SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થ શબ્દનો ભાવાર્થ ૦ ૧૮૫ સંતપુરુષની કરો, તેનો સત્સંગ કરો, એઓ જ તીર્થરૂપ છે, તેઓ જ તમને તા૨શે, ત૨વામાં સહાયક બનશે. વળી તરવામાં સાધન શું ? એ પણ સ્પષ્ટ થયું કે હોડી આદિ એ સાધન નદી તરવામાં ઉપયોગી થાય પણ સંસાર તરવામાં નહિ; એ માટે તો જ્ઞાનાદિ ગુણોની ઉપાસના આવશ્યક છે. આવું જ તીર્થ વિશેનું મંતવ્ય મધ્યકાલીન કબીર આદિ અનેક સંતોનું પણ પ્રસિદ્ધ જ છે. સારાંશ એ છે કે તીર્થ શબ્દનો સ્થૂલાર્થ નદી આદિના કિનારે પાર કરવા માટેનું અનુકૂળ સ્થાન એ પ્રાથમિક અર્થ છે. તે અર્થનો વિસ્તાર નદીકિનારે સ્થપાનાર મંદિર આદિ પવિત્ર સ્થાનમાં થયો એટલે તે પણ તીર્થ કહેવાયાં, પછી તેવાં જ બીજાં પવિત્ર સ્થાનો પણ તીર્થ કહેવાયાં, પણ છેવટે સત્પુરુષનો સમુદાય એ જ તીર્થરૂપ ગણાયો. અને તેમાં પણ તીર્થત્વનું કારણ તેમના જ્ઞાનાદિ ગુણો જ છે. તે ન હોય તો તે પણ તીર્થરૂપ ન બને. તીર્થનો આ અર્થ જુદા જુદા ધર્મનો બોધ કરાવે છે. એટલે કે તે તે ધર્મ તે પણ તીર્થને નામે ઓળખાય છે; કારણ કે તેમાં તરવાના માર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું હોય છે. આવા તીર્થની સ્થાપના કરનાર એ તીર્થંકર કહેવાય. લોકકલ્યાણની એકમાત્ર કામના જેમના મનમાં હોય અને તે માટે જેઓ પોતાના આત્માને વિશુદ્ધ કરીને પવિત્ર બન્યા હોય તેઓ જ તીર્થની સ્થાપના કરી લોકકલ્યાણનો માર્ગ ચીંધે છે. તેઓ પોતે તરે છે અને બીજાને તારે છે. અને એમ તીર્થપરંપરા કાલપ્રવાહમાં વહ્યા કરે છે. જ્યારે પણ તીર્થમાં ગુણપ્રાધાન્ય મંદ પડે છે ત્યારે ફરી પાછા કોઈ ને કોઈ મહાપુરુષ તીર્થને નવો અવતાર આપે છે, લોકજાગૃતિ આણે છે અને સંસારચક્રના ભેદનની પ્રક્રિયા શરૂ થાય છે. આમ આ પ્રક્રિયાનો કોઈ અંત નથી. સ્થૂલ મંદિર-મસ્જિદ જેવાં તીર્થો કાલપ્રવાહમાં ટકી શકે નહિ. પણ ગુણપરંપરાને ધારણ કરનારા સત્પુરુષોનો કદી દુષ્કાળ પડતો નથી. આથી તીર્થો આધ્યાત્મિક તીર્થો શાશ્વત છે એમ કહેવામાં કશું જ અજુગતું નથી. તીર્થો ગુણપ્રધાન હોય અને ગુણોમાં તરતમભાવ હોય તે તીર્થો બધાં કાંઈ સરખી કોટીનાં હોય નહિ; આથી આચાર્ય જિનભદ્રે તીર્થ વિશેની ચતુર્થંગીની રચના કરી છે—જેમ નદીનું તીર્થ ૧-સુખાવતાર-સુખોત્તાર એટલે કે જેમાં પ્રવેશ સુખથી થાય અને સુખથી પાર ઊતરી જવાય તેવું, ૨ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy