SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ . માથુરી નિગ્રંથસંઘમાં અવ્યવસ્થા થયાના સમાચાર સાંભળીને ભગવાન બુદ્ધના માન્ય શિષ્ય સારિપુત્તે એકઠા થયેલા સંઘને ભગવાન બુદ્ધના સમસ્ત પ્રવચનનો સાર ફરી એક વાર કહી બતાવ્યો તે એટલા માટે કે સંઘમાં નિગ્રંથસંઘની જેમ ભગવાન બુદ્ધના નિર્માણ પછી વિવાદ થવા ન પામે. એ પ્રસિદ્ધ પ્રવચન દીઘનિકાયમાં સંગિતિસુત્ત નામે પ્રસિદ્ધ છે. છતાં પણ એ સંઘ બુદ્ધના નિર્વાણ પછી એકરૂપે નથી ચાલ્યો આવ્યો. તેમાં પણ અનેક ભેદ પ્રભેદ પડી ગયા છે એટલે અનેક પ્રયત્ન કરવા છતાં સદાય સંઘ એકરૂપે ચાલે તે તો અશક્ય છે. પણ એ ભેદની ઉપેક્ષા ન કરવામાં આપણી કુશળતા રહેલી છે. ભગવાન મહાવીરના શાસનમાં તેમના પાવાપુરીમાં નિર્વાણ પછી વિવાદ ઊભો થયો હતો, એ ખબર ભગવાન બુદ્ધ પાસે પહોંચ્યા, ખબર આપનાર તેમના શિષ્ય આનંદ હતા. સવિસ્તર હકીકત જણાવ્યા પછી આનંદ ભગવાનને કહ્યું કે આપના નિર્વાણ પછી સંઘમાં ભેદ ન પડે માટે આપ શરૂઆતથી જ આ પ્રસંગ જોઈને અમારામાં વિવાદ ન થાય તેવું કાંઈક કરો. એ પ્રસંગે ભગવાન બુદ્ધ આનંદને વિવાદ શાથી થાય છે અને કેમ અટકાવાય તેની વિસ્તારથી સમજણ આપી. એમાં ભગવાન બુદ્ધ જે કહ્યું છે તે તે કાળને માટે તો સારું હતું જ. વળી આ સમયે પણ જો આપણે એ ઉપદેશનો ઉપયોગ કરીએ તો વિવાદ થવાનું કાંઈ કારણ રહે નહિ. એટલું જ નહિ પણ સંઘ સદા એકરૂપે ચાલે. પણ જેટલી આપણી ખામી તેટલા પ્રમાણમાં વિવાદ ઊભો થાય. छइमानि, आनंद, विवादमूलानि । कतमानि छ ? इध आनंद, भिक्खु१ कोधने होति उपनाही....सो संघे विवादं जनेति यो होति विवादो बहुजनाहिताय, बहुजनासुखाय, बहुनो जनस्स अनत्थाय अहिताय दुक्खाय देवम नुस्सानं । पुन च परं, आनंद भिक्खु२ मक्खी होति फळासी, इस्सुकी३ होति मच्छरी, सठो४ होति मायावी पापिच्छो५ होति मिच्छादिट्ठी संदिट्ठी६ परामासी होति आधानगाही दुप्पटिनिस्सग्गी....देवमनुस्सानं । ઉપર સંઘમાં વિવાદ થવાનાં મૂળ છ કારણો બતાવ્યાં છે. તે આ પ્રમાણે :- ૧. ભિક્ષુ ક્રોધી હોય તો ક્રોધના પરિણામે કોઈનો મિત્ર થઈ ન શકે. અને તેથી તેને બધા સાથે શત્રુના ઊભી થાય છે. ક્રોધ એ વિવાદ થવામાં મુખ્ય કારણ છે તેથી ગણતરીમાં પણ સહજ તે પહેલું જ મુકાઈ ગયું છે. જ્યાં પ્રત્યેક જણ ક્ષમાશીલ હોય ત્યાં વિવાદ થવાનો સંભવ જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy