SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘેકયનો પ્રશ્ન • ૧૩૩ માર્ગ નહિ મળે. આડીઅવળી અનેક ગલીકૂચીઓ દ્વારા પ્રયત્ન થશે, પણ એથી ધ્યેય સિદ્ધ નહિ થાય. સંઘેજ્યમાં ધ્વનિવર્ધક યંત્રના ઉપયોગ વિશે જે વિવાદ ચાલે છે તેમાં ઊંડા ઊતરીશું તો જણાશે કે વસ્તુતઃ તે વિવાદમાં “જૂનું જ સારું, નવું સ્વીકારવું નહિ” એવી મનોવૃત્તિ પ્રધાનપદે છે, પણ એ મનોવૃત્તિવાળા પણ વસ્તુતઃ કેટલું ય જૂનું છોડીને નવું સ્વીકારતા થઈ ગયા હોય છે, એમ વિચાર કરશું તો જણાઈ આવશે. એક વખતના સ્થાનકવાસી સંપ્રદાયમાં ઉપાશ્રયમાં ઊતરવા વિશેની માન્યતા જુદી હતી. તે ક્યારે મટી ગઈ અને ક્યારે તેઓ ઉપાશ્રયમાં ચોમાસા કરતા થઈ ગયા એનો લાંબો ઈતિહાસ ઉલ્લેખવાનું આ સ્થાન નથી. એક વખત એવો હતો જ્યારે પોથીપાનાં રાખવાં એ પણ પાપ લેખાતું. ત્યારે આજે અનેક મુનિરાજો હજારોની સંખ્યામાં પુસ્તકો મુદ્રિત કરવાની પ્રેરણા આપે છે. આ શું બતાવે છે? જે જૂના કાળે ન કર્યું તે આ કાળે ન થાય એ વસ્તુ તો આથી સિદ્ધ થતી જ નથી. વળી મુનિરાજોનો જે આચાર આજથી પચાસ વર્ષ પહેલાં હતો અને જે માટે તેમનો આગ્રહ હતો તેવો જ આચાર શું મુંબઈ જેવાં શહેરોમાં ચાતુર્માસ કરનારા કોઈ પણ મુનિરાજ પાળી શકે તેમ છે ? જો શાસ્ત્રને જ પ્રમાણ માનવું હોય તો એક મહાન વૈજ્ઞાનિકે હમણાં જ . જણાવ્યું છે કે મુનિરાજો માટે નળનું પાણી પણ અચિત્ત હોઈ નિરવદ્ય ગણાવું જોઈએ. કારણ તેમાં ઉકાળવાને કારણે જે પ્રકારની નિરવતા માનવામાં આવે છે તેવી જ નિરવઘતા નળના પાણીમાં અમુક પ્રકારની દવાઓનું મિશ્રણ થતું હોઈ પ્રાપ્ત થાય જ છે. પણ આપણા મુનિરાજો તેમને માટે ઉકાળવામાં આવતા પાણીને સ્વીકારવામાં કશો જ દોષ માન્યા વિના તે સ્વીકારે છે, પણ નળનું સીધું પાણી લેવામાં દોષ માને છે. આ એટલા જ માટે કે તેવો રિવાજ પડ્યો નથી. નળના પાણીને શસ્ત્રહિત માનીને નિરવદ્ય માનવામાં કયા શાસ્ત્રનો બાધ છે? છતાં પણ તે પાણી કેવળ રૂઢિને કારણે મુનિરાજો નહિ સ્વીકારે પણ સદોષવાળા ગરમ પાણીને લેવાનો આગ્રહ સેવાશે–એ શું બતાવે છે? ઉપાચાર્ય શ્રી ગણેશલાલજી મ. વર્ધમાન શ્રમણ સંઘ શિથિલ છે કહીને પૃથફ થઈ ગયા, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે શ્રમણ સંઘ વળી પાછી તેમને વિનંતી કરે છે કે આપ જેમ ચાહશો તેમ થશે, પણ આપ સંઘમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy