે છે. હિંસક તેમના દેહને નષ્ટ કરવામાં સમર્થ થયો છે પણ તેમની પ્રેમભાવના અખંડ જ રહી છે. ગાંધીજીનો દેહ વિલીન થયો છે પણ તેમનો આત્મા વિશ્વાત્મામાં અમર છે અને તે જ તેમના સંદેશને અમરતા પ્રદાન કરશે જ એમાં સંદેહ નથી. તેમના શરીરના અંત સાથે તેમની ભાવના, તેમની પ્રવૃત્તિ કાંઈ મરી નથી, મરી શકે પણ નિહ. જો એમ બનતું હોત તો ક્રાઇષ્ટ, બુદ્ધ અને મહાવીરના નવાવતાર રૂપે ગાંધીજી આપણી વચ્ચે આવી જ શક્યા ન હોત. પણ જેમ ગાંધીજીના મૃત્યુ છતાં તેમની પ્રવૃત્તિ અમર છે તેમ સામે પક્ષે હિંસકોના મૃત્યુ છતાં તેમની પ્રવૃત્તિ પણ ચાલુ જ છે, એ પણ ભૂલવું ન જોઈએ. એટલે ગાંધીજીના આત્માને, તેમના સંદેશને, તેમની પ્રવૃત્તિ અને ભાવનાને જો આપણે અમર સમજતા હોઈએ તો તેમના અનુયાયીઓની ફરજ સ્પષ્ટ છે કે તેમણે ગાંધીજીને પોતાની સમક્ષ જ કલ્પીને, પોતાના આત્મા સાથે તે મહાન આત્માનું તાદાત્મ્ય કલ્પીને જ ગાંધીજીની ભાવનાને, તેમની પ્રવૃત્તિઓને અમરતા જે રીતે પ્રાપ્ત થાય તે રીતે વર્તવું જોઈએ. એકાદ ગોડસે કે એકાદ કર્મારકર કે ભોપટકરનો અંત કરવાથી કાંઈ ન વળી શકે પણ જે ખોટો રાહ છે તે માનવસમાજમાંથી ઉચ્છિન્ન થાય તે માટે જ પ્રયત્ન કરવો જોઈએ. અન્યથા વૈ૨-પ્રતિવૈરની ધારા ચાલુ રાખવામાં જ આપણે નિમિત્ત બનીશું, જે ગાંધીજીને ઇષ્ટ હતું જ નહિ. આપણે ગમે તે ક્ષેત્રમાં કામ કરતા હોઈએ પણ ગાંધીજીએ દરેક ક્ષેત્રમાં નવો માર્ગ બતાવ્યો છે. એક પણ એવું ક્ષેત્ર નથી જેમાં ગાંધીજીએ સંજીવનીમંત્ર ન ફૂંક્યો હોય. એટલે કોઈ પણ પછી તે મજદૂર હોય કે માલિક હોય, શિષ્ય હોય કે શિક્ષક હોય, રાજકર્તા હોય કે પ્રજા હોય, પતિ હોય કે પત્ની હોય, પિતા હોય કે પુત્ર હોય, માતા હોય કે બાળક હોય, કુમાર હોય કે કુમારી હોય, ગૃહસ્થ હોય કે સંન્યાસી હોય—ગમે તે હોય એ સર્વને માટે ગાંધીજીએ નિ:સંશય માર્ગ બતાવ્યો છે—એ માર્ગે ચાલવામાં જ આપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy