SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ . માથુરી ભારતીય બની ગયા એટલે માત્ર એમ નથી કે તેમણે ભારતને પોતાનો દેશ માન્યો. પણ એનો અર્થ એ પણ છે કે તેમણે સ્વીકારવા જેવા અનેક ધાર્મિક સંસ્કારો આત્મસાત કરી દીધા, આર્યધર્મને ભારતીય ધર્મનું રૂપ આપ્યું. આર્ય અને આયેંતરોના આ ધાર્મિક સમન્વયનું સ્પષ્ટ રૂપ વેદ પછીના ઉપનિષદ કાળમાં સ્પષ્ટ થાય છે. વેદોમાં થયેલી ઈન્દ્ર વગેરે દેવોની સ્તુતિઓ જુઓ અને ઉપનિષદો વાંચો તો એક વાત જે સ્પષ્ટ થાય છે તે એ છે કે વેદમાં અનેક દેવો આરાધ્ય છે, વળી આરાધનાનો ઉદ્દેશ બાહ્ય સંપત્તિ અને પ્રજોત્પત્તિનો તંતુ ચાલુ રહે તે છે. પણ ઉપનિષદમાં તો બાહ્ય સંપત્તિને નિરર્થક બતાવવામાં આવી છે અને સમગ્ર ધ્યાન એક આત્મા કે બ્રહ્મ ઉપર કેન્દ્રિત થયું છે. ઇન્દ્રાદિ દેવો સર્વથા ભુલાઈ ગયા છે એમ તો ન કહેવાય પણ તેઓ ગૌણ બની ગયા છે પણ ઉપનિષદના ઋષિઓને મન એ દેવની આરાધના કરવા કરતાં આત્મદેવની, બ્રહ્મની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે. સંપત્તિના ત્યાગનું અને નહિ કે સંપત્તિના ભોગનું માહાભ્ય છે. એ કાળે પણ અમુક વર્ગ તો પોતાના પ્રાચીન યજ્ઞોમાં મશગુલ હતો અને ઉપનિષદોને મહત્ત્વ આપતો નહિ પણ ઉપનિષદના ઋષિઓએ જે કહ્યું તે સમન્વયનું પ્રથમ સોપાન હતું. જેને લઈને સમગ્ર વૈદિક પરંપરામાં નવું બળ આવ્યું. ઋગ્વદનું એક ખૂણે પડેલું સૂત્ર- ‘પ સદ્ વિપ્રા વહુધા વન્તિ’ તેના નવા અર્થમાં ઉપનિષદમાં પ્રકટ થયું. તેણે સમગ્ર ધાર્મિક વિચારણામાં એવો પ્રચંડ ધક્કો આપ્યો કે હવે માત્ર એક જ દેવ અને તે પોતાનો આત્મા-બ્રહ્મની ઉપાસના મુખ્ય બની. ભારતીય પ્રજાના દેવો અને ધાર્મિક પ્રક્રિયાનો પણ સમાવેશ કરતો અથર્વવેદ રચાયો હતો તે અને ઉપનિષદો પણ વૈદિક પરંપરાના માન્ય શ્રતમાં સ્થાન પામ્યાં. વૈદિકોમાં જેમ સમન્વયધારા પ્રફુટિત થઈ તેમ વેદવિરોધી શ્રમણોમાં પણ સમન્વયનાં એંધાણ દેખાય જ છે. શ્રમણોમાંના મુખ્ય જૈન અને બૌદ્ધ બંને પોતાના ધર્મને આર્યધર્મ કહેવરાવવાનું પસંદ કરે છે. બ્રાહ્મણને શ્રેષ્ઠ માનવાનું વલણ ધરાવે છે. પણ પોતાની રીતે શ્રમણને જ બ્રાહ્મણ કહેવાનું પસંદ કરે છે. યજ્ઞ એ લોકો પણ છોડતા નથી પણ બાહ્ય કરતાં આંતર યજ્ઞને મહત્ત્વ આપે છે. આમ આર્યપ્રજાના મુખ્ય બ્રાહ્મણ અને યજ્ઞને શ્રમણો પણ પોતાની રીતે સ્વીકારીને આદર આપે છે. અને એમ કહીને બંનેના વિરોધને ગાળી નાખવાનો પ્રયત્ન થાય છે. આનું સુપરિણામ વૈદિકોમાં પ્રચલિત ગીતામાં સ્પષ્ટ દેખાય છે. ધર્મસમન્વયનું આ બીજું પ્રકરણ ઉદાત્તરૂપે આપણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy