SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ વિવાદનાં કારણો : ૧૪૩ વળી ચાર કષાયોમાં પણ ક્રોધને પ્રથમ સ્થાન છે. પ્રત્યેક દુષ્કૃત્યમાં મૂળભૂત પ્રકટ કે અપ્રકટ ક્રોધ હોય જ છે. એટલે સુવ્યવસ્થા જાળવવા માટે પ્રથમ ક્ષણે એ ક્રોધને તો તિલાંજલી દેવી પડશે જ. અને ક્રોધ ગયો એટલે તેની સેના માન, માયા અને લોભ વગેરે આપોઆપ પસાર થઈ જવાના. ૨. To er is human. પણ જ્યાં છૂપાં પાપો થવા લાગે ત્યાં સુવ્યવસ્થા જોખમમાં આવી પડે છે. અને એટલે જ આપણે ત્યાં પ્રતિક્રમણ ઉપર ખૂબ જ ભાર આપવામાં આવ્યો છે. એટલું જ નહિ પણ એ પ્રતિક્રમણ સર્વ સમક્ષ કરવાનું હોય છે તેમાં પણ જો આપણે ઊંડા ઊતરીને વિચારીએ તો ઘણું રહસ્ય જણાશે જ્યાં કાંઈ છૂપું નથી ત્યાં સૌ સૌને ખરા સ્વરૂપમાં જાણે છે. જ્યાં બધા જ પોતાના વર્તનમાં સ્પષ્ટ છે ત્યાં કોણ કોનો દોષ બતાવવા જશે ? કોઈ બતાવે તે પહેલાં તો પાપીએ પોતાનું પાપ સર્વ સમક્ષ કહીને ધોઈ નાખ્યું હશે. એ રીતે જે સંઘમાં બધાં જ સ્પષ્ટ હોય ત્યાં કોઈને કોઈની ભૂલ કાઢવાનો પ્રસંગ નહિ આવે અને આવ્યો હશે તો પણ ભૂલ સ્વીકાર કરતા શરમ નહિ આવે. એ રીતે સંઘમાં ઐક્ય જળવાઈ રહેશે. આપણાં પાપો છૂપાં હોય એટલું જ નહિ પણ આપણો તે છૂપાં રાખવાનો પ્રયત્ન હોય તે સમયે કોઈ આપણો દોષ બતાવે ત્યારે લડાઈ થવાનો પ્રસંગ છે જ. માટે જયાં બધા સ્પષ્ટ હોય ત્યાં વિવાદ થવાનો પ્રસંગ આવશે જ નહિ. ૩. સંઘમાં સર્વ કોઈ સરખા ગુણવાળા કે સરખી શક્તિવાળા નથી હોતા. જેનામાં બુદ્ધિ અને શક્તિ ઓછાં હોય તેણે વધારવા પ્રયત્ન કરવાનો હોય છે જ્યારે જે વધારે બુદ્ધિમાન કે શક્તિમાન હોય છે તેણે અલ્પબુદ્ધિવાળાને તથા અલ્પ શક્તિવાળાને પ્રોત્સાહન આપવાનું હોય છે. જ્યારે બન્ને પોતાની ફરજ ચૂકી જાય છે ત્યારે ઈષ કે માત્સર્યની ઉત્પત્તિનો સંભવ છે. અને જ્યાં ઈર્ષાનું રાજ્ય જાણ્યું ત્યાં એકતા શાની હોય? ત્યાં તો એકબીજાનું બૂરું જ બોલવાનું હોય છે. એટલે સંઘમાં એકતા જાળવવી હોય તો આ ર્યાનો તો નાશ કરવો જ જોઈએ અને એ નાશ પોતાની શક્તિનો ગર્વ કરવાથી નહિ પણ પરસ્પર સહાનુભૂતિ રાખવાથી તેને ઉત્પન્ન નહિ થવા દેવામાં જ છે. ૪. સંઘ સાધુપુરુષોનો સંભવી શકે. જયાં પ્રત્યેક જણ મનમાં કાંઈક રાખતો હોય, બોલે બીજું કાંઈક અને કરે વળી કાંઈક ત્રીજું તો એવાઓનો સમુદાય એક નિશ્ચિત ધ્યેય પાર પાડી શકે એ બન્યું નથી અને બનવાનું પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy