SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વમાન્ય શ્રાવક પ્રતિક્રમણ ૦ ૧૬૯ અને તેથી તે પરિસ્થિતિને અંગે થતી ભૂલો આજ ન થવા પામે પરંતુ આજે જે ભૂલો થાય તે આજની પરિસ્થિતિ પર નિર્ભર હોય. તેથી પચાસ વર્ષ પહેલાં થતી ભૂલો આજે ન થતી હોય, વળી પરિસ્થતિ તેના સંપૂર્ણ સ્વરૂપમાં બદલાઈ ગઈ હોય એમ ન બને, બહુ તો તેનો મોટો ભાગ બદલાઈ જાય અને આંશિક પરિસ્થિતિ તેના તે જ સ્વરૂપમાં મોજૂદ રહે અને તેથી અમુક ભૂલો તદન તેના તે જ સ્વરૂપમાં આજથી પચાસ વર્ષ પહેલાં જેવી થતી હોય. એટલે એક વ્યક્તિમાં બે પ્રકારની ભૂલો હોય, એક તો આજની નવી પરિસ્થિતિએ ઊભી કરેલી નવી ભૂલોને તેના પૂર્વે થયેલી કોઈ પણ વ્યક્તિએ ન કરી હોય; અને બીજી એવી ભૂલો જે તેના પૂર્વજોએ કરી હોય અને તે પણ એ જ પરિસ્થિતિમાં હોવાથી કરે છે. આવી બે પ્રકારની ભૂલોનું પ્રતિક્રમણ કરવાનું હોય છે અને તે એટલા માટે કે જીવનમાં ફરી એ બને પ્રકારની ભૂલો થવા ન પામે તથા એ ભૂલો ન બેવડાય તે માટે સતત તેનું ધ્યાન રહે. પ્રતિક્રમણનો આ મુખ્ય ઉદ્દેશ હતો, છે અને હોવો જોઈએ. તેથી આપણે એવું પ્રતિક્રમણ શોધી કાઢવું જોઈએ જેથી વ્યક્તિની એ બન્ને પ્રકારની ભૂલો થવા ન પામે અને તેનો વિકાસ સધાતો જાય. જ્યારે એવું સમ્રગદષ્ટિએ ઘડી કાઢેલું પ્રતિક્રમણ આચરણમાં આવશે ત્યારે જ તેનો ઉદ્દેશ પૂરો થશે. નવું જ પ્રતિક્રમણ રચવું પડશે શોધી કાઢવું જોઈએ એટલા માટે લખું છું કે આપણામાંના ઘણા પરંપરા પ્રેમીઓને મન અત્યારે જે સ્વરૂપમાં આપણી સમાજમાં પ્રતિક્રમણ પ્રચલિત છે તે અપરિવર્તનીય છે–જે છે તે એવું સારું છે કે તેમાં ફેરફાર કરવાની જરૂર નથી. તેવા પરંપરાપ્રેમીઓને સ્પષ્ટપણે ભાન કરાવવા ખાતર કે જે પ્રતિક્રમણ પ્રચલિત છે તે એ જ સ્વરૂપમાં આપણા માટે નકામું છે–અર્થહીન છે. તેથી આપણે તદન નવી રીતે વર્તમાન સમયને અનુકૂળ નવું પ્રતિક્રમણ શોધી કાઢીશું તો જ પ્રતિક્રમણથી જે લાભ આપણે ઉઠાવવા માગીએ છીએ–ઉઠાવવો જોઈએ, તે મળી શકશે, નહિતર ચાલે છે તેમ ચાલશે, અને એક સમય એવો આવશે કે પ્રતિક્રમણનું નામ પણ સમાજમાં નહિ રહે. આનો અર્થ કોઈ એવો ન કરે કે નવા પ્રતિક્રમણના ખરડામાં વર્તમાન જૂના પ્રતિક્રમણ પર નજર પણ ન કરવામાં આવે. નવા પ્રતિક્રમણનો જો ખરડો કરવો પડે તો તેમાં અમુક અંશે પણ તે ઉપયોગી નથી થવાનું એમ મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy