SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ • માથુરી કબૂલ કરે પણ દર્શન માટે તો શું પણ એ મંદિરને સાધારણ મકાન માની પોતાનું રક્ષણ કરવાનું પણ એ પસંદ ન કરે. જયારે બીજી તરફ જૈનને કહેવામાં આવે છે કે હિન્દુઓનાં મંદિરોમાં તો દેવ પોતાની પત્નીના ગળામાં હાથ નાખી બેઠા છે, કૂરતા સૂચક હથિયારો રાખી બેઠા છે, ત્યાં વીતરાગતા કે મૈત્રીભાવની જાગૃતિ કેવી રીતે થઈ શકે? પરંતુ એ ઉપદેશક ભૂલી જાય છે કે પોતાના જ મંદિરમાં દેવો પર ઉપાડી પણ ન શકે એટલો શણગાર લાદવામાં આવે છે. એથી વીતરાગતાનું પોષણ કેવી રીતે થવાનું હતું? એક સ્થાનકવાસીને ધર્મગુરુ શીખવશે કે જિનમંદિરમાં પ્રવેશથી મિથ્યાત્વ લાગી જશે, પરંતુ એ ઉપદેશકનું ધ્યાન, એ સ્થાનકવાસીઓ પુત્રાદિ માટે ભેરૂ ભવાનીની સદા માટે પૂજા કરતા ફરતા હોય છે તે તરફ તો જતું જ નથી અને જાય છે તો ઉપેક્ષાશીલ રહે છે. વળી જિનમંદિરમાં પ્રવેશ કે દર્શનનો નિષેધ કરનાર એ જ ઉપદેશકો જયારે પોતાના ફોટા પડાવી શ્રાવકોના ઘરમાં રાખવાનો હુકમ છોડે છે ત્યારે તો તેમની સ્વાર્થલીલા પ્રગટ રૂપ ધારણ કરે છે. મુસલમાની મૂર્તિનો વિરોધ કરે છે એટલે તેમને મન મૂર્તિ કે મંદિર જેવી દુનિયા પર બીજી કોઈ અપવિત્ર વસ્તુ છે જ નહિ. પરંતુ એ ભૂલી જાય છે કે જાણ્યે અજાણ્યે આખી મસ્જિદને જ સાક્ષાત્ મૂર્તિ કે મંદિરનું રૂપ આપી બેઠો હોય છે. તેને મન મસ્જિદનો એકે એક પથ્થરનો ટુકડો પવિત્ર અને પૂજનીય બની ગયો હોય છે. ધર્મના નામે આ પ્રતિદિનની લડાઈઓથી વિવેકી વર્ગ કંપી ઊઠે એમાં નવાઈ શી? અને તેથી જ પ્રત્યેક ધર્મમાં નવશિક્ષણની પ્રગતિ સાથે સાથે આવો વર્ગ પ્રતિદિન વધતો જ જાય છે. એ વર્ગ આ બધી ધાર્મિક લડાઈઓનો નાશ ઇચ્છે છે અને કોઈ એક એવો ધર્મ ઈચ્છે છે જે સર્વમાન્ય થઈ શકે, જેનો વિરોધ આખા વિશ્વમાં કોઈને હોય નહિ, એ ધર્મનું એવું એક પણ તત્ત્વ ન હોય જેને લઈને કદી માનવ જાતમાં પરસ્પરની લડાઈ જાગે, પ્રત્યુત એના પ્રત્યેક તત્ત્વમાં સર્વ સમન્વયનું ઝરણું વહેતું હોય. એ વર્ગ કહે છે કે ધર્મ એ જો સત્ય હોય તો તે એક જ હોવો જોઈએ. તેમાં ભેદ કેવી રીતે સંભવે ? એક જ વસ્તુને જુદી જુદી રીતે જોવામાં આવે તો એ એક જ વસ્તુની જુદી જુદી બાજુઓ જ જોવામાં આવી છે એમ કહેવું જોઈએ. પણ એથી કાંઈ પૂર્ણ વસ્તુમાં ભેદ પડતો નથી, તેમ જ એ દરેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy