SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર માથુરી લક્ષ અપાય ત્યાં સુધી આપણે પરંપરાને તોડી નહિ ગણાય. આ પાંચમી વાત. આપણા પૂર્વાચાર્યોએ પ્રતિક્રમણને સરલ બનાવવા વચ્ચે વચ્ચે ગુજરાતી તથા મારવાડી પાઠો ઉમેર્યા છે છતાં તે હજુ તદ્દન સરલ થયું નથી તેની સાક્ષી કોઈ પણ જૈન વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પૂરશે. વળી આપણે કોઈ વખત જે પ્રકારે પ્રતિક્રમણ થાય તેના પર શાંત ચિત્તે વિચાર કરીશું તો જણાશે કે આપણે નહીં સમજવાથી પ્રતિક્રમણમાં કેવા અનર્થ કરી રહ્યા છીએ. આ વિશે મારે વધારે લખવાની જરૂર નથી કારણ એ વિશે મેં અમુક સમય પહેલા ઊહાપોહ કરેલ છે. તેથી પ્રતિક્રમણને સર્વ ગ્રાહ્ય બનાવવું હોય અને તેમાં સૌ રસ લેતા થાય એમ કરવું હોય તો જેમ પૂર્વાચાર્યોએ થોડું ગુજરાતી વગેરે ઉમેરવાની છૂટ લીધી તેમ આપણે તેને સંપૂર્ણ ગુજરાતી વગેરે ભાષામાં તૈયાર કરવાની છૂટ લઈએ એ અનુચિત તો નથી જ. વળી એ પરંપરાથી વિરુદ્ધ જઈને છૂટ લીધી છે તેમ પણ કોઈ કહી શકવાને અધિકારી નથી. એ છઠ્ઠી વાત. પ્રતિક્રમણનો સમય અત્યારે જેમ પ્રચલિત છે તેમ પ્રતિક્રમણ માટે એક નિશ્ચિત સમય હોય તેથી લાભ પણ છે અને ગેરલાભ પણ છે. લાભ એ છે કે જે પોતાની ભૂલો પ્રત્યે રાત અને દિવસ બેદરકાર રહેતો હોય તે અમુક નિશ્ચિત સમયે જેટલી યાદ આવે તેટલી યાદ કરી તેનું પ્રાયશ્ચિત્ત કરી લે. પરંતુ ગેરલાભ એ છે કે એવો એક નિશ્ચિત કરી લે. પરંતુ ગેરલાભ એ છે કે એવો એક નિશ્ચિત સમય હોવાથી તે નિશ્ચિત સમયે બધી ભૂલો યાદ આવે નહિ. અમુક છૂટી જાય અને ૧. આપણો સમાજ વધુ પડતો પરંપરાપ્રેમી છે તેથી આ રીતે લખવું પડે નહિતર મારે મન પરંપરાની એટલી બધી કિંમત નથી. પરંપરા કરનાર કોણ અને માનનાર કોણ એ વિચાર જ્યારે કરીએ છીએ ત્યારે પરંપરા આપણને ક્યાં સુધી માન્ય હોવી જોઈએ; તે જણાઈ આવે છે. આજે એકે નવી પ્રથા પાડી તે કાલે સવારે પરંપરા થઈ જાય, તેને અનુસરવાને સદાકાળ સૌ બંધાયા છે એ માનવું જ ભૂલ ભરેલું છે એટલું જ નહિ પરંતુ બીજાનું વિચાર સ્વાતંત્ર્ય ખૂંચવી લેવાનું મહાપાતક એમાં રહેલું છે. ખરી રીતે આપણી બુદ્ધિ વિવેક પૂર્વક જે કબુલ કરે તેને અનુસરવું પછી તે પરંપરા હોય કે સ્વબુદ્ધિપ્રેરિત કોઈ નવો માર્ગ હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy