SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મમાં વિશ્વધર્મ બને એવાં તત્ત્વો છે ખરા? • ૧૪૯ પણ વહી રહ્યાં છે. એ વહેણોને અધિકાર પ્રાપ્ત ધાર્મિક ગુરુ, પંડ્યા, પાદરી, પૂજારી, મૌલાના સાથે અથડામણીમાં આવવું પડ્યું છે. પરંતુ એ અથડામણીઓને પાર કરીને એ વહેણોએ પોતાનો માર્ગ કરી લીધો છે, અને હવે ધીરે ધીરે વિજ્ઞાને–વિવેકે વચ્ચે આવીને તેમની ગતિને સુસંવાદી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે અત્યારે બહુ જ ધ્યાનપૂર્વક બધા ધર્મની ગતિ-સ્થિતિ વિચારીશું, વિવિધ ધાર્મિક લોકોની આંતરિક ગતિનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરીશું તો જણાશે કે પ્રત્યેક ધર્મની માન્યતાવાળાઓમાં એવો અમુક વર્ગ ઊભો થયો છે જેની વિવેકે આંખ ઉઘાડી છે અને વિવિધ ધર્મોની વિસંવાદી ગતિથી કંપી ઊઠ્યો છે અને સુસંવાદી ગતિ ચાહે છે. તે વર્ગ જુએ છે કે બધા ધર્મવાળાઓ પરસ્પર ધર્મને નામે જેટલી લડાઈઓ કરે છે, જેટલા કલહો, જેટલા વિગ્રહો ઊભા કરે છે તેટલા બીજા કોઈ કારણે ભાગ્યે જ કરતા હશે. એક મુસલમાનની દુકાન કે ઘર સામે તમે ગમે તેટલાં વાજાં વગાડો તેમાં તેને વાંધો નથી, મુસલમાનો ખુદ મસીદમાં ઢોલનગારાં વગાડે તેમાં તેને વાંધો નથી પરંતુ જો હિન્દુ લોકો વિવાહનો વરઘોડો હોય કે જળજાત્રા હોય તેમાં મસીદ પાસેથી વાજાં વગાડતા નીકળે તો એવો ભાગ્યે જ કોઈ મુસલમાન હશે જેનું એ સાંભળી ખૂન ઊકળી ના આવતું હોય ? મસીદ પાસેની કંસારાની દુકાનનો રાતદિવસનો ઠણઠણાટ તેમને ત્રાસ નથી આપતો, પણ બેત્રણ મિનિટના વરઘોડાના કે જળજાત્રાના વાજાં તેમને ત્રાસ આપે છે. અશ્વ કે અજામેધ તો શું પણ ગોમેધ કે નરમેધ કરવાની પણ આજ્ઞા આપે એવાં હિન્દુશાસ્ત્રો છે એ શાસ્ત્રોનું જોરશોરથી સમર્થન કરનાર તેમ જ એવા ક્રૂરયજ્ઞો કરવાનું શીખવનાર બ્રાહ્મણો હજી હિન્દુ સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન ભોગવે છે છતાં યદિ કોઈ મુસલમાન ગાયનો વધ કરે તો આખા હિન્દુ સમાજનું લોહી ઉકળી ઉઠે છે અને જો સરકારી પોલીસ ખાતાની ઠીક ઠીક વ્યવસ્થા ન હોય તો એ મુસલમાનને જીવતા બાળી નાખવાનું ચૂકે નહિ. રાત દિવસના સામાજિક કે વ્યક્તિગત સંબંધો વ્યાપારિક લેવડ-દેવડમાં એવા હોય છે કે તેમાં વિરોધી ધર્મવાળાને પણ બાધ નથી આવતો. પરંતુ જ્યાં ધર્મનું નામ આવ્યું ત્યાં બન્નેનાં મંદિર-મસ્જિદ જુદાં છે, ધર્મની વાત આવી ત્યાં એક મુસલમાનનો મંદિર તરફ પગ નહિ ઊપડે અને એક હિન્દુનો મસ્જિદ તરફ, એક હિન્દુનો જૈન મંદિર તરફ એટલો બધો તિરસ્કાર પોષવામાં આવે કે સ્તિના તાક્યમાનો ઉપર વછેરૈનમંમ્િ- તે મરવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy