SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસમન્વયની ભાવના ૦ ૧૩૭ સમક્ષ આવે છે જેમાં બ્રાહ્મણ-શ્રમણ ધર્મોનાં ઉત્તમ તત્ત્વોનો સર્વોત્તમ સમન્વય સધાયો છે. ગ્રીકો, શકો, હુણો અને એવી ઘણી નાની મોટી જાતિઓ હિન્દુસ્તાનમાં આવી અને ભારતની પ્રજામાં એવી ઓતપ્રોત થઈ ગઈ છે કે આજે તેમની જુદાઈ શોધી જડે તેમ નથી. એ પરદેશી પ્રજાઓની કળા વગેરેની સૂઝનો ઉપયોગ ભારતીય આરાધ્ય દેવોની મૂર્તિ અને શિલ્પવિધાનમાં જે રીતે કરવામાં આવ્યો છે તે સાંસ્કૃતિક આદાનપ્રદાનનું ગૌરવવંતું પ્રકરણ છે. ધાર્મિક મન્તવ્યો વિશે વાદવિવાદની ગૌરવવંતી પ્રણાલીનાં મૂળ જોવા જઈએ તો તેમાં આ બધી પરદેશી પ્રજાઓનું પ્રદાન નગણ્ય નહીં મળે. આમ પ્રજાને ઉન્નતિને માર્ગે આગળ વધારે એવી કોઈ પણ વસ્તુને આત્મસાત્ કરવામાં ભારતીય પ્રજાએ પાછી પાની કરી નથી. આ કાળે લખાયેલાં કૃષ્ણચરિત અને ઈશુચરિતમાં જો સામ્ય જોવા મળતું હોય તો તેનું રણ સમન્વયની ભાવનામાં જ શોધવું રહ્યું. બુદ્ધચરિત અને ઈશુચરિત, બુદ્ધચરિત અને મહાવીરચરિત તથા મહાવીર ચરિત અને કૃષ્ણ ચરિતમાં જે સામ્ય મળે તે આકસ્મિક માનવાને કારણ નથી પણ વિચારપૂર્વક આદાન-પ્રદાનની જે ભાવના છે તેણે જ આવી બાબતોમાં મોટો ફાળો આપ્યો હશે તેમ માનવું પડે. આ પણ સમન્વયની પ્રક્રિયાનું જ એક પરિણામ છે. મધ્યકાળમાં મુસલમાનો ભારતમાં આવ્યા, અનેક હિંદુઓએ મુસ્લિમ ધર્મને સ્વીકાર્યો તેમાં એકમાત્ર બળજબરી જ કારણ નથી પણ ઇસ્લામની એકેશ્વરનિષ્ઠા અને ભ્રાતૃભાવનાએ પણ મોટો ભાગ ભજવ્યો છે. ભારતીય મુસ્લિમો અને ઇતર મુસ્લિમોમાં સંસ્કારનો જે ભેદ દેખાય છે તે ભારતીય જનોના પરાપૂર્વથી ચાલ્યા આવતા અમુક દઢ સંસ્કારોને આભારી છે. ભારતીય ધર્મોમાં જે મૂર્તિવિરોધી સંપ્રદાયો મધ્યકાળમાં થયા તે મુસ્લિમોને આભારી છે. મુસ્લિમ કાળના કળાવિકાસમાં ભારતીય અને ઈરાની કળાનો જે સમન્વય સધાયો છે તે પણ કાંઈ આકસ્મિક નથી. ભારત અને ઈરાન વચ્ચે મધ્યકાળમાં અનેક ક્ષેત્રે આદાનપ્રદાન થયું તેનું એ સુફળ છે. આ બધું છતાં ભારતમાં શક-હૂણની જેમ હિન્દુઓ સાથે મુસ્લિમો એકરસ ન થઈ શકયા તે હકીકત છે અને તેના કારણમાં વિશ્વના ચારે ખૂણે પ્રસરેલા ઇસ્લામને હિંદુઓ સંપૂર્ણરૂપે હજમ કરી શકે તેવી સ્થિતિ સંભવી ન હતી એ છે. જૂની વિદેશી જાતિઓનો જે ધર્મ હતો તે ભારતીય ધર્મના પ્રકાશમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy