SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વમાન્ય શ્રાવક પ્રતિક્રમણ - ૧૭૧ અત્યારે આપણા જુદા જુદા સંપ્રદાયોમાં પ્રચલિત જુદા જુદા પ્રતિક્રમણો જ બતાવી આપે છે કે પૂર્વાચાર્યોએ પ્રતિક્રમણમાં પરિવર્તનો કર્યા છે અને તે જ તેની અપરિવર્તનીયતાને અસિદ્ધ કરે છે. અને એ પરિવર્તિત ક્રિયાને અપરિવર્તનીયના નામે અત્યાર સુધી ચલાવે રાખી છે. પરંતુ હવે સમય બદલાયો છે તેથી સૌ કોઈ ઇચ્છે છે કે એ ક્રિયા સમયાનુકૂલ બને તેથી જુદા જુદા સંપ્રદાયના આચાર્યો જો પ્રતિક્રમણમાં ફેરફાર કરવાની હામ ભીડે તો તે તેમના અધિકાર બહારની વાત નથી. અથવા તો તેઓ પૂર્વપરંપરાને તોડીને અનુચિત કાર્ય કરી રહ્યા છે. તેમ પણ નથી. ઊલટું તેમની તો સમયાનુકૂલ પરિવર્તનો સૂચવીને શ્રાવકોની પ્રતિક્રમણ ક્રિયા તરફ ઘટતી જતી રુચિને વધારવાની ફરજ છે. આ કાર્ય આડે જો કોઈ વસ્તુ તેમને નડે તેવી હોય તો તે સાંપ્રદાયિક મતાગ્રહ છે ઉચિત સાંપ્રદાયિક મતાગ્રહ હોય અને હોવો પણ જોઈએ. પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઉચિત અનુચિતનો વિવેક કરીને જ મતાગ્રહ બાંધવો જોઈએ. ઉચિતને નામે અનુચિતનો પણ આગ્રહ રાખવામાં આવે તો કાર્યસિદ્ધિને બદલે કાર્યાનિ તો થાય જ એટલું જ નહિ પરંતુ આચાર્યો પર તો શ્રાવકોને ઉચિત માર્ગ બતાવવાનો ભાર હોવાથી તેઓનું તરણતારણનું બિરુદ છે તે નિરર્થક જાય. અને અનેકને તારવાના બદલે પોતે પણ બૂડે અને બીજાને પણ ખોટો માર્ગ બતાવી ડુબાડે. એટલે તેઓ ક્રિયાઓમાં પછી તે પ્રતિક્રમણ હો કે ગમે તે હો પરંતુ સમયાનુકૂલ પરિવર્તન કરશે તો તેમણે પોતાની માત્ર ફરજ જ બજાવી ગણાશે નહિ કે શાસનદ્રોહ. આ ચોથી વાત. હવે આપણે શ્રાવક પ્રતિક્રમણ તરફ નજર નાખીએ. શ્રાવકોમાં પ્રચલિત પ્રતિક્રમણ એ ભગવાન મહાવીરના સમયથી બરાબર તે જ રીતે ચાલ્યું આવે છે તેમ કહેવાની હિંમત તો કોઈ કરી શકે એમ નથી. તેમાં આવતા ગુજરાતી તથા મારવાડી ભાષાના પાઠો જ બતાવી આપે છે કે કોઈ આચાર્યે પોતાની મરજી મુજબ વધારો ઘટાડો કર્યો છે. વળી શ્વે. મૂર્તિપૂજકોનું અને આપણું પ્રતિક્રમણ સરખાવતાં પણ આપણા પ્રતિક્રમણમાં આચાર્યોએ ક્યાં કેવા સુધારા કર્યા છે તે જણાઈ આવે છે. અને તેમના કરતા આપણા પ્રતિક્રમણની કાળની અપેક્ષાએ નવીનતા તુરત જણાઈ આવે છે. અને સાથે સાથે એ પણ જણાઈ આવે છે કે આપણા પૂર્વાચાર્યોને એ પ્રતિક્રમણને જેમ બને તેમ સરસ અને ટૂંકુ બનાવવાનો પ્રયત્ન રહ્યો છે. તેથી સર્વમાન્ય પ્રતિક્રમણ તૈયાર કરતી વખતે તેની સરલતા તથા સંક્ષિપ્તતા તરફ વધારે પડતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy